Jammu-Kashmir News : જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોહ સિન્હાએ દેશના ગદ્દારો અને આતંકવાદીઓ ગંભીર ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, દેશ વિરુદ્ધ ગદ્દારી કરનારાઓ અને આતંકવાદીઓને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં નહીં આવે. તેમણે દેશની સુરક્ષા બગાડનારા તત્ત્વોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે, સુરક્ષા એજન્સીઓ આતંકવાદ સંબંધી તમામ કેસોની ગંભીરતાથી તપાસ કરી રહી છે, જો કોઈપણ દોષિતો પકડાશે તો તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે પ્રતિબંધ હોવાનું જણાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વચન આપ્યું છે કે, કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સન્માન અને સુરક્ષા સાથે પરત લાવવામાં આવશે.
કાશ્મીરી પંડિતોને સન્માન-સુરક્ષા સાથે પરત લવાશે
જમ્મુ-કાશ્મીર યુનિવર્સિટીના રાજેન્દ્ર સિંહ સભાગારમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ઉપરાજ્યપાલ મનોહ સિન્હા (LG Manoj Sinha)એ કહ્યું કે, ‘કાશ્મીર પંડિતોને સન્માન સાથે ઘરે પરત લાવાવ માટે કેન્દ્ર સરકાર પ્રતિબંધ છે. વડાપ્રધાને કાશ્મીરી પંડિતોને સંપૂર્ણ સુરક્ષા અને સન્માન સાથે ઘરવાપરી કરાવવાનું વચન આપ્યું છે. આપણી ધરતી પર અજાણ્યા બની જવું તે વિશ્વના સૌથી મોટા દુઃખોમાંથી એક છે. હું કાશ્મીરી પંડિતોના તે દર્દને અનુભવી રહ્યો છું, જેમાં 1989-90માં તેમણે રાતોરાત પોતાના ઘરો છોડવા પડ્યા હતા. હું કાશમીરી પંડિતોની જબરદસ્ત ભાવનાને સલામ કરું છું. કાશ્મીરી પંડિતોને પરત લાવવા માટે માઈગ્રન્ટ વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ તે લોકો માટે હતું, જેમની જમીન પર કબજો કરવામાં આવ્યો હતો.’
‘આતંકીઓએ હજારો નિર્દોશ કાશ્મીરી મુસલમાનોની હત્યા કરી’
તેમણે વધુમાં કહ્યું કે, ‘યુવા પેઢીઓએ તે ક્યારેય ભુલવું ન જોઈએ કે, પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ હજારો નિર્દોશ કાશ્મીરી મુસલમાનોની હત્યા કરી છે. આમાંથી કેટલાક કિસ્સાઓ હૃદયદ્વારક હોય છે, જેમને યાદ કરીએ તો બોલતા પણ ખચકાટ થાય છે. ગત વર્ષથી તે પરિવારોને ન્યાય મળવાનો શરૂ થયો છે અને તેઓને જરૂરી ચીજવસ્તુઓ અને રોજગારી આપવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
આ પણ વાંચો : મેઘાલયમાં ફૂટબોલ રમતાં શિલોંગના સાંસદને હાર્ટ એટેક આવતા કરુણ મોત, રાજકારણમાં શોકનો માહોલ
કલમ-370 નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો : મનોજ સિન્હા
મનોજ સિન્હાએ કહ્યું કે, ‘ઓગસ્ટ-2019માં કલમ-370 નાબુદ થયા બાદ વિશ્વાસ ઉભો થયો છે કે, કાશ્મીરી પંડિત સમાજની યુવા પેઢી કોઈપણ ડર વગર પોતાના ઘરે પરત ફરી શકે છે. વર્ષ 2019થી જમ્મુ-કાશ્મીર મોટા વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. અહીંના લોકોએ પોતાના સપના અને કિસ્મતને બરબાદ કરવાના દુશ્મનોના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યો છે. સરકારે અનેક પ્રયાસો કર્યા બાદ તેઓની જમીનની જૂની શાન પરત લવાઈ છે અને વિકાસ ઝડપી થયો છે. સરકાર ટૂંક સમયમાં આ જમીનને આતંકવાદના ખતરાથી મુક્ત કરાવશે.’
આતંકવાદ સંબંધિત તમામ ઘટનાઓ સામે આવશે
એલજીએ કહ્યું કે, ‘આતંકવાદ સાથે સંકળાયેલી તમામ ઘટનાઓનો સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. પ્રજાના સપનાને બરબાદ કરનારાઓને આકરો જવાબ અપાશે. આતંકવાદ સાથે જોડયેલા તમામ તત્વોની એવી હાલત કરાશે, એવી સજા અપાશે કે આતંકનો ઈકો સિસ્ટમ પણ રહેમની ભીખ માગવા લાગશે. અમે આતંકવાદ ફેલાવનારા આતંકવાદીઓ અને મદદગારોને ક્યારે માફ ન કરી શકીએ.
આ પણ વાંચો : બર્ફિલા પ્રદેશોમાં ફરવાના શોખીન ગુજરાતીઓને ઝટકો, હિમાચલમાં એન્ટ્રી ફી વધારાઇ














