• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: ઈઝરાયલ ભારતના 5000 લોકોને એરલિફ્ટ કરીને તેલ અવીવ કેમ લઈ જઈ રહ્યા છે? જાણો ‘ખાસ ઓપરેશન’ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

Load More


Israel Airlifting 5000 People from Manipur : ઈઝરાયલ અત્યારે ભારતમાં એક ખાસ ઓપરેશન ચલાવી રહ્યું છે. અહેવાલો અનુસાર, આ મિશન હેઠળ મણિપુરના અંદાજે 5000 લોકોને ઈઝરાયલના તેલ અવીવમાં વસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે, આ તમામ લોકો એક જ સમુદાય એટલે કે ‘બનેઈ મેનાશે’ સમુદાયના છે. ગુરુવારે ઈઝરાયલ સરકારે આ ઓપરેશન હેઠળ અંદાજે 250 લોકોની પ્રથમ બેચને દિલ્હી થઈને તેલ અવીવ પહોંચાડી છે, જેના કારણે આ ખાસ ઓપરેશન ચર્ચામાં આવ્યું છે.

તેલ અવીવમાં ‘બનેઈ મેનાશે’ સમુદાયને વસાવવાની કવાયત

ઈઝરાયલ દ્વારા આ ઓપરેશનને ‘ઓપરેશન વિંગ્સ ઑફ ડોન’ (Operation Wings of Dawn) નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે બેન્જામિન નેતન્યાહુ સરકારે ભારતથી આ સમુદાયના અંદાજે 4,600 લોકોના ઈમિગ્રેશન માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા બે દાયકામાં અંદાજે 5000 લોકોને પહેલા જ ઈઝરાયલ લઈ જવામાં આવ્યા છે. ઈઝરાયલના ઈમિગ્રેશન મંત્રી ઓફિર સોફરે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સમગ્ર સમુદાયને વસાવવાની શરૂઆત છે અને દર વર્ષે અંદાજે 1200 લોકોને ત્યાં લઈ જવામાં આવશે.

આ પણ વાંચો : આમ આદમી પાર્ટીમાં ભંગાણ: રાઘવ ચઢ્ઢા સહિત ત્રણ સાંસદના રાજીનામા, ભાજપમાં જોડાવાની જાહેરાત

કોણ છે બનેઈ મેનાશે સમુદાયના લોકો?

બનેઈ મેનાશે સમુદાયના મૂળ બાઇબલમાં વર્ણવેલ પ્રાચીન ઈઝરાયલની 12 જનજાતિઓમાંથી એક સાથે જોડાયેલા માનવામાં આવે છે. આ લોકો પોતાને બાઇબલની ‘લોસ્ટ ટ્રાઈબ’ એટલે કે ‘ખોવાયેલી જનજાતિ’ઓમાંથી એક ગણાવે છે. આ સમુદાય પોતાને યૂસુફના પુત્ર મેનાશેના વંશજ માને છે. ઈતિહાસમાં જોઈએ તો, 722 ઈસા પૂર્વે એસીરિયન શાસકોએ આ જનજાતિને દેશનિકાલ કરી હતી. ત્યારબાદ સદીઓ સુધી આ લોકો પર્શિયા, અફઘાનિસ્તાન, તિબેટ અને ચીન થઈને આશરે 10,000 લોકો ભારતના પૂર્વોત્તરમાં પહોંચ્યા અને મણિપુર તથા મિઝોરમમાં સ્થાયી થયા.

ભારતમાં કુકી જનજાતિનો હિસ્સો

ભારતમાં આ સમુદાયના લોકો કુકી જનજાતિનો ભાગ છે. જોકે મોતાભાગના કુકી લોકો ખ્રિસ્તી ધર્મ અપનાવી ચૂક્યા છે, પરંતુ બનેઈ મેનાશે સમુદાય યહૂદી ધર્મ અને પરંપરાઓનું પાલન કરે છે. ભારતમાં યહૂદીઓને હંમેશા સુરક્ષાવાળું વાતાવરણ મળ્યું છે, તેથી તેઓ અહીં કોઈ પણ ધાર્મિક સમસ્યા વગર રહી શક્યા છે.

આ પણ વાંચો : પંજાબમાં AAPનું ગણિત બગડ્યું! રાઘવ ચઢ્ઢા સહિત અન્ય સાંસદોના પક્ષપલટા પાછળના પાંચ મોટા કારણો

શા માટે ઈઝરાયલ લઈ જવામાં આવી રહ્યા છે?

તેઓને ઈઝરાયલ લઈ જવાનું સૌથી મોટું કારણ સમુદાયનો ધર્મ છે. મણિપુરના દૂરના પહાડી વિસ્તારોમાં ધાર્મિક સુવિધાઓના અભાવે તેઓ પોતાની પરંપરાઓ સંપૂર્ણ રીતે નિભાવી શકતા નથી. સમુદાયના લોકોનું કહેવું છે કે, કેટલીક ધાર્મિક વિધિઓ માટે ઓછામાં ઓછા 10 લોકોના સમૂહ(મિનયાન)ની જરૂર હોય છે, જે અહીં મળવું નથી. આ ઉપરાંત પરંપરાગત ભોજન અને સાંસ્કૃતિક સંસાધનોની અછતની પણ સમસ્યા છે. ઈઝરાયલ જવાની તૈયારીમાં ઘણા લોકો હિબ્રૂ ભાષા પણ શીખી રહ્યા છે. ઈઝરાયલ પહોંચ્યા પછી તેમને નાગરિકતા મેળવવા માટે યહૂદી ધર્મમાં ઔપચારિક રીતે પરિવર્તન કરવું પડશે.

ઈઝરાયલના નિર્ણય પાછળ આર્થિક અને વ્યૂહાત્મક કારણો

ઈઝરાયલ સરકારનું કહેવું છે કે આ સમુદાયને વસાવવાથી દેશના ઉત્તરી અને ગેલીલી વિસ્તારો મજબૂત થશે. જોકે આ નિર્ણય પાછળ આર્થિક અને વ્યૂહાત્મક કારણો પણ જોવામાં આવી રહ્યા છે. ઈઝરાયલ લાંબા સમયથી ગાઝા અને ઈરાન સાથે યુદ્ધ લડી રહ્યું છે, જેના કારણે ત્યાં શ્રમિકોની અછત સર્જાઈ છે. નેપાળ અને થાઈલેન્ડ જેવા દેશોમાંથી આવતા મજૂરો પણ યુદ્ધને કારણે ઘટી ગયા છે. આવી સ્થિતિમાં બનેઈ મેનાશે સમુદાયને વસાવવાથી ત્યાંની લેબરની અછત પૂરી થઈ શકે છે. સાથે જ સરહદી વિસ્તારોમાં આ સમુદાયને વસાવીને ઈઝરાયલ પોતાની વસ્તીનું સંતુલન પણ જાળવી રાખવા માંગે છે. 2023માં ઈઝરાયલ-હમાસ યુદ્ધ દરમિયાન આ સમુદાયના 200થી વધુ લોકો ઈઝરાયલી સેના સાથે જંગ લડી ચૂક્યા છે.

આ પણ વાંચો : પંજાબીઓ સાથે ભાજપે ફરી દગો કર્યો, રાઘવ ચઢ્ઢા મુદ્દે કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા

Next Post
અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે ‘કેસરિયા’… શું દબાણમાં AAP છોડી? | Operation L…

અશોક મિત્તલના ઘરે 15 એપ્રિલે EDના દરોડા, 24 એપ્રિલે 'કેસરિયા'... શું દબાણમાં AAP છોડી? | Operation L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

Recent News

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …
GUJARAT

સાબરમતી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટ લાલઘૂમ: ‘કંઈ શક્ય નથી’ જેવા શબ્દો સોગંદનામામાંથી હટાવો, CETPના પાલન …

Sabarmati Pollution: સાબરમતી નદીના વધતા પ્રદૂષણ મુદ્દે ચાલી રહેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટે આજે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. ચીફ...

Read more

ઉનામાં AAP ઉમેદવારની ધરપકડ, પોતાના પર ફાયરિંગ થયાનું નાટક કરીને સામેવાળાને ફસાવવાનો કર્યો પ્રયાસ, તપ…

ગ્લુ ટ્રેપ મામલે હાઈકોર્ટ લાલચોળ: ‘તમે જાણ્યા વગર જ બિલ પસાર કરી દીધું, અમને સરકારી વાર્તાઓમાં રસ નથ…

‘હું પક્ષપલટો નહીં કરું…’, રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાતાં ગુજરાત AAP એક્શન મોડમાં! સુરતમાં ઉમેદવારો પા…

અમદાવાદ: મિહિર પરીખ સામે નોંધાઈ વધુ 4 ફરિયાદ, શેરબજાર અને સોનામાં રોકાણના બહાને 25.60 કરોડની ઠગાઈ | …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In