• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, July 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…

satyasamachar by satyasamachar
January 22, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
અમારા પ્રતિબંધ છતાં ગેરકાયદે ખાણકામ ચિંતાજનક, ખતરનાક હાલ થશે : સુપ્રીમ | Despite our ban illegal min…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


– અરવલ્લીની 100 મીટરની કેન્દ્રની વ્યાખ્યાનો હાલ અમલ નહીં થાય

– રાજસ્થાનના કુંભલગઢ અભયારણ્યની આસપાસ એક કિમી સુધીનો વિસ્તાર ઇકો-સેન્સિટિવ ઝોન જાહેર કરાયો

નવી દિલ્હી : અરવલ્લી પર્વતમાળાની નવી પરિભાષા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી હતી, આ સમગ્ર મામલે બુધવારે સુનાવણી થઇ હતી, સુપ્રીમ કોર્ટે પોતે લગાવેલા આ સ્ટેને યથાવત રાખ્યો છે. આ ઉપરાંત રાજસ્થાનના કુંભલગઢ વન્યજીવ અભયારણ્યની આસપાસના વિસ્તારના એક કિમી સુધીના વિસ્તારને ઇકો-સેંસિટિવ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. તેથી ત્યાં કોઇ પણ બાંધકામ કે ખોદકામ મંજૂરી વગર નહીં થઇ શકે.

કેન્દ્ર સરકાર દ્વારા અરવલ્લી પર્વતમાળાને લઇને ૧૦૦ મીટરની જે વ્યાખ્યા નક્કી કરવામાં આવી હતી તેને અંગાઉ સુપ્રીમ કોર્ટે મંજૂરી આપી હતી, જોકે બાદમાં રાજસ્થાન સહિતના પ્રભાવિત વિસ્તારોમાં આ નિર્ણયનો ઉગ્ર વિરોધ થયો હતો, તેથી સુપ્રીમ કોર્ટે પોતાના જ નિર્ણય પર સુઓમોટો સુનાવણી કરી હતી અને સ્ટે મુકી દીધો હતો. આ સ્ટે હાલ પણ યથાવત રહેશે તેવી સ્પષ્ટતા સુપ્રીમ કોર્ટે કરી છે. સુનવાણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ સુર્યકાંતે એડિશનલ સોલિસિટર જનરલને કહ્યું હતું કે આ સમગ્ર મામલે કેટલાક ગંભીર મુદ્દા પર સુપ્રીમ કોર્ટ દ્વારા ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે સહયોગ કરવો જોઇએ. 

રાજસ્થાનના ખેડૂતો તરફથી હાજર વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે સુપ્રીમના ૨૦૨૪ના આદેશ બાદ પણ રાજસ્થાનમાં ખનન માટે મંજૂરી અપાઇ રહી છે. સાથે જ વૃક્ષો પણ કપાઇ રહ્યા છે. જેના પર મુખ્ય ન્યાયાધીશે આક્રામક ટિપ્પણી કરતા કહ્યું હતું કે અમારો આદેશ બિલકુલ સ્પષ્ટ છે, દુઃખ સાથે કહેવુ પડે છે કે હાલ પણ ખનન અને ભ્રષ્ટાચાર યથાવત છે. રાજ્ય સરકારે આ મુદ્દે કાર્યવાહી કરવી પડશે અને ગેરકાયદે ખનને રોકવુ જ પડશે, ગેરકાયદે ખનન એક ગુનો છે. અરવલ્લી જેવા સંવેદનશીલ પર્યાવરણીય વિસ્તારોમાં કોઇ પણ પ્રકારનું નરમ વલણ ભવિષ્યની પેઢી અને તેમના અધિકારો પર સીધી અસર પાડશે. અમારા આદેશ છતા ગેરકાયદે ખનન યથાવત છે, જો તેને રોકવામાં ના આવ્યું તો હાલાત વધુ ખરાબ થશે.  

સુપ્રીમ કોર્ટે એક કમિટી બનાવવાનો નિર્ણય લીધો છે સાથે જ કેટલાક આદેશ જારી કર્યા છે, સુપ્રીમે કહ્યું છે કે કોર્ટ મિત્ર અને સરકાર પર્યાવરણ, વન અને ખનન નિષ્ણાતોના નામ સુચવે, આ નિષ્ણાતોની કમિટી સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કામ કરશે, રાજસ્થાન સરકાર સુનિશ્ચિત કરે કે ગેરકાયદે ખનનને તુરંત જ રોકવામાં આવશે. આગામી આદેશ સુધી ડિસેમ્બરમાં નવી વ્યાખ્યા પર રોકનો જે આદેશ આપવામાં આવ્યો હતો તે યથાવત રહેશે. સુપ્રીમ કોર્ટે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે વન અને અરવલ્લી બન્નેની પરિભાષાઓ અલગ અલગ રાખવામાં આવશે. વનની પરિભાષા વ્યાપક રહેશે જ્યારે અરવલ્લીને સિમિત મર્યાદામાં રાખવામાં આવશે. એમિકસ ક્યૂરી કે પરમેશ્વરને સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલે ચાર સપ્તાહની અંદર વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવા આદેશ આપ્યો છે. હવે આ સમગ્ર મામલે ચાર સપ્તાહ બાદ વધુ સુનાવણી કરવામાં આવશે.

Next Post
સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire o…

સરહદે કેમેરા લગાવી રહેલા ભારતીય જવાનો પર પાક.નો બેફામ ગોળીબાર | Pakistan opens indiscriminate fire o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Recent News

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં...

Read more

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In