• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…

satyasamachar by satyasamachar
June 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ‘સિઝેરિયન’ નું પ્રમાણ વધ્યું, નોર્મલ પ્રસુતિ ભૂતકાળ બની, નેશનલ ફેમિલી હેલ્થ સરવેમાં ખુલાસો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More


C section delivery rates Gujarat: તબીબી ક્ષેત્રે સેવાભાવ મરી પરવાર્યો હોય અને નફાખોરી હાવી થઈ ગઈ હોય તેવા ચોંકાવનારા આંકડા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણમાં સામે આવ્યા છે. રાજ્યમાં કુદરતી અને નોર્મલ ડિલિવરી કરાવવાને બદલે ઓપરેશન (સિઝેરિયન) કરીને બાળકોને જન્મ આપવાનું પ્રમાણ ચિંતાજનક હદે વધી ગયું છે. ખાસ કરીને સરકારી હોસ્પિટલોની સરખામણીમાં ખાનગી હોસ્પિટલો માટે પ્રસુતિ હવે જાણે તબીબી પ્રક્રિયા રહી નથી પરંતુ કમાણીનું માધ્યમ બન્યું હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 29 ટકા સિઝેરિયન

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-6ના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં સરેરાશ 29 ટકા બાળકો હવે સિઝેરિયન દ્વારા જન્મી રહ્યા છે. અગાઉના સર્વેમાં આ પ્રમાણ 21 ટકા હતું, જે દર્શાવે છે કે ટૂંકા ગાળામાં જ ઓપરેશનના કેસોમાં 8 ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે ગર્ભવતી મહિલાઓને નોર્મલ ડિલિવરી માટે પ્રોત્સાહિત કરવાને બદલે સીધી સર્જરી ટેબલ પર જ ધકેલી દેવામાં આવે છે. 

શહેરી વિસ્તારોની ચિંતાજનક સ્થિતિ

આ સર્વેક્ષણમાં શહેરી વિસ્તારોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. શહેરોમાં સિઝેરિયનનું પ્રમાણ 40.6 ટકા સુધી પહોંચી ગયું છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં આ પ્રમાણ 21.7 ટકા છે. શહેરોમાં વધતી ભાગદોડ અને તબીબોની ઉતાવળ અથવા વધુ આર્થિક લાભ મેળવવાની લાલચે આ પરિસ્થિતિ સર્જી છે.

આ પણ વાંચો: ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું

ગામડાની ખાનગી હોસ્પિટલોમાં પણ દૂષણ

સર્વેના આંકડાઓએ ખાનગી હોસ્પિટલો સામે જાણે શંકાની આંગળી ચિંધી દીધી છે. શહેરોની પ્રાઇવેટ હોસ્પિટલોમાં પ્રસુતિ માટે આવતી દર બે મહિલાઓમાંથી એક મહિલા એટલે કે 49.4 ટકા બાળકો સિઝેરિયનથી જન્મે છે. ગામડાની ખાનગી હોસ્પિટલોમાં પણ આ દૂષણ ફેલાઈ ચૂક્યું છે, જ્યાં 32 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. મેડિકલ સાયન્સના નિયમો મુજબ માત્ર કટોકટીની સ્થિતિમાં જ સિઝેરિયન કરવાનું હોય છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં દરેક કેસ કટોકટીનો જ બતાવીને દર્દીના પરિવારના ખિસ્સા ખંખેરવામાં આવે છે તેવું દર્દીઓ અનુભવી રહ્યા છે.

સરકારી હોસ્પિટલોમાં સિઝેરિયનના દરમાં 3 ટકાનો વધારો

નવાઈની વાત એ છે કે મફત કે નજીવા દરે સારવાર આપતી સરકારી હોસ્પિટલોમાં પણ હવે નોર્મલ ડિલિવરીનો ગ્રાફ ઘટ્યો છે. શહેરોની સરકારી હોસ્પિટલોમાં 24.4 ટકા અને ગામડાની સરકારી હોસ્પિટલોમાં 11.7 ટકા બાળકો ઓપરેશનથી જન્મે છે. સરકારી તંત્રમાં સ્ટાફની અછત અથવા જવાબદારીમાંથી છૂટવાની નીતિ આ માટે જવાબદાર હોઈ શકે છે. સરકારી હોસ્પિટલમાં ઓપરેશનથી જન્મતા બાળકોના દરમાં 3 ટકાનો વધારો થયો છે.

વધુ કમાણી અને સમય બચાવવા ઓપરેશનનો આગ્રહ

ડૉક્ટરને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, પણ આ આંકડા જોયા પછી સામાન્ય માણસનો વિશ્વાસ ડગી જાય તે સ્વાભાવિક છે. નોર્મલ ડિલિવરીની પીડા સહન કરવાની દર્દીની ક્ષમતા ખૂટી જાય તે પહેલાં જ, ડૉક્ટરો વધુ કમાણી અને સમય બચાવવા માટે ઓપરેશનનો આગ્રહ રાખે છે. પ્રસુતાના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ચિંતા કર્યા વગર માત્ર આર્થિક ફાયદા માટે થતા સિઝેરિયન સામે હવે સરકારે કડક ઓડિટ પદ્ધતિ લાવવી જરૂરી બની ગઈ છે. જો ખાનગી હોસ્પિટલોની આ લૂંટ પર લગામ નહીં કસાય, તો આવનારી પેઢીઓ કુદરતી રીતે જન્મ લેવાનું જ ભૂલી જશે.

આ પણ વાંચો: રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ

ગુજરાતમાં સિઝેરિયનથી જન્મતા બાળકોની સ્થિતિ

શહેરોમાં : 40.6 ટકા

ગામડામાં : 21.7 ટકા

રાજ્યમાં કુલ : 29 ટકા

ખાનગી હોસ્પિટલોમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 49.4 ટકા

ગામડામાં : 32 ટકા

કુલ : 39.8 ટકા

સરકારી હોસ્પિટલમાં સિઝેરિયનનું પ્રમાણ

શહેરોમાં : 24.4 ટકા

ગામડામાં : 11.7 ટકા

કુલ : 15.6 ટકા

Next Post
રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V…

રાજકોટમાં બાબા બાગેશ્વર ફરી વિવાદમાં, દિવ્ય દરબારમાં ધૂણતી મહિલાનો VIDEO વાઈરલ થતાં આક્રોશ | Viral V...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In