વડોદરા,ત્રણ દિવસ પહેલા પોલીસે કરેલી જુગારની રેડની બાતમી આપી હોવાની વાત ફેલાવવાના મુદ્દે ગઇકાલે માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારામારી થઇ હતી. માંજલપુર પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માંજલપુર જ્યુપિટર ચોકડી પાસે મારૃતિધામ સોસાયટીમાં રહેતા શ્રમજીવી નિપુલ સુરેશભાઇ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે હું મારા મિત્ર કેતનભાઇ સોની સાથે મારૃતિધામ નજીક ઊભો હતો. તે દરમિયાન ઉમેશ પાટિલ તથા તેના પિતા કમલેશ લક્ષ્મણભાઇ પાટિલ( બંને રહે. પાર્થભૂમિ, મારૃતિધામ પાસે માંજલપુર) આવયા હતા. કમલેશ પાટિલે મને કહ્યંું કે, તું કેમ ખોટી અફવા ફેલાવે છે કે, જુગાર માટે મેં પોલીસને બાતમી આપી છે.
<a href=
<p>The post પોલીસને જુગારની બાતમી આપવાના મુદ્દે તલવારથી હુમલો first appeared on gandhinagarmetro.com.</p>















