• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાંતલપુરમાં આહીર સમાજના 600થી વધુ સામૂહિક લગ્ન, 48 ગામો જોડાયા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

Load More


વૈશાખ સુદ તેરસે જ લગ્નની પરંપરા: 1600 વર્ષ જૂની સંસ્કૃતિ આજે પણ અકબંધ

રાધનપુર. એબીએનએસ. અનિલ રામાનુજ : પાટણ જિલ્લામાં સાંતલપુર અને કચ્છના રણના છેવાડે આવેલા ચોરાડ પંથકમાં આહીર સમાજની અદ્વિતીય અને ઐતિહાસિક પરંપરાનો જીવંત નજારો જોવા મળ્યો હતો.

વૈશાખ સુદ તેરસના પાવન દિવસે એક સાથે 48 ગામોના આહીર સમાજ દ્વારા 600થી વધુ સામૂહિક લગ્ન યોજાતા સમગ્ર વિસ્તાર ઢોલ-નગારા અને આનંદના માહોલથી ગૂંજી ઉઠ્યો હતો. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા માત્ર એક સામાજિક પ્રસંગ નથી, પરંતુ આહીર સમાજની સંસ્કૃતિ, એકતા અને ઓળખનું પ્રતિક બની છે.

આ પરંપરાની વિશેષતા એ છે કે આખા વર્ષ દરમિયાન અન્ય કોઈ મુહૂર્ત કે ચોઘડિયું જોવામાં આવતું નથી. માત્ર વૈશાખ સુદ તેરસના દિવસે જ તમામ લગ્ન યોજાય છે. આ દિવસે સમાજના ગરીબ કે ધનિક, અધિકારી કે સામાન્ય વ્યક્તિ – તમામને એકસરખી પરંપરાગત વેશભૂષા ધારણ કરવાની ફરજિયાત રીત છે. વરરાજા પરંપરાગત વાઘા પહેરી, દેશી ઢોલના તાલે અને બળદગાડામાં જાન લઈ કન્યાના ઘરે પહોંચે છે, જે દ્રશ્ય સમગ્ર પરંપરાને જીવંત બનાવી દે છે.

આહિર સમાજની આ અનોખી પરંપરાનો ઉદ્ભવ આશરે 1600 વર્ષ પહેલાંનો માનવામાં આવે છે. માન્યતા મુજબ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણે રુક્મિણી સાથે વૈશાખ સુદ તેરસના દિવસે સાત્વિક રીતે લગ્ન કર્યા હતા. ગર્ગાચાર્ય દ્વારા વર્ણવાયેલા આ પ્રસંગને આધારે આહિર સમાજે એ જ દિવસ, એ જ પહેરવેશ અને એ જ સાદગીભર્યા માહોલમાં લગ્ન કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ યથાવત્ જાળવવામાં આવી રહી છે.

લગ્નવિધિની પ્રક્રિયા પણ અત્યંત અનોખી અને શિસ્તબદ્ધ છે. સાંજે લગભગ 5 વાગ્યે વરરાજાની જાન કન્યાના ઘરે પહોંચે છે. ત્યાં રોકાણ કર્યા બાદ રાત્રે વિધિપૂર્વક ચાર ફેરા ફરાવવામાં આવે છે અને વહેલી સવારે કન્યાની વિદાય કરવામાં આવે છે. સમગ્ર વિધિમાં સાદગી, સંસ્કાર અને સામૂહિક ભાવનાનો અદભૂત સમન્વય જોવા મળે છે.આ સામૂહિક લગ્ન પ્રથા માત્ર ખર્ચ બચાવવાનો ઉપાય નથી, પરંતુ સમાજમાં સમાનતા અને એકતાનો સંદેશ આપે છે.

આજના આધુનિક સમયમાં પણ આહિર સમાજ દ્વારા આ પ્રાચીન પરંપરાને જીવંત રાખવી એ ખરેખર ગૌરવની બાબત છે. સાંતલપુર અને ચોરાડ પંથકમાં ઉજવાતા આ લગ્નોત્સવે ફરી એકવાર સાબિત કર્યું છે કે સાચી સંસ્કૃતિ એ સાદગી, સંસ્કાર અને એકતામાં જ વસે છે.

Next Post
વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind…

વિશ્વમાં સંકટ વચ્ચે ભારતે ‘ગોલ્ડ પોલિસી’ બદલી ! વિદેશથી 104 ટન સોનું પરત લવાયું, RBIનો રિપોર્ટ | Ind...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

Recent News

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ
GUJARAT

ગ્લેમર અને સન્માનની રાત: કુનલ ઠક્કર ઇવેન્ટ્ઝ ફેક્ટરી દ્વારા આયોજિત IIIA અમદાવાદ 12મું સંસ્કરણ

અમદાવાદના આંગણે તાજેતરમાં ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઇન્ફ્લુએન્સર એવોર્ડ્સ (IIIA) ની 12મી આવૃત્તિ અત્યંત ભવ્યતા સાથે સંપન્ન થઈ. કુનલ ઠક્કરની ઇવેન્ટ્ઝ ફેક્ટરી...

Read more

સુરતના આગામી મેયર કોણ? ભાજપ કાર્યાલયે આવતીકાલે ‘સેન્સ પ્રક્રિયા’, મહિલા દાવેદારો પર સૌની નજર | BJP S…

કલોલ સગીરા અપહરણ-દુષ્કર્મ કેસ, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની કેદ અને 2 લાખનો દંડ | Kalol Minor Mis…

છોટાઉદેપુરમાં હારનો બદલો? ‘ભાજપવાળાએ JCBથી રોડ તોડી નાખ્યો, અમને ધમકાવે છે’, ધમોડીના ગ્રામજનોમાં ફફડ…

શામળાજી ખાતે વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદની કારોબારી બેઠક યોજાઈ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In