• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
બાલ્કનીની ગ્રીલ બની ‘મોતનું કારણ’! દિલ્હી એસી બ્લાસ્ટ કેસમાં બિલ્ડિંગ ડિઝાઈનથી ગયા 9 જીવ | Delhi Viv…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

Load More


Delhi Vivek Vihar Fire Tragedy : દિલ્હીના શાહદરામાં ધનાઢ્ય વિસ્તાર ગણાતા વિવેક વિહારમાં ચાર માળની બિલ્ડિંગમાં રવિવારે વહેલી સવારે કથિત AC બ્લાસ્ટ થયો હતો, જેમાં ચાર મહિલા સહિત 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. પ્રાથમિક તપાસમાં બિલ્ડિંગની કેટલીક બેદરકારી પણ સામે આવી છે, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોને પોતાના જીવ બચાવવામાં પણ મુશ્કેલી આવી છે.

ફ્લેટમાં ભીષણ આગમાં 9 લોકોના મોત

મળતી વિગતો મુજબ, ચાર માળની બિલ્ડિંગમાં એસીમાં બ્લાસ્ટ થયા બાદ ‘અનેક ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 9 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત દોડી આવી હતી, જોકે તેઓએ અનેક મુશ્કેલીનો સામનો કર્યા બાદ અત્યાર સુધીમાં લગભગ 15 લોકોને સુરક્ષિત બાહર કાઢી લીધા છે. 

અનેક ફ્લેટોમાં આગ પહોંચી જતા મોટી જાનહાની સર્જાઈ

પોલીસ અધિકારીઓએ કહ્યું કે, વિવેક વિહાર ફેઝ-1માં ચાર માળની બિલ્ડિંગમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે, તે અનેક ફ્લેટોમાં પહોંચી ગઈ હતી. પ્રાથમિક તપાસમાં એસી બ્લાસ્ટ અથવા શોર્ટ સર્કિટના કારણે લાગવાની આશંકા છે. જોકે હજુ ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રનવે

બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે મોટી જાનહાનિ

એવી વિગતો સામે આવી છે કે, બિલ્ડિંગના ખરાબ સ્ટ્રક્ચરના કારણે લોકોએ પોતાનો જીવ ખોવો પડ્યો છે.  રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ધાબાનો દરવાજો બંધ હતો. આ ઉપરાંત બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. એટલું જ નહીં, ફ્લેટોની ગેલેરી સહિત અનેક બાજુએ લોખંડની ગ્રીલ લાગેલી હતી, જેના કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં અનેક પડકારો ઉભા થયા હતા. આવા જ કેટલાક કારણોથી લોકો પોતાનો જીવ બચાવી શક્યા નથી. રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 9 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રેસ્ક્યૂ ઓપરેશનમાં ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ નડી

દિલ્હીના ફાયર ઓફિસર મુકેશ વર્માએ કહ્યું કે, સવારે 3.47 કલાકે આગ લાગી હોવાનો કોલ આવ્યા બાદ ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ સ્થળ પર પહોંચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમે પાછળના રસ્તેથી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગેલેરીઓમાં લોખંડની ગ્રીલ લાગેલી હોવાથી ટીમ જઈ શકી ન હતી. પછી ટીમે આગળની તરફથી અંદર જવાનો પ્રયાસ કર્યો ત્યારે બિલ્ડિંગમાં માત્ર એક જ સીડી હતી. આ દર્દનાક ઘટનામાં 9 લોકોના મોત થયા છે. બિલ્ડિંગમાં ફસાયેલા 15 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે તેમાંથી બે લોકોને સામાન્ય ઈજા થઈ છે.

સીડી પાસે ત્રણ લાશો મળી

ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ કહ્યું કે, બિલ્ડિંગના 6 ફ્લેટોમાં આગ લાગી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન જુદા જુદા માળેથી 9 લાશો મળી આવી છે. પહેલા માળે એક, બીજા માળે એક અને સીડી પાસેથી ત્રણ લાશ મળી આવી છે. એક માળે તો સીડીમાં તાળુ લગાવેલું દેખાયું છે. પોલીસે તમામ લાશોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા છે. આગ કયા કારણોસર લાગી તેની તપાસ શરૂ કરી દેવાઈ છે.

આ પણ વાંચો : રીલ્સ માટે જર્જરિત ટાંકી પર ચઢ્યા 5 મિત્રો, પગથિયાં તૂટી જતાં 1નું મોત, 2નું IAF હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

Next Post
લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

Recent News

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…
GUJARAT

નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

Vadodara Corporation : નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર એસ્ટેટ સુધી નવી પાણીની લાઈન નાખવાની કામગીરીમાં રૂટ બદલવાની દરખાસ્ત મુલતવી રાખવા...

Read more

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

સોમા તળાવ વિસ્તારમાં કોર્પોરેશને ખાડાનું પુરાણ નહીં કરતા રહીશોનો હોબાળો | Soma Talav Residents Stage…

અધૂરી પાણી-ડ્રેનેજ લાઈનની કામગીરીથી અનેક વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય | incomplete water drain…

રામ મંદિરની સુરક્ષા પાછળ 11 મહિનામાં 10 કરોડના ખર્ચ પછીયે ચોરી, અનેક લોકો શંકાના ઘેરામાં | Ayodhya R…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In