• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit c…

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘જય’ના આપઘાત કેસમાં દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરીએ હલ્લાબોલ, અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ | Dalit c…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

Load More


– ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થીના આપઘાતના 12 દિવસ બાદ પણ આરોપીઓની ધરપકડ નહીં

– 17 ફેબુ્રઆરીએ હાઈકોર્ટમાં આરોપીઓની સ્ટે અરજી ઉપર સુનાવણી હોવાથી પોલીસ ધરપકડ કરવાનું ટાળી રહી હોવાનો આક્ષેપ : આજે રોડ બ્લોક કરી ચક્કાજામ કરી વિરોધ કરવાની ચીમકી

નડિયાદ : નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાતને ૨ અઠવાડિયા જેટલો સમય વીતવા છતાં આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે. ગુરૂવારે મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ અને પીડિત પરિવારે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતા. ૨૪ કલાકના અલ્ટીમેટમ બાદ પણ કાર્યવાહી શૂન્ય રહેતા હવે સમાજે ‘ન્યાય નહીં તો આંદોલન’ના મંત્ર સાથે અચોક્કસ મુદ્દતના ધરણાં શરૂ કર્યા છે અને આજે શુક્રવારે જિલ્લાભરમાં ચક્કાજામની ચીમકી ઉચ્ચારી છે.

નડિયાદની ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ‘જય પાટીલ’ના આપઘાત મામલે ગુરૂવારે ખેડા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રણસંગ્રામ જેવી સ્થિતિ જોવા મળી હતી. ઘટનાના ૧૨ દિવસ બાદ પણ મુખ્ય આરોપીઓ પોલીસની પકડથી દૂર હોવાથી દલિત સમાજમાં પ્રશાસન પ્રત્યેનો ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા આંદોલનકારીઓએ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ ધામા નાખીને ‘જાતિવાદ સે આઝાદી’ અને ‘પોલીસ પ્રશાસન મુર્દાબાદ’ના નારાઓ લગાવ્યા હતા. સમાજના અગ્રણીઓએ પોલીસની કામગીરી સામે અધિક કલેક્ટરને રજૂઆત કરતા આક્ષેપ કર્યો હતો કે, પોલીસ તંત્ર જાણી જોઈને આરોપીઓને કાયદાકીય છટકબારી શોધવાનો સમય આપી રહ્યું છે. જ્યારે સામાન્ય નાગરિક સામે ગુનો નોંધાય ત્યારે ત્વરિત ધરપકડ કરતી પોલીસ, આ કેસમાં ૫થી વધુ આરોપીઓના નામ એફઆરઆઈમાં હોવા છતાં કેમ ‘તપાસ ચાલુ છે’ નું રટણ કરી રહી છે? સ્મિત નામના શખ્સે ‘જય પાટીલ’ને કેનાલ પાસે ૩૦ લોકોના ટોળાં સામે જે રીતે અપમાનિત કર્યોે અને કોલેજના પ્રિન્સિપાલ અને પ્રોફેસરોએ તેને કેરિયર ખતમ કરી નાખવાની જે ધમકી આપી, તે સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ હોવા છતાં તંત્ર મૌન કેમ છે?

આંદોલનકારીઓએ રાજકીય દબાણ અને છાવરવાના આક્ષેપા સાથે આશંકા વ્યક્ત કરી છે કે, કોલેજ સંચાલકોના વગદાર સંપર્કોેને કારણે પોલીસ પર દબાણ હોઈ શકે છે. ૧૭ તારીખે હાઈકોર્ટમાં આરોપીઓની સ્ટે અરજી પર સુનાવણી થવાની છે, તે પહેલા પોલીસ ધરપકડ કરવાનું ટાળી રહી હોવાથી પીડિત પરિવારમાં અન્યાયની લાગણી પ્રબળ બની છે. સામાજિક કાર્યકરોએ ચેતવણી આપી છે કે, જો ૨૪ કલાકમાં આરોપીઓની ધરપકડ નહીં થાય તો આ લડત માત્ર નડિયાદ પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડશે.

આજે શુક્રવારે ન્યાયની માંગણી સાથે દલિત સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે, શુક્રવારના રોજ નડિયાદ શહેર સહિત જિલ્લાના મુખ્ય ધોરીમાર્ગોે પર ‘ચક્કાજામ’ કરવામાં આવશે. વાહનવ્યવહાર રોકીને તંત્રને જગાડવાનો આ પ્રયાસ હશે. કલેક્ટર કચેરીની બહાર હાલમાં આમરણાંત ઉપવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે, જેમાં વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા છે. જ્યાં સુધી આરોપીઓ જેલના સળિયા પાછળ નહીં જાય ત્યાં સુધી આ લડત ચાલુ રાખવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

– કોલેજે લાલ લીટો મારવાની ધમકી આપી : અગ્રણી

આ સમગ્ર મામલે દલિત સમાજના અગ્રણી અશોક રાઠોડે જણાવ્યંુ હતું કે, ‘જય’ તેના માતા-પિતાનો એકનો એક દિકરો હતો. કોલેજે તેના પરિણામ પર ‘લાલ લીટો’ મારી દેવાની ધમકી આપી માનસિક રીતે તોડી નાખ્યો હતો. ૪ તારીખે ફરિયાદ થઈ હોવા છતાં ખેડા જેવો સાક્ષર જિલ્લો આરોપીઓને પકડવામાં નિષ્ક્રિય છે તે શરમજનક છે.

– આપઘાત પ્રકરણનો ઘટનાક્રમ

૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ : ‘દિનશા પટેલ નર્સિંગ કોલેજ’ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલે આત્મહત્યા કરી

૩૧ જાન્યુઆરી – ૨ ફેબુ્રઆરી, ૨૦૨૬ : પરિવાર અને સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે વિરોધ પ્રદર્શન, સ્યુસાઈડ નોટના આધારે તપાસની માંગ

૦૪ ફેબુ્રઆરી, ૨૦૨૬ : નડિયાદ ટાઉન પોલીસ મથકે કોલેજના પ્રિન્સિપાલ, પ્રોફેસરો અને સ્મિત નામના શખ્સ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆરઆઈ દાખલ કરાઈ

૦૮ ફેબુ્રઆરી, ૨૦૨૬ : આરોપીઓની ધરપકડ ન થતા દલિત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ૨૪ કલાકનું અલ્ટીમેટમ અપાયું

૧૧ ફેબુ્રઆરી, ૨૦૨૬ : આરોપીઓએ ધરપકડથી બચવા હાઈકોર્ટમાં સ્ટે મેળવવા અરજી કરી, જેની મુદત ૧૭ ફેબુ્રઆરીએ નક્કી થશે, સમાજ દ્વારા કલેક્ટર કચેરી બહાર પ્રતિક ધરણાં શરૂ

૧૨ ફેબુ્રઆરી, ૨૦૨૬ : કલેક્ટર કચેરીમાં હોબાળો, આમરણાંત ઉપવાસની જાહેરાત અને ૧૩ ફેબુ્રઆરીએ જિલ્લામાં ‘ચક્કાજામ’ની ચીમકી

Next Post
સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed t…

સ્વામી દયાનંદે કુરિવાજો દૂર કરી વેદોનાં માધ્યમથી ઉન્નતિનો માર્ગ દર્શાવ્યો | Swami Dayanand removed t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

Recent News

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …
GUJARAT

Explainer: મોંઘવારીનો ડબલ ડોઝ, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સામાન્ય લોકોના બજેટ પર શું અસર થશે | …

Retail Inflation India 2026 : દેશમાં પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં સતત થઈ રહેલો વધારો માત્ર વાહનચાલકો પૂરતો સીમિત નથી,...

Read more

Explainer: ફ્રાન્સની સ્કૂલોમાં 100થી વધુ બાળકોના શોષણથી ખળભળાટ, જાણો શું છે ‘સ્કૂલ મોનિટર્સ’ કૌભાંડ …

સત્તા ગુમાવતા જ મમતા બેનર્જી વિરુદ્ધ FIR દાખલ : લાગ્યા ગંભીર આરોપ | Mamata Banerjee FIR Registered S…

પંચમહાલ: ફુલેકું બાબતે બોલાચાલી, કાકાના દીકરાઓએ ત્રણ બાળકના પિતાને ‘જાન’થી મારી નાખ્યો!, લગ્નના ગીતો…

ખેડૂતો માટે ખુશખબર! ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી, 9 જિલ્લાઓમાં મેઘરાજાની થશે મહેર | Gujarat Weathe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In