• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા | Shar…

satyasamachar by satyasamachar
January 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
મારી વિનંતી છે કે આ મુદ્દે રાજકારણ ના કરશો: અજિત પવારના નિધન બાદ શરદ પવારની પ્રથમ પ્રતિક્રિયા | Shar…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

Load More


Ajit Pawar Plane Crash News: બારામતી પ્લેન દુર્ઘટનામાં અજિત પવારનું નિધન થતાં મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત અનેક નેતાઓએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે પરિવાર તરફથી દિગ્ગજ નેતા અને અજિત પવારના કાકા શરદ પવારનું પ્રથમ નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અજિત પવારના અવસાનથી પવાર પરિવાર ખૂબ જ દુ:ખી છે, આ વિમાનનું ક્રેશ થવું એ સંપૂર્ણ રીતે દુર્ઘટના જ છે તેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ ન કરવું જોઈએ, મહારાષ્ટ્રએ આજે એક એવું નેતૃત્વ ગુમાવ્યું છે જેની કિંમત ક્યારે ચૂકવી શકાશે નહીં. અજિત પવારનું જવું ન માત્ર પરિવાર કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માટે પણ મહારાષ્ટ્ર માટે ન પુરાય તેવી ખોટ છે. 

આ ઘટનાની તપાસ થવી જોઈએઃ મમતા બેનર્જી 

અજિત પવારના નિધન અંગે પ્રતિક્રિયા આપતાં પ. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ સમાચાર સાંભળીને જ સ્તબ્ધ થઈ ગઈ. તેમના પરિવાર અને તેમના કાકા શરદ પવાર, અજિત પવારના ચાહકો સાથે મારી સહાનુભૂતિ છે. આ ઘટનાની તપાસ થવી જોઈએ. આ દેશમાં કોઈ સુરક્ષિત નથી, રાજકીય નેતાઓ પણ નહીં. મને જાણવા મળ્યું છે કે એક નેતાએ હાલમાં જ કહ્યું હતું કે અજિત પવાર ભાજપ સાથે છેડો ફાડવાના હતા. આ મામલે હવે સુપ્રીમ કોર્ટની દેખરેખમાં સઘન તપાસ થવી જોઈએ.

ઓમર અબ્દુલ્લાહના પણ મમતા બેનર્જી જેવા સૂર 

મમતા બેનર્જીની જેમ જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહે પણ આ પ્લેન ક્રેશને એક દુર્ઘટના માનવાનો ઇન્કાર કરતાં મામલાની હાઇ લેવલે ન્યાયિક તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું કે આ ઘટનાની પારદર્શક રીતે તપાસ થવી જોઈએ. 

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેની ન્યાયિક તપાસની માંગ  

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગે પણ અજિત પવારના નિધનના ઓચિંતા અહેવાલોથી નિઃશબ્દ થઈ ગયા હતા. તેમણે કહ્યું કે મને ઊંડો આઘાત લાગ્યો છે. આપણે એક મજબૂત નેતા ગુમાવ્યા છે. તેમના નિધન પર હું શું કહું તે સમજાતું નથી. તેમના પરિવાર સાથે મારી સહાનુભૂતિ છે. જો કે, આ ઘટનાની સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ન્યાયિક તપાસ થવી જોઈએ. 

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?

અજિત પવાર પોતાના ચાર્ટર પ્લેન દ્વારા મુંબઈથી બારામતી આવી રહ્યા હતા. સવારે 8.45 વાગ્યે બારામતી ઍરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેન ક્રેશ થયું હતું. લેન્ડિંગ સમયે વિમાન સંતુલન ખોઈ બેઠું અને જોરદાર ધડાકા સાથે અથડાયું હતું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ હતી અને તે સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ પાંચ લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જેમાં બે પાયલટ, એક પીએસઓ અને એક અટેન્ડન્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: VIDEO : અજિત પવારનું નિધન: ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા સુપ્રિયા સુલે, સમર્થકોના આક્રંદથી બારામતી હિબકે ચડ્યું

ઉડ્ડયન મંત્રીએ શું કહ્યું?

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દુર્ઘટના અંગે માહિતી આપતાં કહ્યું કે પ્રાથમિક તપાસ મુજબ સવારે 8:48 કલાકે લેન્ડિંગ સમયે વિઝિબિલિટી ઓછી હતી, DGCA અને AAIBની તપાસ ટીમ કારણ શોધી રહી છે. લેન્ડિંગ પહેલા ATC બારામતી સાથે થયેલા સંપર્કમાં પાયલટે કહ્યું હતું કે રનવે દેખાઈ રહ્યો નથી. રનવે સાફ ન દેખાતા વિમાન હવામાં ચક્કર ખાઈ રહ્યું હતું. બીજી વખત લેન્ડિંગનો પ્રયાસ કરાયો, ત્યારે પણ વિઝિબિલિટી ન હતી. જે બાદ પાયલટે ફરી લેન્ડિંગનો પ્રયાસ કર્યો, પહેલા પાયલટની તરફથી ATCના સવાલનો જવાબ મળ્યો નહીં, પણ થોડા સમય બાદ રનવે સાફ દેખાઈ રહ્યો છે તેવી વાત થઈ હતી. જે બાદ ATCએ લેન્ડિંગ માટે સંમતિ આપી હતી. બાદમાં અચાનક કોઈ સમસ્યા ઉદ્ભવી હતી વિમાન ક્રેશ થઈ ગયું, સમગ્ર ઘટનાક્રમની ઊંડી તપાસ ચાલી રહી છે. 

5 લોકોએ જીવ ગુમાવ્યા

આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કૅપ્ટન સુમિત કપૂર (પાયલટ-ઇન-કમાન્ડ), કૅપ્ટન શામ્ભવી પાઠક (ફર્સ્ટ ઑફિસર), વિદીપ જાધવ (પર્સનલ સિક્યુરિટી ઑફિસર) અને પિંકી માલી (ફ્લાઇટ એટેન્ડન્ટ) એમ પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે.

Next Post
ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig…

ટેરિફ વિવાદ વચ્ચે વિદેશ મંત્રી જયશંકર અમેરિકાના પ્રવાસે, વોશિંગ્ટનમાં યોજાશે મહત્ત્વની બેઠક | foreig...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

Recent News

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…
GUJARAT

‘હું ભવિષ્યવાણી નથી કરતો, પણ આ વખતે કહી રહ્યો છું કે…’, બંગાળમાં PM મોદીનું મોટું નિવેદન | PM Modi…

West Bengal Assembly Election 2026 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે 23 અને 29 એપ્રિલે મતદાન યોજાવાનું છે. આ માટે...

Read more

મોટી દુર્ઘટના: તમિલનાડુની ફટાકટા ફેક્ટરીમાં બ્લાસ્ટ, અત્યાર સુધીમાં 19 લોકોના મોત, 6 ઈજાગ્રસ્ત | tam…

ડિજિટલ વસ્તી ગણતરીમાં ગંભીર ભૂલ, પોર્ટલ પર અરૂણાચલના બદલે ચીનનું નામ દેખાતા વિવાદ | Arunachal Listed…

ડો. ધર્મિષ્ઠા બેન દવે દ્વારા ભાવનગરના સ્થાપના દિવસ નિમિત્તે ‘નારી શક્તિ વંદન કાર્યક્રમ’ યોજાયો

પ્રચારમાં સંખેડા MLAએ પિત્તો ગુમાવતા કહ્યું ‘ધારાસભ્ય છું બેસી જા’, મતદારો વળતો પ્રહાર કરતા બોલ્યા, …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In