• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કાં તો વિધાનસભાનો જવાબ ખોટો કાં તો જિલ્લા ભાજપ પ્રમુખ ખોટાં | Either the assembly’s answer is wrong …

satyasamachar by satyasamachar
March 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કાં તો વિધાનસભાનો જવાબ ખોટો કાં તો જિલ્લા ભાજપ પ્રમુખ ખોટાં | Either the assembly’s answer is wrong …
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

Load More


તલાટી મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેવી બે વર્ષમાં એક જ ફરિયાદ  : સરકારે વિધાનસભામાં દાવો કર્યો કે તલાટી હાજર રહેતા નથી તેવી કોઈ ફરિયાદ નથી : બીજી તરફ ભાજપ પ્રમુખે રજૂઆત કરી કે ગામડામાં તલાટીઓ હાજર રહેતા નથી

 જૂનાગઢ, : જૂનાગઢ જિલ્લામાં 500થી વધુ ગ્રામ પંચાયતોમાંથી માત્ર 124 ગ્રામ પંચાયતોમાં જ તલાટી મંત્રીઓને આવાસની વ્યવસ્થા છે. જ્યારે સરકારે વિધાનસભામાં દાવો કર્યો છે કે,  ગામડામાં તલાટી મંત્રી ઉપલબ્ધ ન રહેતા હોવાની માત્ર એક ફરિયાદ મળી છે. જેની સામે બીજી તરફ આજે ખુદ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ જ કલેકટરને રજૂઆત કરી છે કે ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રી સમયસર હાજર રહેતા નથી અને રેવન્યુ તલાટી પણ હાજર રહેતા નથી, તાત્કાલિક આ અંગે યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે. આમ ભાજપની સરકારનો વિધાનસભામાં જવાબ તથા ભાજપ પ્રમુખની તે જ મુદ્દે ફરિયાદ ચર્ચાનો મુદ્દો બન્યો છે.

હાલમાં વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદરના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે રાજ્યના તલાટી મંત્રીઓ તેના મથક પર રહી શકે તે માટે પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ બાંધી આપવાની સવલત આપવામાં આવે છે કે કેમ તેના જવાબમાં સરકારે હા પાડી હતી. તા.31-1-2026 ની સ્થિતિએ જૂનાગઢ જિલ્લામાં તાલુકા વાર કેટલા ગામમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસની સવલત ઉપલબ્ધ છે તેના જવાબમાં સરકારે દાવો કર્યો કે જૂનાગઢ જિલ્લાના નવ તાલુકામાં કુલ ૧૨૪ પંચાયતમાં પંચાયત ઘર કમ તલાટી મંત્રી આવાસ ઉપલબ્ધ છે. આવાસની સુવિધા હોવા છતાં તલાટી મંત્રી પોતાના મથક ઉપર રહેતા ન હોવા અંગે તાલુકાવાર છેલ્લા બે વર્ષમાં ફરિયાદો મળી છે કે કેમ તેના જવાબમાં સરકારે સ્પષ્ટતા કરી કે એકમાત્ર વંથલી તાલુકાના સુખપુર ગામની ફરિયાદ મળી છે ત્યાં જર્જરીત મકાન હોવાથી તલાટી મંત્રી હાજર રહેતા નથી અને નવા મકાન બનાવવા માટેની દરખાસ્ત કરી છે.

જ્યારે બીજી તરફ આજે જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ કલેકટરને રજૂઆત કરી છે કે, જૂનાગઢ જિલ્લાના ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ પોતાના ગામમાં સમયસર હાજર રહેતા નથી અને રેવન્યુ મંત્રી પણ હાજર રહેતા નથી. આવી સ્થિતિના કારણે લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. તાત્કાલિક આ અંગે યોગ્ય નિરાકરણ કરવા રજૂઆત કરી છે. આમ વિધાનસભામાં જણાવાયું હતું કે તલાટી મંત્રી ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી તેવી બે વર્ષમાં એક જ ફરિયાદ આવી છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખે જ સરકારના દાવાનો છેદ ઉડાડી દીધો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે ગામડાઓમાં તલાટીઓ હાજર રહેતા નથી. આ મુદ્દા પરથી કાં તો સરકારનો વિધાનસભામાં આપેલો જવાબ ખોટો છે કાં તો જિલ્લા ભાજપ પ્રમુખની રજૂઆત ખોટી છે તેવું સ્પષ્ટ સાબિત થાય છે.

Next Post
સગીરાને લઇ ભાગી ગયેલો આરોપી મોરબી જિલ્લામાંથી ઝડપાયો | Accused who ran away with minor arrested from…

સગીરાને લઇ ભાગી ગયેલો આરોપી મોરબી જિલ્લામાંથી ઝડપાયો | Accused who ran away with minor arrested from...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

Recent News

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…

Gujarat HC verdict: ગુજરાત હાઇકોર્ટે નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતના આધારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં...

Read more

દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

મિત્રનો ઝઘડો છોડાવવા વચ્ચે પડેલા વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘૂસાડ્યું, અમદાવાદના ઈસનપુરમાં સેવન્થ ડે …

24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા | inter…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In