![]()
Vadodara News: વડોદરાના ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત નીપજ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, વીજ વાયરોના કામ સમયે પોલ હલી જતા દુર્ઘટના બની હતી. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ભાવપુરા ગામે પાવર ગ્રીડ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ હાઇટેન્શન લાઇન કેબલો નાખવાનું કામ ચાલતું હતું. જેમાં 765KV વડોદરા સાઉથ ઓલપાડની વીજ લાઇન નવી બનાવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન વીજપોલ ધરાશાઈ થવાથી વેસ્ટ બેંગોલથી કામ અર્થે આવેલા 3 શ્રમિકના મોત થયા છે.
આ વીજ થાંભલા ઉભા કરવાનો કોન્ટ્રાક ટી.એલ.એલ. કંપનીને મળ્યો હતો. 3 શ્રમિકના મોતને પગલે તપાસ અર્થે આવેલા અધિકારીઓ ઘટના બાબતે જવાબ આપવા ઇનકાર કર્યો હોવાનું જણાય છે. સમગ્ર મામલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે.















