• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

Load More


Gujarat Weather Update: રાજ્યમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં કાળઝાળ ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, આગામી 3 દિવસમાં રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો નોંધપાત્ર વધારો થશે, જેના પગલે મોટાભાગના શહેરોનું તાપમાન 41થી 43 ડિગ્રી સુધી પહોંચી જવાનું અનુમાન છે. 

સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું

હવામાન વિભાગ અમદાવાદના અધિકારીએ જણાવ્યું કે, ’24થી 30 એપ્રિલ સુધી હવામાન સામાન્ય રીતે શુષ્ક રહેશે. આગામી 3 દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેન્ટિગ્રેડનો વધારો થવાની સંભાવના છે અને ત્યારબાદ તેમાં ફરીથી 2થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. પવનની દિશા પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેશે અને તેની ઝડપ 15થી 20 ની આસપાસ રહેશે. અત્યાર સુધી નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા જોઈએ તો, સૌથી વધુ તાપમાન રાજકોટમાં 42.7 ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતાં 2.8 ડિગ્રી વધારે છે. આ ઉપરાંત, અમદાવાદમાં 41.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન નોંધાયું છે.’

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ 2 - image

દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો ઍલર્ટ 

અધિકારીએ જણાવ્યું કે, ટઆગામી 3 દિવસ માટે, ગુજરાતના આંતરિક વિસ્તારોમાં તાપમાન 41થી 43 ડિગ્રી સેન્ટિગ્રેડની વચ્ચે રહેશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તે 35થી 40 ડિગ્રી સેન્ટિગ્રેડની અંદર રહેવાની સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન અને ભેજનું પ્રમાણ સામાન્ય કરતા વધુ હોવાથી હોટ એન્ડ હ્યુમિડ સ્થિતિ રહેશે, જેના કારણે ખાસ કરીને 24મી અને 25મી એપ્રિલના રોજ લોકોને ખૂબ બેચેની અને અગવડતા અનુભવાશે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદની વાત કરું તો, આજે આકાશ મુખ્યત્વે સાફ રહેશે અને તાપમાન 42 ડિગ્રી રહેશે. આગામી ત્રણ દિવસ સુધી પણ અમદાવાદનું તાપમાન 41 થી 43 ડિગ્રીની અંદર જ રહેશે; જોકે અમદાવાદ શહેર માટે હાલમાં કોઈ જ ચેતવણી નથી.’

QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારનું તાપમાન

હવે અમદાવાદીઓ પોતાના વિસ્તારમાં કેટલી ગરમી પડશે તેની માહિતી સરળતાથી પોતાના મોબાઈલ પર જ મેળવી શકશે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી 7 દિવસની આગાહી અને શહેરના જુદા જુદા વિસ્તારોના મહત્તમ તાપમાનના આધારે આગામી ત્રણ દિવસ માટેના હોટસ્પોટ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. લોકો માત્ર એક QR કોડ સ્કેન કરીને અથવા લિંક દ્વારા બપોરે 12થી 5 વાગ્યા દરમિયાન પોતાના વિસ્તારમાં નોંધાનાર મહત્તમ તાપમાનની વિગતવાર માહિતી જાણી શકશે. લોકોની સુવિધા માટે આ ડેટા દર ત્રણ દિવસે લિંક અને QR કોડમાં અપડેટ કરવામાં આવશે.

ગુજરાતમાં ગરમી વધશે, અમદાવાદમાં 7 દિવસ હિટવેવનું ઍલર્ટ, QR કોડ સ્કેન કરી જાણો તમારા વિસ્તારની સ્થિતિ 3 - image

અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવશે

હાલ સમગ્ર રાજ્યમાં અમદાવાદ સૌથી ગરમ શહેર સાબિત થઈ રહ્યું છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે પારો 43 ડિગ્રીને પાર જવાની પૂરેપૂરી સંભાવના છે. રાજ્યમાં ફૂંકાઈ રહેલા પશ્ચિમના પવનોને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો હોવા છતાં અસહ્ય બફારાને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.

મતદાનના દિવસે કેવું રહેશે વાતાવરણ?

આગામી 26મી તારીખે રાજ્યમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવાનું છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ તે દિવસે વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. મતદાનના દિવસે રાજ્યનું તાપમાન 40થી 43 ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પારો 37થી 40 ડિગ્રીની આસપાસ રહેશે, પરંતુ બફારાના કારણે મતદારોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

Next Post
વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen…

વિદ્યાર્થીઓએ કલાકૃતિઓ થકી કરી મનની વાત, ફાઈન આર્ટસ ફેકલ્ટીના પ્રદર્શનનો પ્રારંભ, જૂઓ તસવીરો | Studen...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

Recent News

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…
GUJARAT

BIG NEWS: રાઘવ ચઢ્ઢા સહિતના સાંસદોએ કર્યો પક્ષપલટો, આમ આદમી પાર્ટી છોડી ભાજપમાં જોડાયા | 7 MPs inclu…

Delhi Politics: આમ આદમી પાર્ટીમાંથી રાઘવ ચઢ્ઢા સહિત સાત સાંસદોએ આજે(24 એપ્રિલ) રાજીનામાં આપ્યા હતા. રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢા, અશોક...

Read more

સંકલ્પની સિદ્ધિ નહીં પણ શુદ્ધિ જરૂરી : મોરારિબાપુ માનસ “શિવસંકલ્પ” રામ કથાનના સાતમા દિવસનું સફળ આયોજ…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાંથી જાહેરમાં ઘોડિપાસાનો જુગાર રમતાં ચાર આરોપીઓ ઝડપાયા | Four accused arre…

જામનગરના ખોજાવાડ વિસ્તારમાં યુવાન પર લાકડાના ધોકાથી હુમલો : બે આરોપીઓ સામે ગુનો નોંધાયો | Attack on …

જામનગરના દીવો કરતાં ગોડાઉનમાં આગ લાગવાથી દાઝી જવાના કારણે એક મહિલાનું કરુણ મૃત્યુ | “Rally Politics”…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In