• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

satyasamachar by satyasamachar
April 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

Load More


Gujarat High Court Verdict: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ કામદારનું મૃત્યુ તેની નોકરી કે વ્યવસાયને કારણે ન થયું હોય, તો તેના પરિવારને વળતર મળી શકે નહીં. કોર્ટના જણાવ્યા મુજબ, ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ આર્થિક લાભો મેળવવા માટે એ સાબિત કરવું જરૂરી છે કે મૃત્યુ પાછળનું કારણ નોકરી દરમિયાન થયેલી કોઈ ઈજા અથવા કામના કારણે લાગેલી કોઈ ગંભીર બીમારી છે. જો કામ અને બીમારી વચ્ચે આવું કોઈ સીધું જોડાણ જોવા ન મળે, તો કામદારના આશ્રિતો વળતર માટે હકદાર ગણાશે નહીં.

ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વનો ચુકાદો: ESI એક્ટ હેઠળ વળતરના નિયમોમાં સ્પષ્ટતા

ગુજરાત હાઈકોર્ટે ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ વળતર મેળવવા અંગે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કામદારનું મૃત્યુ નોકરી દરમિયાન થાય, તો પણ તેના પરિવારને વળતર ત્યારે જ મળી શકે જો એ સાબિત થાય કે મૃત્યુનું કારણ નોકરી દરમિયાન થયેલી કોઈ ઈજા અથવા કામના કારણે થયેલી બીમારી છે. આ ચુકાદામાં જસ્ટિસ જે.સી. દોશીએ હાર્ટ એટેકથી મૃત્યુ પામનાર એક કામદારની વિધવાને વળતર આપવાના ઈએસઆઈ કોર્ટના અગાઉના હુકમને રદબાતલ જાહેર કર્યો છે.

બીમારી અને કામ વચ્ચેનું જોડાણ સાબિત કરવું પડશે

કોર્ટનું માનવું છે કે માત્ર નોકરીના સ્થળે હાજર હોવાને કારણે કે કુદરતી કારણોસર થયેલા મૃત્યુ બદલ વળતરનો દાવો કરી શકાય નહીં. વળતર મેળવવા માટે એ પુરવાર કરવું અનિવાર્ય છે કે જે તે બીમારી અથવા ઈજા સીધી રીતે રોજગાર કે કામના બોજ સાથે જોડાયેલી હતી. જો કામ અને બીમારી વચ્ચેનું આ જોડાણ પુરાવા સાથે સાબિત ન થાય, તો આશ્રિતોને મળતા આર્થિક લાભો આપી શકાય નહીં. આ ચુકાદો ભવિષ્યમાં કામદારોના વળતરના કેસોમાં કાયદાકીય અર્થઘટન માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થશે.

મૃત્યુ અને નોકરી વચ્ચે સીધો સંબંધ હોવો જરૂરી

ગુજરાત હાઈકોર્ટે આ કેસની વિગતો તપાસતા જણાવ્યું કે, કામદારના મૃત્યુ અને તેની નોકરી વચ્ચે સીધો સંબંધ હોવો જરૂરી છે. આ કિસ્સામાં, મૃતક રમણભાઈ પટેલના પત્ની એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા કે તેમના પતિનું મૃત્યુ નોકરી દરમિયાન ઉદ્ભવેલી કોઈ બીમારી કે ઈજાને કારણે થયું હતું. કાયદાકીય રીતે, જ્યાં સુધી એ પુરવાર ન થાય કે મૃત્યુનું કારણ વ્યવસાયિક રોગ અથવા કામ દરમિયાન થયેલી ઈજા છે, ત્યાં સુધી ઈએસઆઈ(ESI) એક્ટ હેઠળ મળવાપાત્ર આર્થિક લાભો કે વળતર આશ્રિતોને આપી શકાય નહીં.

તબિયત વધુ લથડતા કામદારનું સારવાર દરમિયાન મોત

કેસની વિગત મુજબ, રમણભાઈ બજાજ પ્રોસેસર્સમાં ફીટર મિકેનિક તરીકે ફરજ બજાવતા હતા. 6 સપ્ટેમ્બર, 2004ના રોજ બીજી શિફ્ટમાં કામ કરતી વખતે અચાનક તેમની તબિયત લથડી હતી. તેમને છાતી અને પેટમાં દુખાવો થતા તેઓ વિભાગના એક ખૂણામાં આરામ કરવા સૂઈ ગયા હતા. જોકે, હાઈકોર્ટે નોંધ્યું કે આ સંજોગોમાં કામના કારણે જ તબિયત બગડી હોય તેવા કોઈ નક્કર પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જેના કારણે તેમને કોઈ નિર્ભરતા લાભો મળી શકે તેમ નથી.

આ પણ વાંચો: શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્

તબિયત વધુ બગડતા કામદારને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ હાર્ટ એટેક હોવાનું સામે આવ્યું હતું. આ ઘટના બાદ મૃતકની વિધવાએ આર્થિક વળતર મેળવવા માટે ઈએસઆઈ(ESI) કોર્પોરેશનમાં અરજી કરી હતી, પરંતુ ત્યાંથી તેમની માંગણી નકારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ઈએસઆઈ કોર્ટના દ્વાર ખખડાવ્યા, જ્યાં તેમને સફળતા મળી અને કોર્ટે વળતર મંજૂર કરવાનો હુકમ કર્યો.

ગુજરાત હાઈકોર્ટમાં પડકાર

જોકે, ઈએસઆઈ કોર્ટના આ નિર્ણયને ઈએસઆઈ કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં કમનસીબી એ રહી કે આર્થિક રીતે નબળા હોવાને કારણે વિધવા કોઈ મોટા અને નિષ્ણાત વકીલની સેવા લઈ શક્યા નહીં. જો કોઈ કુશળ વકીલ હોત, તો કદાચ કાયદાનું અર્થઘટન એવી રીતે કરી શક્યા હોત કે જે હાઈકોર્ટના જસ્ટિસને તર્કબદ્ધ રીતે સમજાવી વળતર અપાવવામાં મદદરૂપ થઈ શકેત.


કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો 2 - image

Next Post
શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

Recent News

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …
GUJARAT

ગોંડલ નજીક બસ પલટી: બે મહિલાના મોત, 62 શ્રદ્ધાળુમાંથી 5ની હાલત નાજુક | Gondal Bus Accident: 2 Women …

Gondal Bus Accident: રાજકોટના ગોંડલ નજીક સોમવારે વહેલી સવારે એક અત્યંત કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો છે. પુરષોત્તમ માસના પવિત્ર અવસરે...

Read more

શેઠની શીખામણ ઝાંપા સુધી… અમદાવાદમાં કુલ વસતીના માત્ર 11% લોકો જ જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે | Only…

ઇરાન સાથે યુદ્ધ વિરામ સમજૂતી લગભગ સધાઈ ગઇ છે પરંતુ હોર્મુઝ અંગે અનિશ્ચિતતા હજી રહી છે | Ceasefire ag…

ભારત અને અમેરિકાની ટ્રેડ ડીલ પર ટૂંક સમયમાં અંતિમ મહોર | India US trade deal to be finalized soon

જવાનની માએ હાથ ગૂમાવ્યો, ન્યાય માટે 50 જવાન કમિશનર ઓફિસ પહોંચ્યા | Soldier’s mother loses hand 50 so…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In