![]()
વડોદરા,વડોદરાની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની સામે રો મટિરિયલ સપ્લાય કરતી મુંબઇની કંપનીએ રૃ.૨૨.૨૬ લાખની વસૂલાત માટે મુંબઈની દિન્ડોશી સિટી સિવિલ કોર્ટમાં કોમશયલ સમરી સૂટ દાખલ કર્યો છે. વડોદરાની આ કંપનીના સંચાલક વડોદરા ભાજપ સેલના મીડિયા ઇન્ચાર્જ હોવાના કારણે સમગ્ર મામલો ચર્ચાના એરણે છે.
મુંબઈ સ્થિત એચ.એ.પી. એન્ટરપ્રાઇઝ દ્વારા દાખલ કરાયેલા દાવામાં જણાવાયું છે કે, વડોદરાની ક્રોસિલ ફાર્માસ્યુટિકલ પ્રા.લિ. સાથે વર્ષોથી વ્યાપારી વ્યવહાર ચાલતો હતો. કંપની દ્વારા ફાર્માસ્યુટિકલ રો મટિરિયલ, કેમિકલ અને ઇન્ટરમીડિયેટ્સ માટે ઓર્ડર આપવામાં આવતા હતા અને મુંબઈની ફર્મ તે મુજબ માલ સપ્લાય કરતી હતી.
દાવામાં વધુમાં જણાવ્યું છે કે, વડોદરાની કંપનીએ વિવિધ ખરીદી ઓર્ડર આપ્યા બાદ માલનો સપ્લાય સ્વીકાર્યો હતો. કંપનીએ ક્વોલિટી કે અન્ય બાબતે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. છતાં બાદમાં બાકી રહેલી રકમની ચૂકવણી કરવામાં આવી નહતી. વડોદરાની કંપનીએ આપેલા ત્રણ ચેક રિટર્ન થયા હતા.ઉલ્લેખનીય છે કે, વડોદરાની કંપની સામે મૂળ બાકી રકમ રૃ.૧૬.૭૯ લાખ હતી, જ્યારે ૨૧ ટકા વાષક વ્યાજ ઉમેરી કુલ દાવો રૃ.૨૨.૨૬ લાખ સુધી પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, ક્રોસિલ કંપનીના માલિક વડોદરા ભાજપના સક્રિય કાર્યકર અને મીડિયા ઇન્ચાર્જ પાર્થ જોશી છે. તેના કારણે આ સમગ્ર કેસ હાલ વડોદરાના રાજકીય વર્તુળમાં ચર્ચામાં છે.
આ કેસ અંગે મને કોઇ જાણકારી જ નથી : પાર્થ જોશી
અમારી ઓફિસ અને ફેક્ટરી ચાલુ છે, બંધ નથી
વડોદરા,
આ કેસ અંગે મુંબઇની કંપની તરફે જીજ્ઞોશ વાળંદે જણાવ્યું હતું કે, કોર્ટ તરફથી નીકળેલી નોટિસ સમન્સ વડોદરાની કંપની દ્વારા સ્વીકારવામાં આવતા નથી. વડોદરાની કંપનીના માલિક તરીકે પાર્થ જોશી ઉપરાંત મૌલિક જોશી અને નિલેષ પ્રજાપતિ પણ છે. જ્યારે બાલાસિનોરના ડોક્ટર અમિત પટેલ પણ હાલ વડોદરાની કંપનીના ડાયરેક્ટર છે. આ અંગે પાર્થ જોશીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું છે કે, આ કેસ અંગે મને કોઇ જ જાણકારી નથી. મને અત્યારસુધી કોઇ સમન્સ કે નોટિસ મળ્યા નથી. કોઇએ કાવતરું ઘડયું હોય તેવું લાગી રહ્યું છે. અમારી કંપનીની ઓફિસ અને ફેક્ટરી બંધ નથી, ચાલુ છે. જેતલપુર રોડ પર આવેલી ઓફિસ ગોત્રીમાં શિફ્ટ કરવામાં આવી છે. તેની જાણકારીનું બોર્ડ પણ ત્યાં લગાવ્યું છે. બાલાસિનોરના ડોક્ટર અમારા પાર્ટનર છે.















