![]()
Jamnagar Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે શોક પ્રસંગ દરમિયાન મારામારી અને ગાળાગાળીની ઘટના સામે આવી છે. આ બનાવ અંગે મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
માહિતી મુજબ, ફરીયાદી ક્રુષ્ણસિંહ ઉર્ફે કિશન ભરતભાઈ કચ્છવા (ઉ.વ. 31)ના ઘરે દાદીમાના અવસાનને પગલે પરિવારજનો ભેગા થયા હતા. આ દરમિયાન જૂના કુટુંબનાજ વિવાદને કારણે તણાવ સર્જાયો હતો. ફરિયાદી કૃષ્ણસિંહ દ્વારા અગાઉ તેના જ કુટુંબની એક યુવતીને ભગાડી ગયો હતો, અને પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પ્રેમિકા તેના પિતાને કે પાછી ફરી હતી. જે એકજ કુટુંબના હોવાથી ફરીયાદી યુવાન ને ફરી સામે નહીં આવવા માટે ધમકી અપાઈ હતી.
પરંતુ પોતાના ઘેર દાદીનું અવસાન થયું હોવાથી દાદીના ઘરમાં તમામ લોકો એકત્ર થઈ જતાં આ ઝગડો થયો હતો, અને સુનીલ દિલીપભાઈ કછવા, પીયુષ ઉર્ફે પીલ્લો દિલીપભાઈ કચ્વા તેમજ પોતાની પ્રેમિકા વગેરેએ તેના ઉપર હુમલો કરી દીધો હતો, જેથી મામલો મેઘપર-પડાણા પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યો છે, અને પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે.















