• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…

satyasamachar by satyasamachar
March 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ | Girnar Ambaji T…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

Load More


Girnar Ambaji Temple: અંબાજી મંદિરમાં દારૂ અને નોનવેજની પાર્ટી અંગેની તપાસ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, આ સમગ્ર ઘટના ગત તા. 22-10-2025 ના રોજ બની હોવાનો ખુલાસો થયો છે.

આ મામલે ભવનાથ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે:

1. ધાર્મિક લાગણી દુભાવવાનો ગુનો.

2. મંદિરમાં પ્રતિબંધિત દારૂ અને નોનવેજની પાર્ટી કરવાનો ગુનો.

3. મંદિરમાં આવતા દાનની રકમમાં ગેરરીતિ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો ગુનો.

આ ગુનાઓ દાખલ કરાવવા માટે મામલતદાર પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ કૃત્યમાં સંડોવાયેલા તમામ લોકો અંબાજીના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના અનુયાયીઓ છે.

પૂજારીના પુત્ર અને મિત્રો સહિત 6 શખ્સોએ પવિત્રતા દુભાવી

ગિરનાર પર સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરની કલંકિત ઘટના અંગેની તપાસ પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. તેમણે કલેક્ટરને સુપરત કરેલા રિપોર્ટને જાહેર કરતા કલેક્ટર અનિલ રાણાવાસીયાએ જણાવ્યું કે, તપાસમાં બે અલગ-અલગ ગંભીર ઘટનાઓ સામે આવી છે:

1. દારૂ-નોનવેજની પાર્ટી: પૂજારી કિશોર ચૌહાણના સ્થાને તેમનો પુત્ર અભિષેક પૂજા માટે અંબાજી મંદિરે રોકાયો હતો. તે સમયે તેણે પોતાના મિત્રોને બોલાવી મંદિરમાં દારૂ અને નોનવેજની પાર્ટી કરી હતી. કુલ 6 વ્યક્તિઓએ મંદિરના ગોખમાં દારૂ પીધો હતો અને ત્યારબાદ મંદિરના ભંડારામાં નોનવેજ ખાધું હોવાનું ખુલ્યું છે.

2. દાનની રકમની ચોરી: સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવાઓ પરથી જણાયું છે કે, પૂજારી સિવાયના અન્ય બિનઅધિકૃત વ્યક્તિઓ ત્યાં સેવા-પૂજા કરતા હતા. આ વ્યક્તિઓ મંદિરની દાનપેટી પર કપડું કે વાસણ રાખી શ્રદ્ધાળુઓને તેમાં દાન ધરવા માટે કહેતા હતા અને તે રકમ પોતે લઈ લેતા હતા. તપાસ દરમિયાન તેઓ આ રકમ મંદિર ટ્રસ્ટમાં જમા કરાવી હોવાના કોઈ પુરાવા રજૂ કરી શક્યા નથી.

આ સમગ્ર મામલે સિટી મામલતદાર(વહીવટદાર) દ્વારા બે ફરિયાદો અને એક ખાનગી વ્યક્તિ દ્વારા ધાર્મિક લાગણી દુભાવવા અંગેની ફરિયાદ મળીને કુલ ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવી છે.

મંદિરે સીડી મારફત દારૂ અને નોનવેજ પહોંચ્યું હતું 

દારૂની આ પાર્ટી માટે છગન ડાભી નામનો વ્યક્તિ રોપ-વે અથવા સીડી મારફતે દારૂ અને નોનવેજ લઈને મંદિર પહોંચ્યો હતો. ત્યાં અભિષેક કિશોરસિંહ ચૌહાણ, તેના બે સગીર મિત્રો, છગન ડાભી, નિખિલ મેઘનાથી અને જીજ્ઞેશ ડાભીએ મળીને દારૂ તથા નોનવેજની પાર્ટી કરી હતી.

આ તમામ શખ્સો સામે હાલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, જ્યારે આ પ્રતિબંધિત વસ્તુઓ સીડી મારફતે ઉપર લઈ જવામાં આવી, ત્યારે ત્યાં ચેકિંગમાં કયા કર્મચારીઓ હાજર હતા, તે અંગે પણ તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ

મંદિરમાંથી પાંચ શખ્સો નાણાંનો ગફલો કરતા હતા

મંદિરની દાનપેટીમાં આવતી ભેટની રકમમાં ગેરરીતિ કરવા બદલ યોગેશગીરી, દુષ્યંતગીરી, દેવગીરી, કુંદનગીરી અને ભરતનાથ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સો સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને મંદિર ટ્રસ્ટની રકમ બારોબાર લઈ લેવા બદલ જૂનાગઢ શહેર મામલતદાર અને મંદિરના વહીવટદાર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આ તમામ પૂજારીઓએ અનઅધિકૃત રીતે મંદિરમાં પૂજા કરી હતી અને શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનની રકમમાં ગફલો કર્યો હતો.

ઘટનાની જાણ હોવા છતાં મૌન રહેનારા સ્ટાફ સામે કડક કાર્યવાહી

અંબાજી મંદિરમાં તા. 29-11-2024થી વહીવટદારનું શાસન અમલમાં આવ્યું છે. મંદિરમાં નવ પૂજારી, એક પીઆરઓ(PRO), એક રસોયો અને એક સફાઈ કામદાર મળીને કુલ 12 કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવતો હતો. મંદિરમાં દારૂ-નોનવેજની પાર્ટી અને દાનની રકમની ઉચાપત જેવી ગંભીર ઘટનાઓની જાણ હોવા છતાં, અન્ય કર્મચારીઓએ આ અંગે કોઈ જાણ કરી ન હતી. આ બેદરકારી બદલ શિસ્તભંગના પગલાં રૂપે તમામ 12 કર્મચારીઓને ફરજ પરથી છૂટા કરી દેવામાં આવ્યા છે.


ગિરનાર પર પૂર્વ મહંતના અનુયાયીઓ દ્વારા જ દારૂ-નોનવેજની પાર્ટી કરાઈ હતી, 3 FIR દાખલ 2 - image

Next Post
ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb…

ગાંધીનગર વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ફફડાટ, 9 વાગ્યાની બેઠક મોકૂફ | gujarat assembly bomb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

Recent News

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …
GUJARAT

માંડલના ઉઘરોજ ગામે શક્તિ માતાની પરંપરાગત માંડવી, લોકમેળો યોજાયો | Traditional Mandvi of Shakti Mata …

‘જય શક્તિ‘ ના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠયું બળદોદ્વારા રથ ખેંચવાની રાજાશાહી પરંપરા આજે પણ અકબંધ, મંદિર શીખર ઉપર ધ્વજારોહણ કરાયું...

Read more

ધ્રાંગધ્રામાં અંધારામાં રાખી 4 શખ્સે ખેડૂત પાસેથી જમીન પડાવી લીધી | 4 men snatched land from farmer …

સુરેન્દ્રનગરની 1355 આંગણવાડીની 2710 બહેનો હડતાલ પર ઉતરશે | 2710 sisters from 1355 Anganwadis in Sure…

સાણંદના વિરોચનનગર પાસે ટ્રીપલ અકસ્માત, 2 યુવકો જીવતા ભૂંજાયા | Triple accident near Virochannagar Sa…

પેટ્રોલ પંપો માટે ક્રેડિટ સવલત સ્થગિત કરાઇ | Credit facility for petrol pumps suspended

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In