![]()
જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા ના કર્મચારીઓ એસઆઈઆર. /બીએલઓ (ચૂંટણીલક્ષી કામગીરી)ની કામગીરીમાં રોકાયેલા હોવાથી, મિલકતધારકોની નામ ટ્રાન્સફરની અરજીઓ પેન્ડીંગ રહેવા પામેલ હતી. જે પેન્ડીંગ અરજીઓ ના નિકાલ માટે શાખા દ્વારા તા. 28-02-2026, શનિવારના રોજ સ્પેશ્યલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં નામ ટ્રાન્સફર તેમજ અન્ય 1564 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો અને કુલ-137 મિલકતધારકો દ્વારા ભરપાઈ કરાયેલ રૂ.1.53 કરોડનો મિલકત વેરો વસુલ થયેલ છે.
આ કામગીરી આસી. કમિશ્નર (ટેકસ)ના માર્ગદર્શન હેઠળ ટેકસ શાખાના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં રૂ.122.47 કરોડની આવક થયેલ, જેમાં 1,09,521 મિલકતધારકો દ્વારા મિલકત વેરો ભરપાઈ કરવામા આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. 31-03-2026 સુધી 100 ટકા વ્યાજ માફી યોજના જાહેર કરેલ હોય, આ યોજનાનો લાભ લેવા પણ શહેરીજનો ને અનુરોધ કરવામાં આવ્યો છે.















