Rajkot News: રાજકોટ આજી ડેમમાં ચાર લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. ડેમના કાંઠા પર આવેલા મોગલ માતાજીના મંદિરે દર્શન કર્યા બાદ એક વ્યક્તિ કોઈ કારણોસર ડેમમાં ડૂબ્યો હતો. આ દરમિયાન તેને બચાવવા જતાં અન્ય ત્રણ વ્યક્તિઓ ડૂબ્યા હોવાનું જણાય છે. આ દુર્ઘટનામાં પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક માહિતી મુજબ, રાજકોટના આજી ડેમના કાંઠા પાસે આવેલા મોગલ માતાજીના મંદિરે રિક્ષાચાલક ભરત જાદવ, તેના બે દીકરા અને સાળીના દીકરા સાથે દર્શનાર્થે આવ્યા હતા. આ દરમિયાન તેમાંથી એક વ્યક્તિ ડેમમાં ડૂબ્યો હતો. જેને બચાવવા જતાં રિક્ષાચાલક સહિત ચાર વ્યક્તિઓ પાણીમાં ડૂબ્યા હતા. તમામ વ્યક્તિ ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જણાય છે.
આ પણ વાંચો: જામનગરના દડીયા પાસે ફોરેસ્ટ રિસોર્ટમાં ભીષણ આગ: લગ્ન પ્રસંગમાં મચી અફરાતફરી, મંડપ સહિતનો સામાન ખાખ
મૃતકના નામ
– ભરત જાદવ
– ધવલ જાદવ
– ધ્રુવ મકવાણા















