• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો કેમ તેઓ ચર્ચામાં હતા | AAP Leader Raju Karapad…

satyasamachar by satyasamachar
April 9, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
AAP સાથે છેડો ફાડનારા રાજુ કરપડા ભાજપમાં જોડાયા, જાણો કેમ તેઓ ચર્ચામાં હતા | AAP Leader Raju Karapad…
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

Load More


Raju Karpada in BJP : આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપનારા ગુજરાતના ફાયરબ્રાન્ડ યુવા નેતા રાજુ કરપડા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાઈ ગયા છે. ગુજરાત વિધાનસભાની આગામી પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ પૂર્વે આમ આદમી પાર્ટીના સંગઠનમાં ગાબડું પડ્યું છે. ‘આપ’ ના મજબૂત નેતા ગણાતા રાજુ કરપડાએ કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’ ખાતે વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા.

કોણ કોણ જોડાયા ભાજપમાં? 

આમ આદમી પાર્ટીના પૂર્વ ખેડૂત નેતા રાજુ કરપડા સત્તાવાર રીતે ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપના આગેવાનોની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને માત્ર રાજુ કરપડા જ નહીં, પરંતુ તેમની સાથે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા, રાજેન્દ્ર સિંહ રાઠોડ અને ધીરુભાઈ મેલાલિયા જેવા અન્ય અગ્રણી નેતાઓએ પણ ભાજપનો સાથ સ્વીકાર્યો છે. આ નેતાઓના જોડાવાથી ભાજપનું સંગઠન વધુ મજબૂત બનશે તેમ માનવામાં આવે છે.

કેસરિયો ધારણ કર્યા બાદ શું કહ્યું કરપડાએ 

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ ભાવુક નિવેદન આપતા જણાવ્યું હતું કે, “મેં 2017-18થી ખેડૂત સંગઠન ચલાવીને ખેડૂતોનો અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૧માં હું એક ચોક્કસ પક્ષમાં જોડાયો જેથી ખેડૂતોનો અવાજ બુલંદ બનાવી શકાય. જ્યારે પણ કુદરતી આફતો આવી, ત્યારે મેં ખેડૂતો માટે અવાજ બનવાનો પ્રયાસ કર્યો છે.”તેમણે વધુમાં ઉમેર્યું કે, “મને સમજાયું છે કે સરકાર સામે માત્ર વિરોધ પ્રદર્શન કરવાથી ખેડૂતોનું હિત નથી થતું, તેનાથી માત્ર નેતાનો ચહેરો ચમકે છે. ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે સત્તા અને સરકારના સાથની જરૂર છે. હું જ્યારે જેલમાં હતો ત્યારે સરકારે રાહત પેકેજ આપ્યું હતું, જેનાથી ખેડૂતોને ખરેખર ફાયદો થયો હતો. આથી, ખેડૂતોના હિત માટે હું ભાજપમાં જોડાયો છું.”

રાજુ કરપડા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારના છે. 2017-18ના સમયગાળા દરમિયાન કપાસ અને મગફળીના ભાવો તેમજ પાક વીમા મુદ્દે તેમણે આક્રમક આંદોલનો કરીને ખેડૂત નેતા તરીકે ઓળખ બનાવી હતી. વર્ષ 2021માં તેઓ આમ આદમી પાર્ટી (AAP) માં જોડાયા હતા. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ચોટીલા બેઠક પરથી ‘આપ’ની ટિકિટ પર ચૂંટણી પણ લડી હતી. ખેડૂતોના પ્રશ્ને આંદોલન કરવા બદલ તેઓ ઘણી વખત જેલ પણ જઈ આવ્યા છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી પક્ષની આંતરિક નીતિઓથી નારાજ થઈ તેમણે ‘આપ’માંથી રાજીનામું આપ્યું હતું અને હવે તેઓ સત્તાધારી પક્ષ ભાજપના સાથી બન્યા છે.

કોણ છે રાજુ કરપડા અને કેમ હતા ચર્ચામાં?

રાજુ કરપડા ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં એક લડાયક યુવા નેતા તરીકે જાણીતા છે. 

ખેડૂત આંદોલન અને લોકપ્રશ્નો: રાજુ કરપડાએ સૌરાષ્ટ્રમાં વીમાના પ્રશ્ને અને ખેડૂતોના પડતર પ્રશ્નો માટે અનેક વખત આક્રમક આંદોલનો કર્યા હતા.

ગઢડા વિધાનસભા બેઠક: 2022 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન તેઓ ગઢડા બેઠક પરથી ‘આપ’ ના મજબૂત ઉમેદવાર તરીકે મેદાનમાં હતા, જ્યાં તેમણે ભાજપ અને કોંગ્રેસ બંનેને કડી ટક્કર આપી હતી.

સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા: તેઓ પાયાના કાર્યકર તરીકે જાણીતા છે અને સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોઈંગ છે, જે યુવા મતદારો પર પ્રભાવ પાડે છે.

લડાયક મિજાજ: સરકારની નીતિઓ સામે અવારનવાર રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરવાને કારણે તેમની ગણના આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી નેતા તરીકે થતી હતી.

ભાજપમાં જોડાવાનું કારણ

રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે ઉમેર્યું કે, કાર્યકરોની ઉપેક્ષા અને પક્ષની આંતરિક કાર્યશૈલીને કારણે તેમણે ‘આપ’ સાથે છેડો ફાડ્યો છે. તેમના ભાજપમાં આવવાથી અમરેલી અને ગઢડા પંથકમાં ભાજપના સંગઠનને વધુ મજબૂતી મળવાની શક્યતા છે.

આપ નેતા પ્રવીણ રામની પ્રતિક્રિયા

પૂર્વ IPS નિનામા ભાજપમાં જોડાયા 

ગઈકાલે ટ્રાફિક બ્રાન્ચમાં આઈજી (IG) તરીકે ફરજ બજાવતા વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોતાના પદ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જ્યારે તેઓ આજે સત્તાવાર રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા. તેઓ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી શકે છે. 

Next Post
અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ | 14…

અમરેલીના સાવરકુંડલાનું મીતીયાળા ધ્રુજ્યું! 30 કલાકમાં ભૂકંપના 14 આંચકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ | 14...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Recent News

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…
GUJARAT

રવિવારે જ સમજૂતી થવી જોઇએ નહીં તો અંતિમ વિકલ્પ કૈં જુદો જ હશે : ટ્રમ્પ | Agreement must be reached o…

ઇરાન તરફથી કોઈ સ્પષ્ટતા હજુ સુધી કરાઈ નથી સમજૂતીના સંકેત છતાં ઇરાનમાં હજી પણ લોકોને વિશ્વાસ નથી કે સમજૂતી થશે,...

Read more

યુએસ ભારતીય જહાજો પર જ હુમલા કરે છે, વધુ એકનું મોત | US attacks Indian ships one more killed

ભારતમાં 100 ટકા ઇથેનોલ ઇંધણને કાયદેસરની મંજૂરી અપાઇ : ગડકરી | 100% ethanol fuel legally approved in …

નીટ સહિતની પરીક્ષાના નકલી પેપર વેચનાર 4ની ધરપકડ | 4 arrested for selling fake exam papers including …

ડાયાબીટીસથી હાડકાને લગતી સમસ્યા પણ થતી હોવાનું અભ્યાસનું તારણ | Study finds that diabetes also cause…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In