સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીત મેળવવા બદલ ભાજપ સરકારને આરએલડીએ આપ્યા અભિનંદન
ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: રાષ્ટ્રીય લોકદળ (RLD) હવે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત કરવા આગળ વધી રહ્યું છે. ગાંધીનગરમાં વિધિવત આગમન સાથે તાલુકા કાર્યાલયનું ઉદ્ઘાટન અને નવા કાર્યકર્તાઓની નિમણૂક કરવામાં આવી.
ઉત્તર પ્રદેશના રાજકારણમાં મહત્વનું સ્થાન ધરાવતો અને ખેડૂતો તેમજ મજદૂરોનો અવાજ ગણાતો અને NDA સાથે ગઠબંધન ધરાવતો સક્રિય પક્ષ રાષ્ટ્રીય લોકદળ (RLD) હવે પશ્ચિમ ભારતના મહત્વના રાજ્ય ગુજરાતમાં પોતાના પગપેસારો કરી રહ્યો છે.
પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સંગઠનને વેગ આપવા માટે વિવિધ સ્તરે ઉત્સાહી અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓની નિયુક્તિ તથા ગાંધીનગર તાલુકા કાર્યાલયનો આરંભ કરવામાં આવ્યો.
મોટા ચિલોડા પાસે RLD તાલુકા કાર્યાલયના ઉદ્ઘાટન અને નવા પદાધિકારીઓની નિયુક્તિ પ્રસંગે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરુણસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ તાલુકા સ્તરે એક પ્રમુખ અને બે ઉપપ્રમુખની નિયુક્તિ કરી તેમને પ્રદેશ અધ્યક્ષ પ્રકાશસિંહ રાજપૂતના હસ્તે નિયુક્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
પ્રદેશ અધ્યક્ષ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપએ મેળવેલ જીત બદલ ભાજપ સરકારને પણ અભિનંદન પઠાવ્યા હતા. ચૌધરી ચરણ સિંહની વિચારધારાને ગુજરાતના ગામેગામ સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય લોક દળ કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરવામાં આવશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત કાર્યકર્તાઓને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમને લોકસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું હતું.
પાર્ટીના એજન્ડા મુજબ જેમાં ખેડૂતોના પડતર પ્રશ્નોને વાચા આપવી.પાયાના સ્તરેથી (Root level) કાર્યકર્તાઓને જોડી પક્ષની વિચારધારા લોકો સુધી પહોંચાડવી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પ્રદેશ પ્રમુખ અને સંયોજકોની નિમણૂક કરી સંગઠનનું માળખું તૈયાર કરવું રહેશે.
રાષ્ટ્રીય લોકદળના ગુજરાત અધ્યક્ષે જણાવ્યું હતું કે, “ગુજરાત એ વિકાસશીલ રાજ્ય છે, પરંતુ અહીંના શ્રમિકો અને ખેડૂતોને પણ એક મજબૂત વિકલ્પની જરૂર છે. ચૌધરી ચરણ સિંહની વિચારધારાને ગુજરાતના ગામેગામ સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ.”ગુજરાતના યુવાનો અને મહેનતકશ લોકો જે રીતે રાષ્ટ્રીય લોકદળ સાથે જોડાઈ રહ્યા છે, તે જોતા આગામી સમયમાં પક્ષ રાજ્યના રાજકારણમાં એક નિર્ણાયક ભૂમિકા ભજવશે.”
આગામી દિવસોમાં ગુજરાતમાં સભ્યપદ અભિયાન તેજ કરવામાં આવશે અને વિવિધ જિલ્લાઓમાં જનસભાઓનું આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવશે. નવનિયુક્ત કાર્યકર્તાઓને પક્ષ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમને લોકસેવાના કાર્યોમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.આ પ્રસંગે પ્રકાશસિંહ રાજપૂત પ્રદેશ અધ્યક્ષ તરુણસિંહ વાઘેલા, ગાંધીનગર જિ. પ્રમુખ
ભૂમિત ચૌધરી, તાલુકા પ્રમુખ, અન્ય પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.















