• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…

satyasamachar by satyasamachar
May 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વિજયના શપથ પર ‘ગ્રહણ’: ધારાસભ્ય ગુમ, નકલી સહી અને હોર્સ-ટ્રેડિંગના આરોપો બાદ રાષ્ટ્રપતિ શાસનની અટકળો…
1
VIEWS
Share on FacebookShare on Twitter



Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને ‘ગુમ’ થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

બહુમતીના આંકડામાં અટવાયેલું રાજકારણ

તમિલનાડુની વર્તમાન સરકારની મુદત 10 મેના રોજ પૂરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી નથી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સ્પષ્ટ કર્યું છે કે 234 સભ્યોની વિધાનસભામાં જે પક્ષ 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરશે તેને જ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. તાજેતરની ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીથી થોડી દૂર છે. બીજી તરફ ડીએમકે (DMK) ગઠબંધનને 73 અને એઆઈએડીએમકે (AIADMK) ગઠબંધનને 53 બેઠકો મળી છે.

સમર્થન અને બેઠકોની ગણતરી

બહુમતી સાબિત કરવા માટે વિજયની પાર્ટીએ કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) સાથે વાતચીત શરૂ કરી હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકેનો આંકડો 113 પર પહોંચ્યો હતો અને ડાબેરી પક્ષોના ટેકા બાદ આ સંખ્યા 117 થઈ હતી. જોકે, અહીં એક ટેકનિકલ ગૂંચવણ એ છે કે વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે પ્રભાવી સંખ્યા ફરી ઘટી શકે છે.

નકલી પત્ર અને ‘લાપતા’ ધારાસભ્યનો વિવાદ

શુક્રવારની રાત્રે આ રાજકીય સંકટ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે એએમએમકે (AMMK)ના વડા ટીટીવી દિનાકરને રાજભવન પહોંચીને ટીવીકે પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના ધારાસભ્ય એસ. કામરાજ ‘લાપતા’ છે અને તેમના નકલી હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. જોકે, થોડી જ વારમાં કામરાજ પોતે મીડિયા સમક્ષ હાજર થયા અને સ્પષ્ટ કર્યું કે તેમણે ટીવીકેને સમર્થન આપ્યું નથી. બીજી તરફ, ટીવીકેએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે કામરાજે સ્વેચ્છાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો

રાષ્ટ્રપતિ શાસન તરફ તમિલનાડુ?

હાલમાં જે રીતે હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યા છે અને કોઈ પક્ષ બહુમતી સાબિત કરી શકતો નથી, તે જોતા રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારને બંધારણીય સંકટનો રિપોર્ટ મોકલી શકે છે. જો 10 મે સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા છે. અત્યારે સરકાર પાસે માત્ર 48 કલાકથી ઓછો સમય બાકી છે અને ચેન્નાઈમાં રાજકીય હલચલ તેજ બની છે.



Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને ‘ગુમ’ થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

બહુમતીના આંકડામાં અટવાયેલું રાજકારણ

તમિલનાડુની વર્તમાન સરકારની મુદત 10 મેના રોજ પૂરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી નથી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સ્પષ્ટ કર્યું છે કે 234 સભ્યોની વિધાનસભામાં જે પક્ષ 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરશે તેને જ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. તાજેતરની ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીથી થોડી દૂર છે. બીજી તરફ ડીએમકે (DMK) ગઠબંધનને 73 અને એઆઈએડીએમકે (AIADMK) ગઠબંધનને 53 બેઠકો મળી છે.

સમર્થન અને બેઠકોની ગણતરી

બહુમતી સાબિત કરવા માટે વિજયની પાર્ટીએ કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) સાથે વાતચીત શરૂ કરી હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકેનો આંકડો 113 પર પહોંચ્યો હતો અને ડાબેરી પક્ષોના ટેકા બાદ આ સંખ્યા 117 થઈ હતી. જોકે, અહીં એક ટેકનિકલ ગૂંચવણ એ છે કે વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે પ્રભાવી સંખ્યા ફરી ઘટી શકે છે.

નકલી પત્ર અને ‘લાપતા’ ધારાસભ્યનો વિવાદ

શુક્રવારની રાત્રે આ રાજકીય સંકટ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે એએમએમકે (AMMK)ના વડા ટીટીવી દિનાકરને રાજભવન પહોંચીને ટીવીકે પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના ધારાસભ્ય એસ. કામરાજ ‘લાપતા’ છે અને તેમના નકલી હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. જોકે, થોડી જ વારમાં કામરાજ પોતે મીડિયા સમક્ષ હાજર થયા અને સ્પષ્ટ કર્યું કે તેમણે ટીવીકેને સમર્થન આપ્યું નથી. બીજી તરફ, ટીવીકેએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે કામરાજે સ્વેચ્છાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો

રાષ્ટ્રપતિ શાસન તરફ તમિલનાડુ?

હાલમાં જે રીતે હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યા છે અને કોઈ પક્ષ બહુમતી સાબિત કરી શકતો નથી, તે જોતા રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારને બંધારણીય સંકટનો રિપોર્ટ મોકલી શકે છે. જો 10 મે સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા છે. અત્યારે સરકાર પાસે માત્ર 48 કલાકથી ઓછો સમય બાકી છે અને ચેન્નાઈમાં રાજકીય હલચલ તેજ બની છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Load More



Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને ‘ગુમ’ થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

બહુમતીના આંકડામાં અટવાયેલું રાજકારણ

તમિલનાડુની વર્તમાન સરકારની મુદત 10 મેના રોજ પૂરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી નથી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સ્પષ્ટ કર્યું છે કે 234 સભ્યોની વિધાનસભામાં જે પક્ષ 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરશે તેને જ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. તાજેતરની ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીથી થોડી દૂર છે. બીજી તરફ ડીએમકે (DMK) ગઠબંધનને 73 અને એઆઈએડીએમકે (AIADMK) ગઠબંધનને 53 બેઠકો મળી છે.

સમર્થન અને બેઠકોની ગણતરી

બહુમતી સાબિત કરવા માટે વિજયની પાર્ટીએ કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) સાથે વાતચીત શરૂ કરી હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકેનો આંકડો 113 પર પહોંચ્યો હતો અને ડાબેરી પક્ષોના ટેકા બાદ આ સંખ્યા 117 થઈ હતી. જોકે, અહીં એક ટેકનિકલ ગૂંચવણ એ છે કે વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે પ્રભાવી સંખ્યા ફરી ઘટી શકે છે.

નકલી પત્ર અને ‘લાપતા’ ધારાસભ્યનો વિવાદ

શુક્રવારની રાત્રે આ રાજકીય સંકટ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે એએમએમકે (AMMK)ના વડા ટીટીવી દિનાકરને રાજભવન પહોંચીને ટીવીકે પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના ધારાસભ્ય એસ. કામરાજ ‘લાપતા’ છે અને તેમના નકલી હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. જોકે, થોડી જ વારમાં કામરાજ પોતે મીડિયા સમક્ષ હાજર થયા અને સ્પષ્ટ કર્યું કે તેમણે ટીવીકેને સમર્થન આપ્યું નથી. બીજી તરફ, ટીવીકેએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે કામરાજે સ્વેચ્છાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો

રાષ્ટ્રપતિ શાસન તરફ તમિલનાડુ?

હાલમાં જે રીતે હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યા છે અને કોઈ પક્ષ બહુમતી સાબિત કરી શકતો નથી, તે જોતા રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારને બંધારણીય સંકટનો રિપોર્ટ મોકલી શકે છે. જો 10 મે સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા છે. અત્યારે સરકાર પાસે માત્ર 48 કલાકથી ઓછો સમય બાકી છે અને ચેન્નાઈમાં રાજકીય હલચલ તેજ બની છે.



Tamil Nadu Political Crisis: તમિલનાડુમાં નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલો રાજકીય ડ્રામા હવે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની અટકળો તેજ બની છે, કારણ કે સરકાર બનાવવા માટે કોઈ પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી દેખાઈ રહી નથી. ધારાસભ્યોના ખરીદ-વેચાણ (હોર્સ ટ્રેડિંગ), નકલી સમર્થન પત્ર અને ‘ગુમ’ થયેલા ધારાસભ્યોના આરોપોએ રાજ્યના રાજકારણને વધુ ગૂંચવી દીધું છે.

બહુમતીના આંકડામાં અટવાયેલું રાજકારણ

તમિલનાડુની વર્તમાન સરકારની મુદત 10 મેના રોજ પૂરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી સત્તાની ચાવી કોના હાથમાં જશે તે નક્કી નથી. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે સ્પષ્ટ કર્યું છે કે 234 સભ્યોની વિધાનસભામાં જે પક્ષ 118 ધારાસભ્યોનું સમર્થન સાબિત કરશે તેને જ સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવશે. તાજેતરની ચૂંટણીમાં અભિનેતા વિજયની પાર્ટી ટીવીકે (TVK) 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવી છે, પરંતુ તે બહુમતીથી થોડી દૂર છે. બીજી તરફ ડીએમકે (DMK) ગઠબંધનને 73 અને એઆઈએડીએમકે (AIADMK) ગઠબંધનને 53 બેઠકો મળી છે.

સમર્થન અને બેઠકોની ગણતરી

બહુમતી સાબિત કરવા માટે વિજયની પાર્ટીએ કોંગ્રેસ, સીપીઆઈ અને સીપીઆઈ(એમ) સાથે વાતચીત શરૂ કરી હતી. કોંગ્રેસના 5 ધારાસભ્યોના ટેકા સાથે ટીવીકેનો આંકડો 113 પર પહોંચ્યો હતો અને ડાબેરી પક્ષોના ટેકા બાદ આ સંખ્યા 117 થઈ હતી. જોકે, અહીં એક ટેકનિકલ ગૂંચવણ એ છે કે વિજય પોતે બે બેઠકો પરથી ચૂંટણી જીત્યા છે અને તેમણે એક બેઠક છોડવી પડશે, જેના કારણે પ્રભાવી સંખ્યા ફરી ઘટી શકે છે.

નકલી પત્ર અને ‘લાપતા’ ધારાસભ્યનો વિવાદ

શુક્રવારની રાત્રે આ રાજકીય સંકટ ત્યારે વધુ ઘેરું બન્યું જ્યારે એએમએમકે (AMMK)ના વડા ટીટીવી દિનાકરને રાજભવન પહોંચીને ટીવીકે પર ધારાસભ્યોના ખરીદ-વેચાણનો ગંભીર આરોપ લગાવ્યો. તેમણે દાવો કર્યો કે તેમના ધારાસભ્ય એસ. કામરાજ ‘લાપતા’ છે અને તેમના નકલી હસ્તાક્ષરવાળો પત્ર રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. જોકે, થોડી જ વારમાં કામરાજ પોતે મીડિયા સમક્ષ હાજર થયા અને સ્પષ્ટ કર્યું કે તેમણે ટીવીકેને સમર્થન આપ્યું નથી. બીજી તરફ, ટીવીકેએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે કામરાજે સ્વેચ્છાએ હસ્તાક્ષર કર્યા હતા.

આ પણ વાંચો: કૃષિપ્રધાન દેશ ભારતમાં દરરોજ 28 ખેડૂત-ખેતમજૂરોના આપઘાત, NCRBના રિપોર્ટમાં ધડાકો

રાષ્ટ્રપતિ શાસન તરફ તમિલનાડુ?

હાલમાં જે રીતે હોર્સ ટ્રેડિંગના આરોપો લાગી રહ્યા છે અને કોઈ પક્ષ બહુમતી સાબિત કરી શકતો નથી, તે જોતા રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે કે રાજ્યપાલ કેન્દ્ર સરકારને બંધારણીય સંકટનો રિપોર્ટ મોકલી શકે છે. જો 10 મે સુધીમાં કોઈ ઉકેલ નહીં આવે, તો તમિલનાડુમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થવાની પ્રબળ શક્યતા છે. અત્યારે સરકાર પાસે માત્ર 48 કલાકથી ઓછો સમય બાકી છે અને ચેન્નાઈમાં રાજકીય હલચલ તેજ બની છે.

Next Post
વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw…

વડોદરામાં કાલાઘોડા સર્કલ પાસે રાત્રે એસટી બસ અને ટ્રેલર વચ્ચે અકસ્માત મુસાફરોનો બચાવ | Accident betw...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Recent News

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ...

Read more

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In