![]()
અમદાવાદ : ભારતમાં શેર બાયબેકની બોલબાલા ફરી વધી રહી છે. કેટલીક કંપનીઓએ આ મહિને તેમના શેર બાયબેક કરવાની યોજના જાહેર કરી છે. નિષ્ણાતો કહે છે કે આ વલણ કર નિયમોમાં તાજેતરના ફેરફારો અને શેરના ભાવમાં ઘટાડાને પગલે કંપનીઓની નફા વિતરણ વ્યૂહરચનામાં પરિવર્તન સૂચવે છે.
વિપ્રો, અરવિંદો ફાર્મા અને સાયન્ટ સહિત અડધો ડઝન કંપનીઓ બાયબેક મોરચે કાર્યરત છે જેમણે આ મહિને અત્યાર સુધીમાં શેર બાયબેક પ્રોગ્રામનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્તો ખાસ કરીને એવા સમયે આવી છે જ્યારે કંપનીઓ તેમના અંતિમ ડિવિડન્ડ ચૂકવી રહી છે.
બાયબેક ઓફરમાં આ વધારો ફાઇનાન્સ એક્ટ, ૨૦૨૬માં કરવેરા નિયમોમાં ફેરફાર પછી આવ્યો છે, જે ૧ એપ્રિલથી અમલમાં આવ્યો હતો. નવા નિયમો હેઠળ, શેરધારકોએ નફા પર મૂડી લાભ કર ચૂકવવો પડશે. આ નિયમ અગાઉના ‘ડીમ્ડ ડિવિડન્ડ’ને બદલે છે, જેણે બાયબેકનું આકર્ષણ નોંધપાત્ર રીતે ઘટાડયું હતું.
છેલ્લા બે વર્ષમાં બાયબેક પ્રવૃત્તિ ધીમી રહી હતી. પ્રાઇમ ડેટાબેઝ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૬ માં ૧૬ કંપનીઓએ રૂા. ૧૯,૫૦૦ કરોડના શેર ફરીથી ખરીદ્યા હતા. નાણાકીય વર્ષ ૨૦૨૫ માટેનો કુલ આંકડો રૂા. ૮,૦૩૪ કરોડ હતો, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂા.૫૦,૭૫૦ કરોડ કરતા નોંધપાત્ર રીતે ઓછો હતો.
તાજેતરના વર્ષોમાં બાયબેકના કરવેરાનું સંચાલન કરતા નિયમોમાં ત્રણ મોટા ફેરફારો થયા છે. સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી, કંપનીઓએ બાયબેક વિતરણ કર ચૂકવ્યો હતો, જ્યારે શેરધારકોને તેમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ઓક્ટોબર ૨૦૨૪માં આ બદલાયું, જ્યારે બાયબેકમાંથી મળેલી રકમ પર ડિવિડન્ડ જેવા શેરધારકોના હાથમાં સ્લેબ દરે કર લાદવામાં આવ્યો, જેના કારણે કેટલાક રોકાણકારો માટે અસરકારક કર દર ૪૦ ટકાથી વધુ થઈ ગયા અને બાયબેક પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો.















