• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પીએનજી કંપનીઓને લાભાલાભ : ગેસના બાટલા નહીં મળે | PNG companies benefit: Gas cylinders will not be av…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

Load More


– જે શહેરોમાં પાઈપલાઈન હશે ત્યાં લોકોએ ત્રણ મહિનામાં ફરજિયાત ગેસ કનેક્શન લેવું પડશે

– નવા પીએનજી કનેક્શન પર સિક્યોરિટી ડિપોઝિટ માફ અને રૂ. 500 સુધી મફત ગેસ, કંપનીઓને સુવિધા વધારવા આદેશ

– હોટેલ, રેસ્ટોરાં ગ્રાહકો પર એલપીજી ચાર્જ નાખશે તો આકરા પગલા લેવામાં આવશે : સરકારના આદેશ

– પેટ્રોલ-ડીઝલની કોઇ જ અછત નથી, અફવાઓમાં આવી જથ્થાબંધ ખરીદી ના કરવાની સરકારની સલાહ

નવી દિલ્હી : ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાનના યુદ્ધને કારણે દેશમાં એલપીજી સંકટની સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. હવેથી જે પણ વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવું ફરજિયાત થઇ ગયું છે. ટૂંક સમયમાં જે પણ વિસ્તારોમાં પીએનજી કનેક્શન શક્ય છે ત્યાં એલપીજી રદ કરી દેવામાં આવી શકે છે. આ સાથે જ સરકારે પીએનજી કનેક્શન માટે રાહતો જાહેર કરી છે જે મુજબ હવેથી સિક્યોરિટી ડિપોઝિટ નહીં આપવી પડે અને ૫૦૦ રૂપિયા સુધી મફત ગેસ મળી રહેશે. 

પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પ્રેસ કોન્ફરંસ કરીને ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની સ્થિતિની ભારત પર અસરો અંગે કેટલીક સ્પષ્ટતાઓ કરી હતી. સાથે જ પીએનજી કનેક્શનને લઇને રાહતો જાહેર કરી છે. નવા પીએનજી કનેક્શન પર કંપનીઓ સિક્યોરિટી ચાર્જ નહીં લે સાથે જ ૫૦૦ રૂપિયા સુધીનો ગેસ ફ્રી આપવામાં આવશે. જોકે આ સુવિધા તમામ ગ્રાહકોને નહીં પણ ૩૧મી માર્ચ સુધી કનેક્શન લેનારાઓને આપવામાં આવશે તેવા અહેવાલો છે. 

બીજી તરફ પીટીઆઇના અહેવાલો મુજબ સરકારે એક આદેશ જારી કરીને જણાવ્યું છે કે જો તમારા વિસ્તારમાં પીએનજી પાઇપ લાઇન ગેસ કનેક્શન હોય તો ટૂંક સમયમાં એલપીજી કનેક્શન બંધ કરી દેવામાં આવશે, ગ્રાહકોને એલપીજીમાંથી પીએનજી તરફ વાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન સંયુક્ત સચિવ સુજાતા શર્માએ વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં પીએનજીની સુવિધા હોય ત્યાં કનેક્શન લેવા માટે ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવશે. ત્રણ મહિનાની અંદર પીએનજી કનેક્શન લઇ લેવાનું રહેશે, જો આમ કરવામાં ગ્રાહકો નિષ્ફળ રહે તો તેમને જે એલપીજી મળી રહ્યો છે તે બંધ કરી દેવામાં આવશે. 

સરકારી ડેટા મુજબ હાલમાં અનેક ઘરો સુધી પીએનજી કનેક્શન પહોંચી ગયા છે, દેશમાં આશરે ૩૩ કરોડ જેટલા ગ્રાહકો છે, જેની પાસે એલપીજી કનેક્શન છે, જ્યારે ૧.૫૭ કરોડ લોકો પાસે પીએનજી કનેક્શન છે, એટલે કે કરોડો લોકો હજુ પણ એલપીજી પર નિર્ભર છે. સરકારની પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ૧૦.૩૫ કરોડ લોકોને કનેક્શન આપવામાં આવ્યા છે. હાલમાં વિવિધ રાજ્યોમાં એલપીજી સિલિન્ડરોની સંગ્રહખોરી વધી રહી છે, એવામાં મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. ૨૪મી માર્ચના રોજ વિવિધ રાજ્યોમાં ૨૭૦૦ જેટલા દરોડા પાડવામાં આવ્યા અને ૨૦૦૦ જેટલા સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે.  

દરમિયાન કેટલાક રેસ્ટોરાં અને હોટેલવાળા ગ્રાહકો પાસેથી એલપીજી ચાર્જ વસુલવા લાગ્યા છે, આવો કોઇ પણ ચાર્જ નહીં વસુલવાની કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ઓથોરિટીએ ચેતવણી જાહેર કરી છે. ઓથોરિટીએ દેશના તમામ રેસ્ટોરાં, હોટેલ, ખાણીપીણીના દુકાનો વગેરે માટે આદેશ જાહેર કર્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે જો ગ્રાહકો પાસેથી એલપીજી કે ફ્યૂઅલ ચાર્જ વસુલવામાં આવ્યો તો આકરા પગલા લેવામાં આવશે.   આ સાથે જ સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલની કોઇ જ અછત નથી, લોકોએ અફવાઓમાં આવીને જથ્થાબંધ ખરીદી ના કરવી તેવી સલાહ આપવામાં આવી છે.

Next Post
પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in …

પાટડી સેવા સદનમાં લાખોના ખર્ચે વસાવેલા વોટર કૂલર બંધ | Water cooler installed at a cost of lakhs in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

Recent News

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન
GUJARAT

ભાવનગર રેલવે મંડળના જૂનાગઢ સ્ટેશન ખાતે સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું આયોજન

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક શ્રી દિનેશ વર્માની પ્રેરણાથી શુક્રવારે જૂનાગઢ રેલવે સ્ટેશન પર ભવ્ય સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું...

Read more

મહાન યોદ્ધા મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મજયંતિની અમદાવાદમાં ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી

PM મોદીની અપીલ બાદ સોનાના ભાવમાં કડાકો! MCX પર કિંમત ગગડી, જાણો લેટેસ્ટ રેટ | gold silver price toda…

SIRથી ભાજપને બંગાળ અને કોંગ્રેસને કેરલમમાં ફાયદો થયો: શશી થરૂરનો ચોંકાવનારો દાવો, ગણિત પણ સમજાવ્યું …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In