![]()
ખુટવડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
બાળકોના માતા-પિતા અને ગોર મહારાજ સામે ફરિયાદ
ભાવનગર – મહુવાના સંદરડા ગામે થઈ રહેલા બાળલગ્ન જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા અટકાવી ખુડવડા પોલીસ મથકમાં બાળકોના વાલી અને લગ્ન કરાવનારા ગોર મહારાજ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મહુવા તાલુકાના સેંદરડા ગામે ગત તા.૧૨-૦૩-૨૦૨૬ના રોજ સેંદરડા ગામમાં ૧૮ વર્ષથી ઓછી ઉમરની છોકરી અને ૨૧ વર્ષથી ઓછી ઉમરના છોકરાના લગ્ન થયાં હોવાની ભાવનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ફરિયાદ મળતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ તપાસ કરતા બન્ને પક્ષના નિવેદનોના આધારે બાળલગ્ન થયાં હોવાનું સ્પષ્ટ થતાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસજી ચૌધરીએ ખુટવડા પોલીસ મથકમાં સંજય મથુરભાઈ ચૌહાણ, ધીરૃ રામજીભાઈ પરમાર અને લગ્નમાં વિધિ કરાવનારા ગોર મહારાજ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ અંતર્ગત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.















