• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 4 mins read
A A
0
ભારતમાં ઘૂસી હતી ચીનની સેના…, રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો, કેન્દ્રીય મંત્રીઓનો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


Rahul Gandhi, Rajnath Singh Clash Over China Remarks : સંસદમાં બજેટ સત્રમાં આજે લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંબોધન કર્યું. તેમણે ડોકલામ અને ચીનની ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા સંસદમાં ભારે હોબાળો થયો હતો. કેન્દ્રના મોટા મંત્રીઓએ ઊભા થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. રાહુલ ગાંધીએ કારવાંના પુસ્તક અને પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના ડોકલામ અંગેના પુુુુુુસ્તકનો હવાલો આપતાં જ મામલો બીચક્યો હતો અને સંસદમાં હોબાળો મચી ગયો હતો. સત્તાપક્ષ તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીને પડકારવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળો વધી જતાં લોકસભાને ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. 

રાહુલ ગાંધીનું સંસદમાં સંબોધન:

ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા : રાહુલ ગાંધી 

રાહુલ ગાંધીએ કહ્યું કે આ લોકો કહે છે કે અમે આતંકવાદ સામે લડીએ છીએ પણ એક તથ્યથી ડરે છે. પુસ્તકમાં એવું તો શું છે જેને અમે ન વાંચી શકીએ. અમને વાંચવા તો દો. તેમાં એ તમામ હકીકતો જણાવાઈ છે જે ડોકલામમાં ઘટી હતી. આ પુસ્તક આર્મી જનરલ નરવણેએ જ લખ્યું છે.  બસ આ વાત પર રાજનાથ સિંહ ભડક્યા અને તેમણે કહ્યું કે જો નરવણેને લાગતું હતું કે રોક લગાવાઈ છે તો તેઓ કોર્ટ જઈ શકતા હતા. તેઓ કોર્ટ કેમ ન ગયા? રાહુલ ગાંધીએ કહ્યું કે ચીનના ટેન્ક કૈલાશ રેન્જ પર ચઢી રહ્યા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન સામે પણ હોબાળો થવા લાગ્યો હતો. 

રાહુલ ગાંધીનું ભાષણ શરુ થતાં જ રાજનાથ સિંહ વારંવાર ઊભા થયા 

ચીનની ઘૂસણખોરી મુદ્દે રાહુલ ગાંધીએ સંબોધન શરુ કરતાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ઊભા થઈ ગયા હતા. તેમણે કહ્યું હતું કે, જે માહિતી પ્રકાશિત ન થઈ હોય તેનો ઉલ્લેખ તમે અહીં ન કરી શકો. જે બાદ કોંગ્રેસના સાંસદોએ ભારે વિરોધ કરતાં કહ્યું કે હજુ રાહુલ ગાંધીએ બોલવાનું શરુ જ કર્યું છે. 

રાહુલ ગાંધી પૂર્વ આર્મી ચીફના પુસ્તકના આધારે ઉલ્લેખ કરવા માંગતા હતા 

રાહુલ ગાંધી આર્મીના જનરલ નરવણેના પુસ્તક અંગે નિવેદન આપવા માંગતા હતા. જોકે રાજનાથ સિંહ વારંવાર ઊભા થઈને વિરોધ કરતાં રહ્યા અને કહ્યું કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? જો પ્રકાશિત ન થઈ હોય તો તમે સંસદમાં ન બોલી શકો. 

કેન્દ્રીય મંત્રીઓએ વારંવાર રાહુલ ગાંધીનો વિરોધ કર્યો

રાજનાથ સિંહે આક્રોશમાં કહ્યું કે, તમે જે પુસ્તકની વાત કરો છો તે પ્રકાશિત થઈ જ નથી. જે બાદ કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે, આ માહિતી મેગેઝીનમાં આવી ગઈ છે. સંસદમાં અગાઉ પણ મેગેઝીનના ક્વોટ બોલવામાં આવ્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઊભા થઈને કહ્યું કે, તમે સ્પષ્ટતા કરો કે આ પુસ્તક પ્રકાશિત થઈ છે કે નહીં? મેગેઝીન તો કશું પણ લખી શકે છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે, હું માત્ર 5 જ વાક્ય બોલવા માંગુ છું જેમાં પૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ નરવણેએ PM મોદી અને રાજનાથ સિંહ વિશે વાતો કહી છે. 

જે બાદ સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સંસદની કાર્યવાહી સાથે જોડાયેલી ન હોય તેવી પુસ્તકનો કોઈ ઉલ્લેખ અહીં ન કરી શકો. 

અખિલેશ યાદવે રાહુલ ગાંધીને ટેકો આપ્યો, ડૉ. લોહિયાનો ઉલ્લેખ કર્યો 

રાહુલ ગાંધીએ એક મેગેઝિનના લેખને ટાંકીને વાત કરી. આનાથી ટ્રેઝરી બેન્ચમાંથી પણ હોબાળો થયો. સંરક્ષણ મંત્રીએ વાંધો ઉઠાવતાં કહ્યું કે તેમને આવું કરવાની મંજૂરી ન આપવી જોઈએ. ચીનના મુદ્દાને સંવેદનશીલ ગણાવતા અખિલેશ યાદવે કહ્યું કે જો કોઈ સૂચન રાષ્ટ્રીય હિતમાં હોય, તો વિપક્ષના નેતાએ તે વાંચવું જોઈએ. ડૉ. લોહિયાથી મુલાયમ સિંહ યાદવ સુધીના ઉદાહરણો આપતા અખિલેશે કહ્યું કે આપણે ચીન સામે સાવધ રહેવું જોઈએ. 

સંસદની કાર્યવાહી ફરી શરૂ થતાં ફરી હોબાળો

લોકસભા સ્થગિત થયા બાદ 3 વાગ્યે ફરી શરૂ થઈ. રાહુલ ગાંધીએ કહ્યું કે, આ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. ચીનની સેનાની 4 તોપ કૈલાશ રેન્જમાં ઘૂસણખોરી કરી રહી હતી…. રાહુલ ગાંધી આટલું બોલ્યા એવામાં રાજનાથ સિંહ ઊભા થયા અને કહ્યું કે, વિપક્ષ નેતા આ વાત ક્યાંથી કહી રહ્યા છે? આ કાલ્પનિક વાતો છે. આ સમગ્ર દેશને ભ્રમમાં નાંખી રહ્યા છે. આમને બોલતા રોકવા જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, 31 ઓગસ્ટ, 2020ના રોજ ચીનની સેનાઓ ભારતમાં ઘૂસી રહી હતી… 

રાહુલ ગાંધી આટલું બોલ્યા ત્યાં લોકસભામાં ફરીથી હોબાળો શરૂ થયો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, તમે માત્ર રાષ્ટ્રપતિના અભિભાષણ પર જ બોલો. આ જ નિયમ છે. 



Next Post
અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો! | chabahar po…

અમેરિકાના દબાણમાં આવીને ભારત ઈરાનમાં મોટી ભૂલ કરી રહ્યું હોવાનો દાવો, ચીનને મળશે મોકો! | chabahar po...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

Recent News

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…
GUJARAT

મમતા બેનરજીના ભત્રીજાની સંપત્તિઓ પર ફરશે બુલડોઝર? લિસ્ટ સાથે અલ્ટિમેટમ અપાતા રાજકીય ગરમાવો | KMC Iss…

KMC Issues Notice to Abhishek Banerjee: લોકસભા સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજીની મિલકતો સામે મોટી કાર્યવાહી...

Read more

‘આર્થિક સંકટ માથે છે અને PM ઈટાલીમાં ચોકલેટ વહેંચે છે…’, રાહુલ ગાંધીના આક્રમક પ્રહાર | pm modi ita…

રેલવેમાં વધતી જતી આગની ઘટનાઓ પર ચોંકાવનારો ખુલાસો, મુસાફરોને સતર્ક રહેવા અપીલ | Indian Railways Shoc…

ઓઇલ ગેસની ચિંતા વચ્ચે હોર્મુઝમાં ભારત મોટું પગલું ભરવાની તૈયારીમાં, ઈન્ડિયન નેવીએ કમર કસી! | India P…

ટ્વિશા શર્માના મોતનું રહસ્ય… જજ ફેમિલીની દહેજની માંગ, જિમ્નાસ્ટિક બેલ્ટ અને વોટ્સએપ ચેટની આંટીઘૂંટ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In