• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, July 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
ફ્યૂઅલ ડ્યૂટી ઘટાડતા સરકાર પર ₹1 લાખ કરોડનો બોજ, પરંતુ ભારતનું અર્થતંત્ર મજબૂતઃ નિર્મલા સીતારમણનો દા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Load More


The 3Fs Focus appeal by Sitharaman: દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા વચ્ચે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું હતું કે, ફ્યૂલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાને કારણે સરકારને આશરે ₹1 લાખ કરોડની આવકનું નુકસાન વેઠવું પડશે. સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) ની 37મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં નાણા મંત્રીએ આ વાત કરી હતી. 

લોકોમાં આત્મવિશ્વાસ જગાડવાની જરૂરિયાત પર ભાર 

નાણા મંત્રીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે  પેટ્રોલ-ડીઝલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં ચાર વાર વધારો કરાયો છે. સોમવારે પેટ્રોલ પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલ પ્રતિ લિટર ₹2.71 મોંઘું થયું છે, જેને કારણે સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ ગયું છે.  આ અંગે નાણા મંત્રી સીતારમણે કહ્યું હતું કે, નકારાત્મક વલણ ધરાવતા કેટલાક લોકો દેશમાં નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ સરકારે શબ્દો અને કામથી લોકોને આત્મવિશ્વાસ આપવો પડશે. સામાન્ય પ્રજા અને ઉદ્યોગોને મોંઘવારીના મારથી બચાવવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર 10 રૂપિયાનો ઘટાડો કરી દીધો છે અને તમામ ભાર સરકારે પોતાના ખભા પર લઈ લીધો છે.  

વૈશ્વિક ઓઈલ પુરવઠા ચેઈનમાં વિક્ષેપ

ઉલ્લેખનીય છે કે, તાજેતરના ભાવવધારા પહેલા સરકારે તેની બળતણ જકાત માળખામાં સુધારો કરીને પેટ્રોલ પરની વિશેષ વધારાની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડીને પ્રતિ લિટર ₹3 કરી હતી અને ડીઝલ પરથી સંપૂર્ણપણે હટાવી દીધી હતી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષને કારણે વૈશ્વિક ઓઈલ ચેઈનમાં સતત વિક્ષેપ પડી રહ્યો છે. ખાસ કરીને હોર્મુઝના જળમાર્ગના આસપાસના તણાવને કારણે ઊર્જા પ્રવાહ પ્રભાવિત થયો છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ સંઘર્ષના કારણે હોર્મુઝ જેવા મહત્ત્વના દરિયાઈ માર્ગ પર ઊર્જા પુરવઠો ખોરવાઈ ગયો છે, જેની અસરો સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. 

‘3 Fs’ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન

પશ્ચિમ અશિયા સંકટને આશરે ત્રણ મહિના થવા આવ્યા છે, ત્યારે નાણા મંત્રીએ  વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારતીય અર્થતંત્ર મજબૂત હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘બદલાતી સ્થિતિમાં ‘3 Fs’ એટલે કે ફ્યૂઅલ (બળતણ), ફર્ટિલાઈઝર (ખાતર) અને ફોરેક્સ (વિદેશી હૂંડિયામણ) પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વડાપ્રધાન મોદીની અપીલ પણ આ જ સંદર્ભમાં હતી. વૈશ્વિક દબાણને કારણે જ ખાતરના ભાવ વધ્યા છે, તો સોનાના ઊંચા ભાવ પણ હુંડિયામણ સહિતના પડકારો સર્જી રહ્યા છે.’

આ પણ વાંચો: દરેક દેશમાં બેવકૂફો હોય છે…!, ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રીના એક નિવેદનથી કેમ મચ્યો હોબાળો?

હાલના પડકારો વૈશ્વિક પરિબળોના કારણે છે 

જાણે ‘બધું કડડભૂસ થઈને તૂટી રહ્યું છે’ તેવી અતિશયોક્તિભરી નકારાત્મકતા ફેલાવનારા લોકોને જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, ‘સામાન્ય લોકો દ્વારા જે કંઈ પણ સારું કામ થઈ રહ્યું છે, તેને ભૂલી જવામાં આવે છે અને એક નિરાશાવાદી, શંકાસ્પદ વાર્તા ઊભી ઘડી કઢાય છે, જે બિલકુલ યોગ્ય નથી. આપણે એ સમજવું જોઈએ કે પડકારો વધુ પ્રમાણમાં બાહ્ય પરિબળોથી પ્રેરિત છે. ભારતની સ્થાનિક આર્થિક સ્થિતિ આજે પણ હકારાત્મક અને સ્થિતિસ્થાપક છે. પશ્ચિમ એશિયા કટોકટી વચ્ચે કેટલાક લોકો દેશની પોતાની સિદ્ધિઓને ઓછી આંકવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે યોગ્ય નથી.’

MSMEs માટે વિલંબિત ચૂકવણીનો મુદ્દો ઉઠાવ્યો

નાણા મંત્રી સીતારમણે નાના ઉદ્યોગોની ચિંતા કરતા જણાવ્યું હતું કે, ‘MSMEs (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) ના અટવાયેલા ₹8.1 લાખ કરોડની વિલંબિત ચૂકવણી તેમની કાર્યકારી મૂડી અને વૃદ્ધિને અસર કરી રહી છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમો (PSUs)ને MSMEs માટે નક્કી કરાયેલી 45 દિવસની સમયમર્યાદામાં ચૂકવણી સુનિશ્ચિત થવી જોઈએ.’ 

Next Post
‘હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો…’, તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M…

'હવે મળીએ કે ન મળીએ, મારી ચિંતા છોડો...', તબિયત લથડતાં પ્રેમાનંદ મહારાજની ભક્તોને અપીલ | Premanand M...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Recent News

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…

જુનાગઢ તા.૧૦મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકારની જિલ્લા સલાહકાર સમિતિની બેઠક કેન્દ્રીય યુવા...

Read more

જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In