• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…

satyasamachar by satyasamachar
June 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર | RBI Recruitment 2026…
0
VIEWS
Share on FacebookShare on Twitter



RBI Recruitment 2026: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) એક શાનદાર તક બહાર પાડી છે. આરબીઆઈએ ‘યંગ પ્રોફેશનલ્સ’ના પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોકે, અરજી કરતા પહેલા આ ભરતીના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝિસ (કરાર આધારિત) પર કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોને આરબીઆઈના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શું કામ કરવાનું રહેશે?

આરબીઆઈ દ્વારા આ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ’ ખાસ કરીને બેન્કની કામગીરીમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા યુવાઓને દેશની અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનો, પોલિસી (નીતિ) બનાવવામાં મદદ કરવાનો, મહત્ત્વપૂર્ણ રિસર્ચ અને ડેટાને સમજવાનો તેમજ બેન્કિંગ અને ડિજિટલ ફાઈનાન્સ સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અદ્ભુત મોકો મળશે.

મુખ્ય જવાબદારીઓ કઈ રહેશે?

યંગ પ્રોફેશનલ્સના મુખ્ય કાર્યોમાં આર્થિક અને નીતિગત રિસર્ચમાં મદદ કરવી, અલગ-અલગ ડેટાનું વિશ્લેષણ કરવું અને નાણાકીય અભ્યાસ (ફાઈનાન્સિયલ સ્ટડી) કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરબીઆઈના આંતરિક પ્રોજેક્ટ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપવાનું રહેશે. સાથે જ, ફાઈનાન્સિયલ સેક્ટરમાં થઈ રહેલા નવા બદલાવો પર નજર રાખવી અને આરબીઆઈની વિવિધ ટીમોને ટેકનિકલ તેમજ વિશ્લેષણાત્મક કાર્યોમાં સપોર્ટ આપવો એ તેમની મુખ્ય જવાબદારી રહેશે.

સમયગાળો અને સ્ટાઈપેન્ડ

આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ફિક્સ 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. આરબીઆઈની યોજના આ પદ પર શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવાની છે. પરંતુ, જો ઉમેદવારની કામગીરી સારી હશે અને પરસ્પર સહમતિ બનશે, તો આ કોન્ટ્રાક્ટના સમયગાળાને આગળ વધારી શકાશે. જોકે, આ નોકરીનો કુલ સમયગાળો કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુનો નહીં રહે.

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર 2 - image

આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

– સૌથી પહેલા ઉમેદવારે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

– ત્યારબાદ વેબસાઈટ પર આપેલ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ 2026’ની લિંક ઓપન કરવાની રહેશે.

– હવે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

– ફોર્મમાં પૂછવામાં આવેલી તમારી તમામ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક (પ્રોફેશનલ) વિગતો ધ્યાનપૂર્વક ભરો.

– અંતમાં, માંગવામાં આવેલા જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

Load More



RBI Recruitment 2026: બેન્કિંગ ક્ષેત્રમાં નોકરી કરવાનું સપનું જોતા યુવાઓ માટે ભારતીય રિઝર્વ બેન્કે (RBI) એક શાનદાર તક બહાર પાડી છે. આરબીઆઈએ ‘યંગ પ્રોફેશનલ્સ’ના પદો પર ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરી દીધું છે. આ પદ પર પસંદગી પામનાર ઉમેદવારોને દર મહિને 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. જોકે, અરજી કરતા પહેલા આ ભરતીના નિયમો જાણી લેવા જરૂરી છે. આ ભરતી સંપૂર્ણપણે કોન્ટ્રાક્ટ બેઝિસ (કરાર આધારિત) પર કરવામાં આવશે અને અરજી કરવાની છેલ્લી તારીખ 6 જુલાઈ છે. લાયકાત ધરાવતા અને ઈચ્છુક ઉમેદવારોને આરબીઆઈના સત્તાવાર પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

શું કામ કરવાનું રહેશે?

આરબીઆઈ દ્વારા આ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ’ ખાસ કરીને બેન્કની કામગીરીમાં મદદરૂપ થવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલા યુવાઓને દેશની અર્થવ્યવસ્થાનું વિશ્લેષણ કરવાનો, પોલિસી (નીતિ) બનાવવામાં મદદ કરવાનો, મહત્ત્વપૂર્ણ રિસર્ચ અને ડેટાને સમજવાનો તેમજ બેન્કિંગ અને ડિજિટલ ફાઈનાન્સ સાથે જોડાયેલા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવાનો અદ્ભુત મોકો મળશે.

મુખ્ય જવાબદારીઓ કઈ રહેશે?

યંગ પ્રોફેશનલ્સના મુખ્ય કાર્યોમાં આર્થિક અને નીતિગત રિસર્ચમાં મદદ કરવી, અલગ-અલગ ડેટાનું વિશ્લેષણ કરવું અને નાણાકીય અભ્યાસ (ફાઈનાન્સિયલ સ્ટડી) કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આરબીઆઈના આંતરિક પ્રોજેક્ટ્સ અને રિપોર્ટ્સ તૈયાર કરવામાં પોતાનું યોગદાન આપવાનું રહેશે. સાથે જ, ફાઈનાન્સિયલ સેક્ટરમાં થઈ રહેલા નવા બદલાવો પર નજર રાખવી અને આરબીઆઈની વિવિધ ટીમોને ટેકનિકલ તેમજ વિશ્લેષણાત્મક કાર્યોમાં સપોર્ટ આપવો એ તેમની મુખ્ય જવાબદારી રહેશે.

સમયગાળો અને સ્ટાઈપેન્ડ

આ પદ માટે પસંદગી પામેલા ઉમેદવારોને દર મહિને ફિક્સ 1.5 લાખ રૂપિયાનું સ્ટાઈપેન્ડ ચૂકવવામાં આવશે. આરબીઆઈની યોજના આ પદ પર શરૂઆતમાં 3 વર્ષ માટે નિમણૂક કરવાની છે. પરંતુ, જો ઉમેદવારની કામગીરી સારી હશે અને પરસ્પર સહમતિ બનશે, તો આ કોન્ટ્રાક્ટના સમયગાળાને આગળ વધારી શકાશે. જોકે, આ નોકરીનો કુલ સમયગાળો કોઈ પણ સંજોગોમાં 5 વર્ષથી વધુનો નહીં રહે.

RBIમાં યંગ પ્રોફેશનલ્સ માટે સારી તક, દર મહીને 1.5 લાખ સુધીના સ્ટાઈપેન્ડની ઓફર 2 - image

આ પણ વાંચો: ઉજ્જૈન જમીન વિવાદમાં મુખ્યમંત્રી મોહન યાદવનો પરિવાર તપાસના દાયરામાં, કોંગ્રેસ આક્રમક

ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે:

– સૌથી પહેલા ઉમેદવારે આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે.

– ત્યારબાદ વેબસાઈટ પર આપેલ ‘યંગ પ્રોફેશનલ્સ પ્રોગ્રામ 2026’ની લિંક ઓપન કરવાની રહેશે.

– હવે ઓનલાઈન એપ્લિકેશન લિંક પર ક્લિક કરો.

– ફોર્મમાં પૂછવામાં આવેલી તમારી તમામ વ્યક્તિગત, શૈક્ષણિક અને વ્યાવસાયિક (પ્રોફેશનલ) વિગતો ધ્યાનપૂર્વક ભરો.

– અંતમાં, માંગવામાં આવેલા જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરીને ફોર્મ સબમિટ કરો.

Next Post
સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea…

સાકરદા બ્રિજ પાસે સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, ત્રણ કલાકે આગ કાબુમાં આવી | Vadodara : Huge Fire Brea...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

Recent News

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…
GUJARAT

લખનઉ અગ્નિકાંડમાં મોટો ખુલાસો, LDAની તપાસમાં 18 અધિકારી-એન્જિનિયર દોષિત ઠર્યા | lucknow fire tragedy…

Lucknow Fire Tragedy: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં સોમવારે બપોરે ત્રણ માળની ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 15 લોકોનાં કરુણ...

Read more

સાબરમતી નદીના વાસણા બેરેજમાં 10 કરોડના ખર્ચે 19 નવા દરવાજા લગાવાયા, ફરી પાણી ભરવાનું શરૂ | ahmedabad…

નર્મદાના સાગબારામાં મોડી રાતથી ધોધમાર, પ્રથમ વરસાદે નદીઓમાં પૂર, સેલંબા-મહારાષ્ટ્ર હાઈવે બંધ | Narma…

પોર્ટ, પાવર, એરપોર્ટ અને ગ્રીન એનર્જીમાં દબદબો! ગૌતમ અદાણીએ રજૂ કર્યો આગામી 5 વર્ષનો માસ્ટર પ્લાન | …

છોટાઉદેપુર જિલ્લામાં ખાતર સમયસર ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં | chhota udepur bodeli farmers fertilizer …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In