વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)
જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક શ્રી મનસુખભાઈ સુવાગીયાએ દેશને જળક્રાંતિ, ગીર-કાંકરેજ ગાય ક્રાંતિ, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દેશી કૃષિબીજ-દેશી આંબાની સુરક્ષા, દિવ્યગ્રામ યોજના જેવી વિશ્વકલ્યાણકારી પાંચ યોજના અને ગોવેદ-જળક્રાંતિ જેવા સાત શાસ્ત્રોના પ્રદાન બદલ બોટાદ જિલ્લાના ચારણકી ગામ દ્વારા મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે ઈતિહાસવિદ શ્રી રામકુભાઈ ખાચરે જણાવ્યું, કે જળસંકટ, દેશી ગાયોનો વિનાશ, જ્યારે વિશ્વસંકટ બન્યા, કૃષિ અને ગામડાં ભાંગી ગયાં ત્યારે મનસુખભાઈ સુવાગીયાએ એક ગામમાં 5 થી 51 ચેકડેમ-તળાવ, ગીર-કાંકરેજ ગાય આપણા આંગણે યોજના, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, દિવ્યગ્રામ યોજના હજારો ગામોમાં સાકાર કરી છે.
આ ક્રાંતિઓના ભગીરથ મનસુખભાઈ સુવાગીયા છે. જ્યારે સ્વામીનારાયણ સંપ્રદાયે આપણા દેવોને નીચા ચીતરી પોતાનાં ઈષ્ટને સર્વોપરિ બતાવી અને ગાદીપતિઓએ પ્રગટબ્રહ્મના પાખંડ આચયૉ છે તેમ મનસુખભાઈ જણાવ્યું હતું.આ આ પાખંડને પડકારીને સનાતન ધર્મરક્ષાનું કાર્ય કરવું જોઈએ.
900 વર્ષની ગુલામી પછી ભારત-સનાતનધર્મ બચ્યો, તેનું મૂળ વેદ-રામાયણ-ગીતા-શ્રીરામ-શ્રીકૃષ્ણ-હનુમાનનો કર્તવ્યધર્મ-પરાક્રમ-રાષ્ટ્રધર્મ છે તેમ જણાવ્યું હતું.
સભામાં ઉપસ્થિત 200 બૌધિકોએ આ સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં હિન્દુ દેવોના અપમાનરૂપ ચિત્રોનો એકલે હાથે નાશ કરનાર હર્ષદભાઈ ગઢવીને સનાતનધર્મ પ્રચાર માટે સભા દ્વારા ૫.૫૫ લાખ રૂા. અર્પણ કરાયા હતાં.
ઉપરાંત મહામંડલેશ્વર શ્રી જગદેવદાસજી લક્ષ્મણ મંદિર-બરવાળા, શ્રી ગીરીશઆપા-સોનલધામ, મઢડા, લોકસાહિત્યકાર મહેશભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત હતા.














