![]()
Tata Trust Historic Rule Change : ટાટા જૂથની લોકકલ્યાણકારી સંસ્થા ટાટા ટ્રસ્ટે રવિવારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. ટ્રમ્પે ‘બાઈ હીરાબાઈ જમશેદજી ટાટા નવસારી ચેરિટેબલ ઈન્સ્ટિટ્યુશન’ના ટ્રસ્ટી બનવાના વર્તમાન વિવાદાસ્પદ નિયમોમાં ફેરફાર કરવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. વર્તમાન નિયમ મુજબ માત્ર પારસીઓને જ ટ્રસ્ટી બનાવાતા હતા, જોકે નવા નિયમ મુજબ હવે બિન-પારસી વ્યક્તિઓને ટ્રસ્ટી બનાવી શકાય તે માટે ટ્રસ્ટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
ટ્રમ્પના પૂર્વ ટ્રસ્ટીની ફરિયાદ બાદ વિવાદ
થોડા દિવસો પહેલા ટ્રમ્પના પૂર્વ ટ્રસ્ટી મેહલી મિસ્ત્રીએ મહારાષ્ટ્ર ચેરિટી કમિશનરને ફરિયાદ નોંધાવી હતી. ટ્રસ્ટના બોર્ડમાં દિગ્ગજ ઉદ્યોગપતિ વેણુ શ્રીનિવાસન અને પૂર્વ સંરક્ષણ સચિવ વિજય સિંહને સામેલ કરાતા મિસ્ત્રીએ વાંધો ઉઠાવીને તેને ગેરકાયદે ગણાવ્યું હતું. તેમનું માનવું હતું કે, ટ્રમ્પના મૂળ નિયમો મુજબ ટ્રસ્ટમાં માત્ર પારસી ધર્મના અનુયાયી અને તેઓ મુંબઈના રહેવાસી હોવા જોઈએ. જોકે શ્રીનિવાસન અને વિજય સિંહ બંને આ નિયમોમાં નથી, તેથી જ મિસ્ત્રીએ વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો.
ટ્રસ્ટની બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય
વિવાદ વધ્યા બાદ 17 એપ્રિલ-2026ના રોજ ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાની અધ્યક્ષતામાં બોર્ડની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રસ્ટીઓએ કહ્યું કે, ટાટા સમૂહનો પાયો સર્વસમાવેશક અને બિનસાંપ્રદાયિક મૂલ્યો પર ટિકેલો છે. ત્યારપછી ટ્રસ્ટે સત્તાવાર કહ્યું કે, ટ્રસ્ટના નિયમોમાંથી વિસંગતતાઓ દૂર કરવા અને નિયમોને ટાટા ટ્રસ્ટના આદર્શો મુજબ બનાવવા માટે, ટ્રસ્ટીઓએ યોગ્ય સત્તાધિકારી સમક્ષ પ્રતિબંધાત્મક કલમોમાં ફેરફાર કરવાની કાર્યવાહી અપનાવવાનો નિર્ણય લીધો છે.
નિયમ 1916 વિ. નિયમ 1923
ટાટા ટ્રસ્ટનું કહેવું છે કે, ‘સર રતન ટાટાની વસીયત હેઠળ 1916માં બાઈ હીરાબાઈ ટ્રસ્ટનું નિર્માણ થયું હતું, જેમાં ધર્મ કે જાતિના આધારે આવો કોીપણ પ્રતિબંધ ન હતો. જોકે 1923માં ટ્રસ્ટમાં સામેલ ટ્રસ્ટીઓએ નવી ડીડ બનાવી આવા પ્રતિબંધો જોડી દીધા હતા. ટ્રસ્ટનું માનવું છે કે, તેઓ માત્ર મૂળ સંસ્થાપકની વિચારધારાને પાછી લાવી રહ્યા છે.
આ પણ વાંચો : ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ















