• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders

satyasamachar by satyasamachar
February 2, 2026
in INDIA, INDIA
Reading Time: 7 mins read
A A
0
F&Oના ટ્રેડરો પર અનપેક્ષિત STTનો ડોઝ | Unexpected STT dose on F&O traders
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More


મુંબઈ : નાણા પ્રધાન નિર્મલા સીતારામન જાણે કે શેર બજારના વર્ગથી નારાજ હોય એમ દરેક સમયે શેર બજારના ટ્રેડરો, ઈન્વેસ્ટરોને નારાજ કરતા રહી આ વખતે પણ દુ:ખદ આશ્ચર્ય સર્જયું છે. યુવા વર્ગને બરબાદીના માર્ગ પર લઈ જતાં અટકાવવાના એકમાત્ર સંભવિત શુભઈરાદાથી ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ ( એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં કરાયેલા તીવ્ર વધારો એફ એન્ડ ઓ ટ્રેડરો માટે ઓવરડોઝ સાબીત થવાના પ્રત્યાઘાતે આજે શેર બજારની તબિયત લથડી ગઈ હતી.

નાણા વર્ષ ૨૦૨૬-૨૭ માટેના કેન્દ્રિય બજેટમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામને એફ એન્ડ ઓ સોદા પરના એસટીટીમાં એકઝાટડે ૧૦૦થી ૧૫૦ ટકાનો વધારો ઝીંક્યો છે. ફયુચર્સ સોદા પરનો એસટીટી ૦.૦૨ ટકાથી વધારીને ૦.૦૫ ટકા કર્યો છે. જ્યારે ઓપ્શન્સ પ્રીમિયમ અને ઓપ્શન એક્સરસાઈઝ પરના એસટીટી દરને વધારીને ૦.૧૫ ટકા કરવાની જોગવાઈ કરી છે. અત્યારે પ્રીમિયમ પર એસટીટી ૦.૧૦ ટકા અને ઓપ્શન એક્સરસાઈઝ પર ૦.૧૨૫ ટકા એસટીટી લાગુ છે.

કેન્દ્ર સરકારને એક તરફ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી) થકી રૂ.૭૮,૦૦૦ કરોડ એકત્ર થવાનો અંદાજ હતો, જો કે બજારની ડામાડોળ સ્થિતિના કારણે વાસ્તવિક એક્ત્રિકરણનો અંદાજ ઘટીને હવે રૂ.૫૭,૦૦૦ કરોડ જેટલો મૂકાઈ રહ્યો છે. સમીક્ષકોના મતે એસટીટીમાં વધારાથી કેન્દ્ર સરકારને આવક વધવાને બદલે ઘટવાની શકયતા હવે જોવાઈ રહી છે.

એસટીટીમાં વધારાના પરિણામે એક તરફ સ્ટોક એક્સચેન્જો બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) તેમ જ કોમોડિટી એક્સચેન્જ મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર થતાં ટ્રેડિંગ વોલ્યુમમાં મોટો ઘટાડો થવાનો અને એના પરિણામે એક્સચેન્જોની આવક ઘટવાનો અંદાજ છે. જ્યારે બીજી બાજુ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં જંગી ટ્રેડિંગ વોલ્યુમ ધરાવતા બ્રોકિંગ હાઉસો એન્જલ વન, ગ્રો, ઝેરોધા, મોતીલાલ ઓસ્વાલ, કોટક સિક્યુરિટીઝ સહિતની આવકને ફટકો પડવાના નેગેટીવ પરિબળે આજે આકરાં પ્રત્યાઘાત બજારમાં પડયા હતા.

ઉલ્લેખનીય છે કે, સેબીના જાન્યુઆરી ૨૦૨૬ના બુલેટીન મુજબ ઈક્વિટી ડેરિવેટીવ્ઝ માર્કેટમાં ડિસેમ્બર ૨૦૨૫માં માસિક ધોરણે ઈક્વિટી ફયુચર્સ અને ઓપ્શન્સ પ્રીમિયમના સરેરાશ દૈનિક ટર્નઓવર (એડીટી)માં એનએસઈ પર ૧૧ ટકાનો ઘટાડો અને બીએસઈ પર ૮ ટકાનો ઘટાડો નોંધાયો છે.

 જો કે, વાર્ષિક તુલના ડિસેમ્બર ૨૦૨૪ની સરખામણીએ ઓપ્શન્સ  પ્રીમિયમ માટે એડીટીમાં ૧૧ ટકાનો વધારો અને ઈક્વિટી ફયુચર્સ માટે એડીટીમાં પાંચ ટકાનો વધારો નોંધાયો છે. સરેરાશ દૈનિક ટર્નઓવર પણ ડેરિવેટીવ્ઝ સેગ્મેન્ટમાં ઘટીને રૂ.૨૮૦ લાખ કરોડનું નોંધાયું હતું, જે જૂન ૨૦૨૩ના ૪૪૨ લાખ કરોડની તુલના સૌથી નીચું નોંધાયું હતું. માસિક ધોરણે ડિસેમ્બર ૨૦૨૫ મહિનામાં નવેમ્બરની તુલનાએ ટ્રેડિંગ વોલ્યુમમાં ૩૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

બજારના નિષ્ણાંતોના મતે એક તરફ ટ્રેડિંગ વોલ્યુમમાં ઘટાડો થઈ રહ્યો છે, એવામાં નાણા મંત્રીએ ફયુચર્સ એન્ડ ઓપ્શન્સ (એફ એન્ડ ઓ)માં સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ (એસટીટી)માં તીવ્ર વધારો કર્યો છે, જે બજારના સેન્ટીમેન્ટને વધુ ખરાબ કરશે અને શેર બજારોમાં ઈક્વિટીમાં ટ્રેડિંગ વોલ્યુમમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો થવાની અને એના પરિણામે સરકારની એસટીટીની આવકમાં પણ ઘટાડો થવાની પૂરી શકયતા રહેશે.

છેલ્લા આઠ નાણા વર્ષમાં એસટીટીની આવક 

નાણા વર્ષ

એક્ત્રિકરણ

–

(રૃ.કરોડમાં)

૨૦૧૮-૧૯

રૃ.૧૧,૫૨૮

૨૦૧૯-૨૦

રૃ.૧૨,૩૭૪

૨૦૨૦-૨૧

રૃ.૧૬,૯૨૭

૨૦૨૧-૨૨

રૃ.૨૩,૧૯૧

૨૦૨૨-૨૩

રૃ.૨૪,૯૬૦

૨૦૨૩-૨૪

રૃ.૩૩,૭૭૮

૨૦૨૪-૨૫

રૃ.૫૫,૦૦૦

*૨૦૨૫-૨૬

રૃ.૭૮,૦૦૦

* અંદાજીત (સિક્યુરિટીઝ ટ્રાન્ઝેકશન ટેક્ષ)

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord…

બજેટમાં ગુજરાતને પાકિસ્તાન સાથેની જળ-જમીન સરહદે સુરક્ષા માટે 5266 કરોડની ફાળવણી | Budget Boosts Bord...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

Recent News

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught
GUJARAT

૧૧ દુકાનોના તાળા તોડનાર ચોર ટોળકી પકડાતી નથી | Gang of thieves who broke into 11 shops go uncaught

વડોદરા,હાથીખાના વિસ્તારમાં  ત્રાટકેલી ચોર ટોળકીએ એક સાથે ૧૧ દુકાનોના તાળા તોડી ૧૧  લાખથી વધુની ચોરી ગઇ હતી. જે ટોળકીને પકડવા...

Read more

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In