• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, August 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

satyasamachar by satyasamachar
August 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Load More


અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે દેશની સરહદો પર કપરા સંજોગોમાં દિવસ-રાત દેશની સુરક્ષા માટે તત્પર રહેતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ દેશભક્તિની ભાવનાને જન-જન સુધી પહોંચાડવા અમદાવાદ શહેરના રાયપુરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તિરંગો લહેરાવી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ‘તિરંગા યાત્રા’માં શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ જોડાયા હતા.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગામડાથી મહાનગર સુધી આજે દેશભક્તિનો એક જ રંગ છે-તિરંગાનો રંગ. તેમણે જણાવ્યું કે ભારે ગરમી હોય કે ધોધમાર વરસાદ, કડકડતી ઠંડી હોય કે કપરા સંજોગો, આપણા વીર જવાનો દેશની સુરક્ષા માટે અડીખમ ઊભા રહે છે. આવા વીર જવાનો અને તેમના પરિવારજનો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની દેશના દરેક નાગરિકની જવાબદારી છે. સૌ સાથે મળીને એક-એક વીર જવાનને નમન કરીએ, તેમની બહાદુરીને સલામ કરીએ અને ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા સાથે દેશભક્તિની ગુંજ દેશના દરેક ખૂણે પહોંચાડીએ.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે દેશવ્યાપી જનઆંદોલન બન્યું છે. ગામડાથી મહાનગર સુધી અને બાળકો થી વડીલો સુધી સૌ કોઈ તિરંગા સાથે જોડાઈને રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિ કરી રહ્યા છે. અમદાવાદની તિરંગા યાત્રામાં કિલોમીટરો સુધી યુવાનો, મહિલાઓ અને વડીલો હાથમાં તિરંગો લઈને જોડાયા છે, જે અમદાવાદની ગાઢ દેશભક્તિની જીવંત તસ્વીર છે. દેશભક્તોની રેલી કેવી હોય તેના દૃશ્યો જોવા હોય તો અમદાવાદ આવો, તેમ તેમણે ગૌરવપૂર્વક જણાવ્યું હતું.

તિરંગાની પવિત્રતા અને ગૌરવ જાળવવા નાગરિકોને અનુરોધ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવવો જોઈએ. ઉત્સાહમાં કે અજાણતાં પણ તિરંગો રસ્તા પર ન પડે તેની સૌએ કાળજી રાખવી જોઈએ. યાત્રા પૂર્ણ થયા બાદ તિરંગાને વ્યવસ્થિત રીતે ફોલ્ડ કરીને સન્માનપૂર્વક ઘરે લઈ જઈ યોગ્ય રીતે સાચવવો જોઈએ. તિરંગાની આન, બાન અને શાન જાળવવાની જવાબદારી દરેક નાગરિકની છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજિત એક લાખથી વધુ નગરજનો જોડાયા હતા. બિગબજાર-રાયપુર ખાતેથી પ્રસ્થાન થયેલી યાત્રાના સમગ્ર રૂટને તિરંગાના રંગો અને દેશભક્તિની થીમ સાથે શણગારવામાં આવ્યો હતો. રાયપુર ચાર રસ્તા, ખાડિયા ગેટ અને સારંગપુર ચાર રસ્તા સહિતના માર્ગો પર 11 સ્વાગત સ્ટેજ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ‘વંદે માતરમ્’, ‘સારે જહાં સે અચ્છા’ અને ‘એ મેરે વતન કે લોગો’ જેવા દેશભક્તિના ગીતોથી સમગ્ર માહોલ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયો હતો.

તિરંગા યાત્રામાં અમદાવાદ સ્કૂલ બોર્ડના શિક્ષકો દ્વારા 300 ફૂટ લાંબો વિશાળ રાષ્ટ્રધ્વજ જોડવામાં આવ્યો હતો. પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન, એસ.આર.પી.ના જવાનો, પોલીસ બેન્ડ, ફાયર વિભાગ, હોમગાર્ડ, સ્કાઉટ બેન્ડ સાથેના વિદ્યાર્થીઓ-શિક્ષકો, રમતવીરો તેમજ વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાયેલા સ્વચ્છતા, પર્યાવરણ, રાષ્ટ્રભાવના અને શહેરના વિકાસના સંદેશ આપતા વિવિધ થીમ આધારિત ટેબ્લો પણ યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા હતા.

રાયપુરથી પ્રસ્થાન કરેલી તિરંગા યાત્રા વિવિધ માર્ગો પરથી પસાર થઈ સારંગપુર ખાતે ભવ્ય આતશબાજી સાથે સંપન્ન થઈ હતી. સારંગપુર ખાતે પહોંચ્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાનને શ્રદ્ધાપૂર્વક યાદ કર્યું હતું. ‘ભારત માતા કી જય’ના ગગનભેદી નારા, હાથમાં લહેરાતા તિરંગા અને ભવ્ય આતશબાજી સાથે પૂર્ણ થયેલી આ યાત્રા અમદાવાદની અખંડ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમની ભવ્ય અભિવ્યક્તિ બની રહી હતી.

આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું. તિરંગા યાત્રામાં અગ્રણી પ્રેરકભાઈ શાહ, ધારાસભ્યઓ સર્વ અમિતભાઈ શાહ, અમિતભાઈ ઠાકર, અલ્પેશભાઈ ઠાકોર, બાબુભાઈ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ, કૌશિકભાઈ જૈન, હર્ષદભાઈ પટેલ, પાયલબેન કુકરાણી, અમૂલભાઈ ભટ્ટ, ડૉ. હસમુખભાઈ પટેલ, દિનેશસિંહ કુશવાહા, ડેપ્યુટી મેયર શ્રીમતી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલ મિશ્રા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, કલેકટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે સહિતના અધિકારીઓ- પદાધિકારીઓ પોલીસ જવાનો તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Recent News

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ
GUJARAT

AMC દ્વારા આયોજીત ચાંદલોડિયા-ચાંદખેડા વોર્ડમાં યોજાયેલી તિરંગા યાત્રાથી છવાયો દેશભક્તિનો માહોલ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસર તથા સ્વાતંત્ર્ય...

Read more

અમદાવાદ શહેરમાં દેશભક્તિના રંગે રંગાઈ ભવ્ય ‘તિરંગા યાત્રા

તિરંગા યાત્રામાં દેશભક્તિના રંગ સાથે સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ બની વિશેષ આકર્ષણ

રાધનપુર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ‘હર ઘર તિરંગા’ રેલી યોજાઈ

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ઘાટલોડિયા ખાતે રાષ્ટ્રધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In