![]()
ભાવનગર જિલ્લામાં કુલ ૨૨૧૩૪ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી
વિ.પ્ર.માં એ-૧ ગ્રેડ સાતે ૮૪, તો સા.પ્ર.માં ૪૩૪ છાત્રોએ મેદાન માર્યું ઃ ગત વર્ષની તુલનાએ વિ.પ્ર.માં ૧.૮૩% અને સા.પ્ર.માં ૦.૦૮% પરિણામ વધ્યું
ભાવનગર, સોમવાર- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ૨૬ ફેબુ્રઆરીથી લેવાયેલ ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ વેબસાઇટ પર આજે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ભાવનગર જિલ્લાનું ધો.૧૨ વિ.પ્ર.નું ૯૨.૬૨% જે ગત વર્ષની સરખામણીએ ૧.૮૩%નો વધારો થયો છે. તો સા.પ્ર.નું પરિણામ ૯૫.૯૦% આવેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૦.૦૮%નો વધારો જણાય છે. જો કે, આજે જાહેર થયેલ પરિણાણ અત્યાર સુધીનું કોરોનાને બાદ કરતા હાઇએસ્ટ પરિણામ આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ જણાયા હતાં.
વિદ્યાર્થીની કારકિર્દીના ઘડતરમાં ધો.૧૨ મહત્વનું સ્થાન ધરાવે છે. જે તેનો ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો છે. હાલના ઝડપી પરિવર્તન સાથે વિદ્યાર્થીઓએ પણ કમર કસી હોવાનું આ જાહેર થતા પરિણામ પરથી સાબિત થાય છે. સમગ્ર વર્ષ દરમિયાન કરેલ અથાગ મહેનતની ફળશ્રુતિ રૃપે મળેલ પરિણામ ઉજ્જવળ ભવિષ્ય માટેની તકોનું નિર્માણ કરે છે. ગઇ તા.૨૬ ફેબુ્રઆરીથી લેવાયેલ ધો.૧૨ વિ.પ્ર. અને સા.પ્ર.નું ઓનલાઇન પરિણામ આજે સવારે ૧૦ના ટકોરે જાહેર કરવામાં આવ્યું હતું જેમાં વિ.પ્ર.માં ભાવનગર જિલ્લામાંથી નોંધાયેલ ૬૦૨૧ વિદ્યાર્થીમાંથી ૬૦૧૨ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે જાહેર થયેલ પરિણઆમ મુજબ એ-૧ ગ્રેડમાં ૬૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. તો એ-૨માં ૭૯૮, બી-૧માં ૧૪૮૯, બી-૨માં ૧૪૪૮, સી-૧માં ૧૦૪૦, સી-૨માં ૬૩૨ અને ડીમાં ૯૯ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જ્યારે ભાવનગર જિલ્લાનું ઓલઅવર પરિણામ ૯૨.૬૫% આવ્યું છે. જે ગત વર્ષે ૯૦.૮૨% હતું. જેમાં ૧.૮૩%નો વધારો જણાયો છે. તો એ-૧ ગ્રેડમાં પણ ૩૫ વિદ્યાર્થીના સ્થાને આ વર્ષે ૨૯ના વધારા સાથે ૬૪ વિદ્યાર્થી એ-૧માં સ્થાન મેળવ્યું છે. જ્યારે બોર્ડ દજ્વારા આજે વિ.પ્ર.ની સાથો સાથ સામાન્ય પ્રવાહનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં નોંધાયેલ ૧૬૧૭૧ વિદ્યાર્થીમાંથી ૧૬૧૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ-૧ ગ્રેડમાં ૪૩૪ વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું. જ્યારે એ-૨ ગ્રેડમાં ૨૨૫૦ છાત્રો, બી-૧માં ૩૨૭૯, બી-૨માં ૩૬૫૬, સી-૧માં ૩૩૫૦, સી-૨માં ૨૧૧૬, ડીમાં ૨૧૧૬ વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. જ્યારે એન.આઇ.માં ૭૧૦ છાત્રો આવ્યા છે. આમ જિલ્લાનું સા.પ્ર.નું એકંદરે પરિણામ ૯૫.૯૦% થવા પામેલ છે. જે ગત વર્ષની સરખામણીએ ૦.૦૮%નો વધારો થવા પામેલ છે. જ્યારે એ-૧ ગ્રેડમાં ગત વર્ષે ૩૨૭ના સ્થાને ૧૦૭ વિદ્યાર્થીના વધારા સાથે ૪૩૪ છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આમ ધો.૧૨નું પરિણામ જાહેર થતા વિદ્યાર્થી-વાલીઓની આતુરતાનો અંત આવ્યો હતો અને દિવસભર એકમેકને ફોન દ્વારા શુભેચ્છાઓ અપાઇ હતી.















