આજના આધુનિક યુગમાં જ્યાં ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ મોટી સમસ્યાઓ બની રહ્યા છે, ત્યારે પર્યાવરણના રક્ષણ માટે સક્રિય યોગદાન આપવું અનિવાર્ય બન્યું છે. આ જ ઉદ્દેશ્યને સાર્થક કરતા ગઢડા ખાતે શ્રી ગોપીનાથજી સોલાર (Sol Max Solution) દ્વારા એક ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
“સ્વચ્છ ઊર્જા સાથે હરિયાળું પર્યાવરણ” હતો. કંપનીનું માનવું છે કે માત્ર સોલાર પાવર અપનાવવાથી જ નહીં, પરંતુ વૃક્ષો વાવવાથી જ પર્યાવરણનું સાચું સંતુલન જાળવી શકાય છે.
કાર્યક્રમ દરમિયાન કંપનીના મેનેજમેન્ટે ઉપસ્થિત સૌને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે: ”શ્રી ગોપીનાથજી સોલાર માટે સોલાર સિસ્ટમનું સ્થાપન માત્ર વ્યવસાય નથી, પરંતુ સ્વચ્છ અને ટકાઉ ભવિષ્ય તરફનું એક સામાજિક દાયિત્વ છે. દરેક સોલાર પ્લાન્ટ અને દરેક વાવેલું વૃક્ષ આવનારી પેઢીને વધુ સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણ આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.”
સામાજિક સંદેશ અને પ્રેરણા કંપનીએ આ પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રકૃતિનું રક્ષણ એ માત્ર કોઈ એક સંસ્થા કે સરકારની જવાબદારી નથી, પરંતુ સમાજના પ્રત્યેક નાગરિકની નૈતિક ફરજ છે. દરેક નાગરિકે પોતાના જીવનમાં વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ અને તેની જાળવણી કરવી જોઈએ, તેમજ પરંપરાગત ઊર્જાના સ્ત્રોતોને બદલે સોલાર ઊર્જા જેવા સ્વચ્છ વિકલ્પો અપનાવવા જોઈએ.
આ કાર્યક્રમના માધ્યમથી ગઢડા અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેને સ્થાનિક લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.














