• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…

satyasamachar by satyasamachar
June 10, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
અમદાવાદ શહેરની ચોંકાવનારી હકીકત : એક વર્ષમાં પીવાના પાણીની 17000થી વધુ ફરિયાદ | Ahmedabad Water Cris…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

Load More


Ahmedabad Water Crisis: અગાઉના સમયમાં રાજાઓ અને તેના ઉચ્ચ અધિકારીઓ વેશપલટો કરીને પ્રજાજનો અને નગરની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે નીકળતા હતા. પરંતુ આજના રાજકારણીઓ અને અધિકારીઓને એસી ગાડીની નીચે પગ મૂકવો ગમતો નથી. તેના કારણે સામાન્ય પ્રજાની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની હાલત આજે એટલી હદે કથળી છે કે, લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળી રહ્યું નથી. જે શહેરમાંથી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી ચૂંટાયેલા હોય, ત્યાં પીવાના દૂષિત પાણીની વર્ષે 17 હજારથી વધુ ફરિયાદો સામે આવી રહી છે.

મુખ્યમંત્રીના વિસ્તારમાં દૂષિત પાણીથી 1,000થી વધુ લોકો બીમાર

મુખ્યમંત્રીના વિસ્તાર ઘાટલોડિયામાં ગત સપ્તાહે પીવાના દૂષિત પાણીથી એક હજારથી વધુ શહેરીજનો બીમાર પડ્યા હતા. ગઈકાલે શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં વિફરેલા લોકોએ અધિકારીઓની બેદરકારીથી કંટાળીને મ્યુનિ.ની ટીમને રીતસર બંધક બનાવી લીધી હતી. આ બંને ઘટનાઓ બાદ પણ અમદાવાદના સત્તાધીશો અને અધિકારીઓએ કોઈ નક્કર એક્શન પ્લાન તૈયાર કર્યો નથી. 

ઐતિહાસિક કોટ વિસ્તારમાં ઘરે-ઘરે દૂષિત પાણી

અમદાવાદની ઐતિહાસિક ધરોહર જ્યાં સચવાયેલી છે, તેવા કોટ વિસ્તારમાં આજે પણ ઘરે ઘરે પીવાનું દૂષિત પાણી આવે છે. આડેધડ ખોદકામ અને ડ્રેનેજ-પાણીની લાઈનોના અણઘડ આયોજનના કારણે શહેરના નવા વિકસેલા વિસ્તારોમાં પણ હવે દૂષિત પાણીની સમસ્યા પેદા થઈ છે. પશ્ચિમમાં ઘાટલોડિયાથી માંડીને શેલા સુધી આ પ્રશ્ન વકર્યો છે. 

એક જ વર્ષમાં પાણીની કુલ 74,242 ફરિયાદોનો ગંભીર આંકડો

મળતી વિગતો અનુસાર અમદાવાદ શહેરમાં પીવાના પાણીને લગતી કુલ 74,242 ફરિયાદો છેલ્લા એક વર્ષ દરમિયાન નોંધાઈ છે. જેમાં 17,847 ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી! અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરના નવ નિયુક્ત મેયર અને મ્યુનિ. કમિશનર નિયમિત રીતે રસ્તા અને બ્રિજના કામોના નિરીક્ષણ માટે જાય છે, તે સારી બાબત છે. પરંતુ પીવાના પાણી જેવા ગંભીર પ્રશ્ન સહિતની પ્રાથમિક સુવિધાઓની ચકાસણીમાં ઉદાસીન જોવા મળી રહ્યા છે.

દૂષિત પાણીની 17,847 ફરિયાદોથી મચ્યો હાહાકાર

જેમાં 17,847 ફરિયાદો દૂષિત પાણીને લગતી હતી! અત્રે ઉલ્લેખનિય છે કે અમદાવાદ શહેરના નવ નિયુક્ત મેયર અને મ્યુનિ. કમિશનર નિયમિત રીતે રસ્તા અને બ્રિજના કામોના નિરીક્ષણ માટે જાય છે, તે સારી બાબત છે. પરંતુ પીવાના પાણી જેવા ગંભીર પ્રશ્ન સહિતની પ્રાથમિક સુવિધાઓની ચકાસણીમાં ઉદાસીન જોવા મળી રહ્યા છે.

અમદાવાદનું રાજકીય નેતૃત્વ

અમદાવાદ શહેર ગુજરાતના રાજકારણનું એક મુખ્ય કેન્દ્ર છે, જ્યાં ખુદ મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી જેવા પદો ધરાવતું મજબૂત રાજકીય નેતૃત્વ છે. આ ઉપરાંત, શહેરમાં 3 સંસદ સભ્ય, 12 ધારાસભ્ય, પ્રદેશ ભાજપ પ્રમુખ અને 192 જેટલા મ્યુનિસિપલ કાઉન્સિલરોની વિશાળ ફોજ પ્રજાના પ્રતિનિધિ તરીકે કાર્યરત છે. આટલું સક્ષમ અને ઉચ્ચ સ્તરીય રાજકીય પીઠબળ હોવા છતાં, શહેરના નાગરિકો આજે પણ પીવાના શુદ્ધ પાણી જેવી અત્યંત પ્રાથમિક અને પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે, જે આટલા મોટા શાસક અને વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કરે છે.

આ પણ વાંચો: વીજ લાઈન નિર્માણ પ્રશ્ને ખેડૂતોએ રસ્તા પર ઉતરી હાઈવે પર ચકકાજામ કરતા લાઠીચાર્જ

વિપક્ષ જવાબદારીમાં નિષ્ફળ

અમદાવાદ મ્યુનિ.માં લાંબા સમયથી વિપક્ષ તરીકે ભૂમિકા ભજવી રહેલા કોંગ્રેસના કાઉન્સિલરો વારે-તહેવારે માત્ર હાકલા-પડકારા કરીને સંતોષ માની બેસી જાય છે. લોકોને પીવાના પાણી માટે રીતસર વલખાં મારવા પડી રહ્યા છે. આ સ્થિતિમાં લાંબા સમયની અસરકારક લડત આજ સુધીમાં વિપક્ષે આપી નથી. સત્તાધીશો કામ ન કરતા હોય ત્યારે પ્રજા વતી અવાજ રજૂ કરવાની જવાબદારી વિપક્ષની છે. આ જવાબદારીમાં કોંગ્રેસના કાઉન્સિલરો નિષ્ફળ નીવડ્યા છે.

એક વર્ષમાં પાણીને લગતી ફરિયાદો

ફરિયાદનો પ્રકાર સંખ્યા
દૂષિત પાણી 17,847
પાણી નથી આવતું 26,754
લો-પ્રેશર 7,852
લાઇન લિકેજ 18,998
અન્ય 2,791
Next Post
મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita…

મમતા બેનરજીને એક અઠવાડિયામાં બીજો મોટો ઝટકો, વધુ એક દિગ્ગજ સાંસદનું રાજીનામું | TMC Crisis: Sushmita...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Recent News

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં...

Read more

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In