• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…

satyasamachar by satyasamachar
June 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘દાનની ચોરી તો થઈ છે, મોદી-યોગી બંને સરકારો સવાલોના ઘેરામાં..’, બ્રિજભૂષણ ખુલીને સામે આવ્યા | Brij B…
0
VIEWS
Share on FacebookShare on Twitter



Brij Bhushan Sharan Singh Ayodhya: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. શરૂઆતમાં આ મુદ્દે મૌન ધારણ કરનાર બ્રિજભૂષણે હવે મોટું નિવેદન આપતાં સ્વીકાર્યું છે કે દાન ચોરીના આરોપોમાં સચ્ચાઈ છે, કારણ કે ‘ધૂંધવાયા વગર ધુમાડો નીકળતો નથી’. 

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે અયોધ્યાના રામ ભક્તો જ ચોરીના આરોપ લગાવી રહ્યા હોય ત્યારે સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ મામલામાં તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને પર નિશાન સાધતાં કહ્યું કે, હવે આંગળી માત્ર ટ્રસ્ટ તરફ નહીં, પરંતુ બંને સરકારો તરફ પણ ઊઠી રહી છે. જોકે, તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને આ વિવાદમાં સંપૂર્ણપણે નિર્દોષ ગણાવીને ક્લીન ચિટ આપી છે.

રામ મંદિર આંદોલન સાથે મારું લોહી વહેલું છે: પૂર્વ સાંસદ

નવાબગંજ સ્થિત પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમનું વિદ્યાર્થી જીવન અયોધ્યામાં જ વીત્યું છે અને તેઓ રામ મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા આવતા ત્યારે બ્રિજભૂષણને તેમની ગાડી ચલાવવાનો મોકો મળતો હતો. કારસેવકો પર જ્યારે ગોળીબાર થયો, તેના બે મહિના પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં જે 40 લોકોને આરોપી બનાવાયા હતા, તેમાંથી સૌથી પહેલી ધરપકડ બ્રિજભૂષણની થઈ હતી. તેમણે એ સમયના આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા વિનય કટિયારને યાદ કરતાં કહ્યું કે, તેઓ પછાત વર્ગના હોવાને કારણે આંદોલનના તમામ નેતાઓના લાડકા હતા.

આ પણ વાંચો: ‘કોકરોચ’ બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું – ‘તમે પરજીવી છો..’

આંદોલનકારી રામ ભક્તોના સવાલો વ્યાજબી, ટૂંક સમયમાં સત્ય સામે આવશે

બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ ભક્ત સંતોષ દુબે જે સવાલો ઉઠાવી રહ્યા છે તે બિલકુલ સાચા છે. જો આંદોલનના પાયાના લોકો જ આવા સવાલો કરતા હોય, તો સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. રામ મંદિરના દાનમાં ચોરી થઈ હોવાની વાતમાં કંઈક ને કંઈક સચ્ચાઈ જરૂર છે, જેનાથી દેશભરના ભક્તોને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઝટકો વિનય કટિયાર કે મેં નથી આપ્યો, પણ ટ્રસ્ટના લોકોએ આપ્યો છે. જ્યારે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ‘જો હું બોલીશ તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ’, ત્યારે લોકોએ મારી મજાક ઉડાવીને મને ડરપોક કહ્યો હતો. પરંતુ હવે આખો મામલો સરકારના હાથમાં છે અને મને પૂરી આશા છે કે બહુ જલ્દી દેશની જનતા સામે સાચું સત્ય આવી જશે.

અયોધ્યાને જેલખાનું બનાવી દીધું, એટલે જ ભાજપ લોકસભા ચૂંટણી હારી

લોકસભા ચૂંટણીમાં અયોધ્યા અને તેની આસપાસની બેઠકો પર ભાજપની જે હાર થઈ, તેના પર સવાલ ઉઠાવતા બ્રિજભૂષણે પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જો કોઈ મારી પાસે આવે તો હું વિગતવાર સમજાવી શકું કે ભાજપ અહીં કેમ હારી ગયું. અયોધ્યાને જાણે એક જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું, જ્યાં ચારેય બાજુ બેરિકેડિંગ અને રસ્તાઓ પર મોટી દીવાલો ચણી દેવાઈ હતી. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે સંતો-મહંતો સામાન્ય લોકો અને ભક્તોને મળી પણ શકતા ન હતા. ભારે વિરોધ થયો ત્યારે માંડ થોડા બેરિયર હટાવવામાં આવ્યા. અયોધ્યામાં જે કંઈ પણ થયું તે બિલકુલ સારું નથી થયું, અને હવે સરકારે આ આખા મામલાને ગંભીરતાથી લઈને કડક તેમજ નક્કર પગલાં ભરવા જોઈએ.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

Load More



Brij Bhushan Sharan Singh Ayodhya: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનની ચોરીને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે. શરૂઆતમાં આ મુદ્દે મૌન ધારણ કરનાર બ્રિજભૂષણે હવે મોટું નિવેદન આપતાં સ્વીકાર્યું છે કે દાન ચોરીના આરોપોમાં સચ્ચાઈ છે, કારણ કે ‘ધૂંધવાયા વગર ધુમાડો નીકળતો નથી’. 

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે અયોધ્યાના રામ ભક્તો જ ચોરીના આરોપ લગાવી રહ્યા હોય ત્યારે સરકારે તેને ગંભીરતાથી લેવું જોઈએ. આ મામલામાં તેમણે ઉત્તર પ્રદેશની યોગી સરકાર અને કેન્દ્રની મોદી સરકાર બંને પર નિશાન સાધતાં કહ્યું કે, હવે આંગળી માત્ર ટ્રસ્ટ તરફ નહીં, પરંતુ બંને સરકારો તરફ પણ ઊઠી રહી છે. જોકે, તેમણે રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને આ વિવાદમાં સંપૂર્ણપણે નિર્દોષ ગણાવીને ક્લીન ચિટ આપી છે.

રામ મંદિર આંદોલન સાથે મારું લોહી વહેલું છે: પૂર્વ સાંસદ

નવાબગંજ સ્થિત પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતાં બ્રિજભૂષણ શરણ સિંહે ભૂતકાળના દિવસો યાદ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, તેમનું વિદ્યાર્થી જીવન અયોધ્યામાં જ વીત્યું છે અને તેઓ રામ મંદિર આંદોલનમાં ખૂબ જ સક્રિય હતા. જ્યારે લાલકૃષ્ણ અડવાણી અયોધ્યા આવતા ત્યારે બ્રિજભૂષણને તેમની ગાડી ચલાવવાનો મોકો મળતો હતો. કારસેવકો પર જ્યારે ગોળીબાર થયો, તેના બે મહિના પહેલા જ તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. એટલું જ નહીં, વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં જે 40 લોકોને આરોપી બનાવાયા હતા, તેમાંથી સૌથી પહેલી ધરપકડ બ્રિજભૂષણની થઈ હતી. તેમણે એ સમયના આંદોલનના મુખ્ય ચહેરા ગણાતા વિનય કટિયારને યાદ કરતાં કહ્યું કે, તેઓ પછાત વર્ગના હોવાને કારણે આંદોલનના તમામ નેતાઓના લાડકા હતા.

આ પણ વાંચો: ‘કોકરોચ’ બાદ CJIની વધુ એક ટિપ્પણી વિવાદોમાં, સુનાવણી દરમિયાન કહ્યું – ‘તમે પરજીવી છો..’

આંદોલનકારી રામ ભક્તોના સવાલો વ્યાજબી, ટૂંક સમયમાં સત્ય સામે આવશે

બ્રિજભૂષણ સિંહે જણાવ્યું કે, રામ મંદિર આંદોલન સાથે જોડાયેલા રામ ભક્ત સંતોષ દુબે જે સવાલો ઉઠાવી રહ્યા છે તે બિલકુલ સાચા છે. જો આંદોલનના પાયાના લોકો જ આવા સવાલો કરતા હોય, તો સરકારે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ. રામ મંદિરના દાનમાં ચોરી થઈ હોવાની વાતમાં કંઈક ને કંઈક સચ્ચાઈ જરૂર છે, જેનાથી દેશભરના ભક્તોને મોટો ઝટકો લાગ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ ઝટકો વિનય કટિયાર કે મેં નથી આપ્યો, પણ ટ્રસ્ટના લોકોએ આપ્યો છે. જ્યારે શરૂઆતમાં મેં કહ્યું હતું કે ‘જો હું બોલીશ તો મુશ્કેલીમાં મૂકાઈ જઈશ’, ત્યારે લોકોએ મારી મજાક ઉડાવીને મને ડરપોક કહ્યો હતો. પરંતુ હવે આખો મામલો સરકારના હાથમાં છે અને મને પૂરી આશા છે કે બહુ જલ્દી દેશની જનતા સામે સાચું સત્ય આવી જશે.

અયોધ્યાને જેલખાનું બનાવી દીધું, એટલે જ ભાજપ લોકસભા ચૂંટણી હારી

લોકસભા ચૂંટણીમાં અયોધ્યા અને તેની આસપાસની બેઠકો પર ભાજપની જે હાર થઈ, તેના પર સવાલ ઉઠાવતા બ્રિજભૂષણે પ્રશાસન સામે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘જો કોઈ મારી પાસે આવે તો હું વિગતવાર સમજાવી શકું કે ભાજપ અહીં કેમ હારી ગયું. અયોધ્યાને જાણે એક જેલખાનું બનાવી દેવામાં આવ્યું હતું, જ્યાં ચારેય બાજુ બેરિકેડિંગ અને રસ્તાઓ પર મોટી દીવાલો ચણી દેવાઈ હતી. આ સુરક્ષા વ્યવસ્થાને કારણે સંતો-મહંતો સામાન્ય લોકો અને ભક્તોને મળી પણ શકતા ન હતા. ભારે વિરોધ થયો ત્યારે માંડ થોડા બેરિયર હટાવવામાં આવ્યા. અયોધ્યામાં જે કંઈ પણ થયું તે બિલકુલ સારું નથી થયું, અને હવે સરકારે આ આખા મામલાને ગંભીરતાથી લઈને કડક તેમજ નક્કર પગલાં ભરવા જોઈએ.

Next Post
‘કોકરોચ’ બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- ‘તમે પરજીવી છો…’ | you guys a…

'કોકરોચ' બાદ ચીફ જસ્ટિસની વધુ એક ટિપ્પણીથી વિવાદ, સુનાવણીમાં કહ્યું- 'તમે પરજીવી છો...' | you guys a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

Recent News

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…
GUJARAT

મોંઘી બનતી ખાનગી શાળાઓ વચ્ચે સુરત પાલિકાની શાળામાં વધ્યો વિશ્વાસ : ગત વર્ષે 13 હજાર વિદ્યાર્થીઓએ લીધ…

Surat : ખાનગી શાળાઓની ઊંચી ફી અને દર વર્ષે વધતા શૈક્ષણિક ખર્ચે વાલીઓના બજેટની કમર તોડી નાખી છે. તેના સીધા...

Read more

VIDEO: અમદાવાદ ઇન્કમટેક્સ બ્રિજ નીચે યુવક પર જીવલેણ હુમલાનો કેસ, તમામ 5 આરોપીઓ ઝડપાયા | ahmedabad in…

સુરતમાં પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી: લિંબાયતમાં નવો રોડ બેસી જતાં ડમ્પર ફસાયું, કલાકો સુધી ટ્રાફ…

ઉમરગામ પાલિકામાં પાણી, સફાઈ સહિતના મુદ્દે વિપક્ષનો હલ્લાબોલ | Congress creates ruckus in Umargam Mun…

અમદાવાદમાં શેરબજારના નામે કૌટુંબિક મામા સાથે 10 કરોડથી વધુની ઠગાઈ, CA દંપતીની ધરપકડ | ca couple arre…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In