![]()
અમદાવાદ, શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં યુવાધનને બરબાદ કરવા માટે અસામાજિક તત્વો નશાના બંધાણી બનાવવા માટે ગાંજા સહિતનો નશીલો પદાર્થ વેચી રહ્યા છે. નારોલ પોલીસે ચોક્કસ બાતમી આધારે આરોપીને સવા લાખની કિંમતના૨ કિલો૪૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયો હતો પોલીસ તપાસમાં આરોપી કાગડાપીઠ વિસ્તારમાં ૨૦૦૯માં થયેલા લઠ્ઠાકાંડમાં તથા કારંજમાં હત્યા કેસમાં સામેલ હતો. જેલમાંથી છૂટીને આ ગોરધંધો શરુ કર્યો હતો. તેની સામે ગંભીર પ્રકારના ૨૦થી વધુ ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે.નારોલ પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મિત્રએ કમિશન ઉપર ગાંજો વેચવા આપ્યો ઃ આરોપી સામે ગંભીર પ્રકારના ૨૦ ગુના આચરી ચૂક્યો છે ઃ નારોલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
નારોલ પોલીસ સ્ટેશનના એનડીએસ સ્કવોર્ડે ચોક્કસ બાતમી મળી હતી કે વટવામાં રહેતો સબ્બીરહુસેન મોમીન ગાંજાનો જથ્થો લઇને આવ્યો છે અને તે નારોલમાં બાગે કોસર પાસેના ખુલ્લા મેદાનમાં વેચવા માટે ઉભો છે. બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. તપાસ કરતા તેની પાસે રહેલી થેલીમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો વજન કરતા રૃા.૧.૨૦ લાખની કિમતનો ૨ કિલો અને ૪૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો હતો
આરોપીની પૂછપરછ કરતા તે નારોલમાં રહેતા મોહમંદ રસીદે તેને કમિશન પર ગાંજો છુટકમાં વેચાણ કરવા આપ્યો હતો. કુખ્યાત આરોપી અગાઉ કાગડાપીઠના કંટોડીયા વાસમાં થયેલા લઠ્ઠાકાંડ તેમજ કારંજ પોલીસ સ્ટેશનની હદમાં મર્ડરના ગુનામાં સજા કાપી ચૂકેલ હતો જેલમાંથી બહાર આવીને કોઇ કામધંધો ન હોવાથી આ ગોરખધંધો શરુ કર્યો હતો.















