5-5-26એ અંબાજી મંદિર ના ભંડાર કક્ષ માં પટાવાળા જેવા કર્મચારી દ્વારા રૂ.૧,૦૪,૦૦૦/- ની માતબર રકમ ની ચોરી….
લેંઘા ના ખિસ્સા માં રૂપિયા સંતાડી લઈ જતા રૂપિયા જાહેરમાં બહાર પડ્યાને પકડાયો….!
હિસાબી અધિકારી દ્વારા કર્મચારી વિરુદ્ધ ચોરી અંગે કરાઈ F.I.R
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારોની સંખ્યામાં માઈ ભક્તો આવતા હોય છે જેઓ પોતાની આસ્થા – શ્રદ્ધા મુજબ મંદિરમાં દાન / ભેટ અર્પણ કરતા હોય છે, ત્યારે આ દાન ભેટની ગણતરી માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર મંગળવારે ભંડારો ખોલી ગણતરીની કામગીરી કરાતી હોય છે જેમાં મંદિરના સમગ્ર સ્ટાફ તેમજ જી.આઈ.એસ.એફ. સિક્યુરિટી ગાર્ડ પણ સામેલ હોય છે.
ત્યારે ગત રોજ મંગળવારે ખૂલેલા ભંડારાની ગણતરીમાં આવેલ કર્મચારીઓ માટે રિફ્રેશમેન્ટ બ્રેક દરમિયાન ચા – નાસ્તાનો કાર્યક્રમ ચાલી રહેલ હતો, તે દરમિયાન મંદિર ઓફિસનો એક કર્મચારી ચિરાગ ઠાકોર જે પટાવાળાની ફરજ બજાવે છે તેના દ્વારા અન્ય કર્મચારીઓ જ્યારે ચા નાસ્તો કરવામાં વ્યસ્ત હતા તે સમયે બાથરૂમ કરવા જતાં ગણતરી માટે પડેલ રકમના બંડલ માંથી એક બંડલ ઉઠાવીને પોતાના લેંઘાના ચોર ખિસ્સામાં સંતાડીને જઈ રહ્યો હતો તે દરમિયાન સંતાડેલ પૈસાનું બંડલ અચાનક પડી જતા તે ઝડપ થી ઉપાડી બાથરૂમ તરફ દોડ્યો હતો,જે બાબતે ત્યાં હાજર રહેલ અન્ય બે પટાવાળા ઉદય જોશી અને મિતેશભાઈ જોશી જોઈ ગયેલ અને તરત તેઓ ચિરાગભાઈ પાછળ બાથરૂમ તરફ જતા ચિરાગભાઈ તે પૈસાનું બંડલ પોતાના લેંઘામાં સંતાડી રહ્યા હોવાનું જોઈ તરત તેમણે ચિરાગ ભાઈને તે પૈસા ઓફિસે પરત કરવા જણાવતા આખરે ચિરાગ ભાઈ દ્વારા તે પૈસા નું બંડલ હિસાબી ઓફિસર ના ટેબલ પર મૂકી દીધેલ જેની ગણતરી કરતા રૂ.૫૦૦/- ની ૨૦૮ નોટો નિકળી હતી જે રૂ.૧,૦૪,૦૦૦/- થાય છે.આ સમગ્ર બાબત ની તાત્કાલિક હિસાબી અધિકારી કૌશલકુમાર એચ.જોશી ને જાણ કરતા તેમના દ્વારા અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનેગાર કર્મચારી વિરુદ્ધ F.I.R નોંધાવી કાયદેસર ની કાર્યવાહી કરવા જાણ કરાઈ છે,ત્યારે ઉકત કર્મચારી દ્વારા ચોરી કરતા પકડાયેલ ત્યારે આ બાબત સામે આવી રહી છે તો આ સિવાય ઉપલા કર્મચારી કે અધિકારી ની પણ હાથ સફાઈ માં સંડોવણી હોઈ શકે ખરી ? તેવી પણ સંભાવનાઓ હોઇ શકે છે,ત્યારે આ સમગ્ર બાબતે અંબાજી મંદિર નો કથળતો વહીવટ સામે આવી રહ્યો છે.
અગાઉ બાંધકામ અધિકારીઓ ભંડાર કક્ષ માં ગણતરી દરમિયાન હાજર રહેતા અત્યાર નો વહીવટ માં અંબા ભરોસે……!!!!
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ એ યાત્રિકો માટે આસ્થા નું કેન્દ્રસ્થાન છે પ્રસંગો ઉપરાંત આ મંદિર ટ્રસ્ટ એના અણઘડ વહીવટ અને કર્મચારીઓ ને લીધે પણ થોડા થોડા દિવસે મીડિયા માં ચમકતું રહે છે ત્યારે ગત રોજ મંદિર ના ભંડાર કક્ષ માં બનેલ ચોરી ના બનાવે લોકો માં અનેક તર્કવિતર્કો ઊભા કર્યા છે .જેમાં લોકમુખે થતી ચર્ચા મુજબ અંબાજી મંદિર ખાતે ભંડાર કક્ષ માં ગણતરી દરમિયાન અગાઉ ના જે અધિકારીઓ હતા તેઓ કામગીરી દરમિયાન હાજર રહેતા હતા જેમાં બાંધકામ ઇજનેર જી.એલ.પટેલ અને રજનીકાંત મેવાડા જેવા અધિકારીઓની નજર સમક્ષ બધી કામગીરી શરૂ અને બંધ થતી હતી, જ્યારે હાલ માં વહીવટદારશ્રી તરીકે જ્યાર થી કૌશિક મોદી સાહેબ આવ્યા છે ત્યાર થી અધિકારીઓની વધતી જતી મનમાની ને મલાઈ ખાઉ અધિકારીઓ અને કર્મચારીઓ, ગાદી સંચાલકો પર રહેમનજર રાખી કરાતો અણઘડ વહીવટ અંબાજી મંદિર ની ગરિમા બાબતે અનેક પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે,ત્યારે આવા વહીવટકર્તા ના રાજ માં હજુ શું જોવા સંભાળવા મળે તે તો માં અંબા જ જાણે…..
અંબાજી મંદિર માં કૌશિક મોદી આવે ત્યારથી અંબાજી મંદિર વિવાદો સાથે ઘેરાયેલું રહે છે પહેલા કોટેશ્વર નજીક થયેલી ચોરીમાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં થઈ બીજી ચોરી ભંડાળ ચોરી આવી તો અનેક ચોરીઓ અંબાજી મંદિરમાં થતી હશે પરંતુ આખા અંબાજી મંદિર આઉટસોર્સિંગ કર્મચારીઓ 8 થી 10,000 ના પગારદારી મોંઘા ડાટ શોખ કરી રહ્યા છે શું આ કર્મચારીઓને આટલા પગાર ની અંદર પોતાનું ઘર ચાલે ખરું કે પછી અંદર ખાનગી મોટા મોટા ખેલ રમતા હોય તેમાં અધિકારીની પણ સંડોવણી હોય તો આ લોકોને આવડતરૂપી વેપાર મળી જાય છે
રિપોર્ટર… અમિત પટેલ અંબાજી
<a href=
<p>The post અંબાજી – અંબાજી મંદિરનો કથળતો જતો વહીવટ,નાની માછલી પકડાઈ મગર મચ્છ બચી ગયા!!. first appeared on gandhinagarmetro.com.</p>















