• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, May 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

satyasamachar by satyasamachar
May 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

Load More


8th Pay Commission: High Hopes, Huge Hikes: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે ‘પગાર પંચ’ એ માત્ર એક નિયમિત પગાર સુધારણાની પ્રક્રિયા નથી, પરંતુ તેમના આર્થિક ભવિષ્યનો સૌથી મોટો આધાર સ્તંભ છે. હાલમાં 8મા પગાર પંચ બાબતે ભારે હલચલ જોવા મળી રહી છે. જે ચર્ચા માત્ર પગાર અને પેન્શનના સામાન્ય વધારાથી શરૂ થઈ હતી, તે હવે એક દેશવ્યાપી ચર્ચા બની ગઈ છે. વિવિધ કર્મચારી સંગઠનો દ્વારા કરવામાં આવેલી આક્રમક માંગણીઓએ સરકાર સામે આર્થિક સંતુલન જાળવવાનો એક મોટો પડકાર ઊભો કર્યો છે. આ વખતે ચર્ચાના કેન્દ્રમાં એક એવી અનોખી ‘5 ફિટમેન્ટ ફેક્ટર’ ફોર્મ્યુલા છે, જો તે સ્વીકારવામાં આવે તો કેટલાક વરિષ્ઠ કર્મચારીઓના પગારમાં 400%થી વધુનો જંગી વધારો થઈ શકે છે!

શું છે 5 ફિટમેન્ટ ફેક્ટરની નવી ફોર્મ્યુલા?

અત્યાર સુધીના પગાર પંચોમાં દરેક કર્મચારી માટે એક સમાન ગુણક એટલે કે ફિટમેન્ટ ફેક્ટર રખાતું હતું, પરંતુ આ વખતે ‘ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર્સ એસોસિએશન’ (IRTSA)એ એક નવો જ પ્રસ્તાવ મૂક્યો છે. જુનિયર અને સીનિયર સ્ટાફ વચ્ચેના પગારના અંતરને યોગ્ય કરવા માટે તેમણે અલગ-અલગ પગાર સ્તરો માટે પાંચ અલગ ફિટમેન્ટ ફેક્ટરની માંગ કરી છે.

– લેવલ 1થી 5 માટે: 2.92 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 6થી 8 માટે: 3.50 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 9થી 12 માટે: 3.80 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 13થી 16 માટે: 4.09 નું ફિટમેન્ટ ફેક્ટર

– લેવલ 17થી 18 માટે: 4.38 નું ફિટમેન્ટ ફેક્ટર

ફિટમેન્ટ ફેક્ટર એટલે શું?

ફિટમેન્ટ ફેક્ટર એ એક પ્રકારનો ગુણક છે, જેના આધારે નવો પગાર નક્કી થાય છે. તેનું સરળ સૂત્ર છે: 

– નવો બેઝિક પગાર = વર્તમાન બેઝિક પગાર x ફિટમેન્ટ ફેક્ટર

7મા પગાર પંચમાં આ ફેક્ટર 2.57 હતું.

પગાર પર કેવી અસર પડશે?

જો આ નવી ફોર્મ્યુલા મંજૂર થાય તો કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો જોવા મળશે.

– વરિષ્ઠ સ્તર (લેવલ 17-18): જે કર્મચારીઓનો બેઝિક પગાર અત્યારે રૂ. 2,50,000 છે, તેમનો નવો પગાર 4.38ના ફેક્ટર સાથે વધીને સીધો અંદાજે રૂ. 10,95,000 થઈ શકે છે.

– મધ્યમ સ્તર (લેવલ 6-8): જે કર્મચારીઓનો બેઝિક પગાર રૂ. 45,000 છે, તેમનો પગાર 3.50ના ફેક્ટર સાથે વધીને રૂ. 1,57, 500 સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો: હું જવાબદારી લઉં છું, ખામીઓ દૂર કરાશે…, CBSE OSM વિવાદમાં આખરે શિક્ષણ મંત્રીએ મૌન તોડ્યું

અન્ય સંગઠનોની માંગણીઓ

માત્ર IRTSA જ નહીં, અન્ય યુનિયનો પણ પોતાની માંગ મજબૂત રીતે રજૂ કરી રહ્યા છે.

– નેશનલ કાઉન્સિલ-JCM (Joint Consultative Machinery): લઘુતમ મૂળ પગાર રૂ. 69,000 કરવાની માંગ કરી છે.

– ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘ: લઘુતમ પગાર રૂ. 72,000 અને 4.0નું ફિટમેન્ટ ફેક્ટર ઈચ્છે છે.

– રેલવે સ્ટાફની વિશેષ માંગ: ટેકનિકલ સ્ટાફ માટે અલગ પગાર માળખું, ઝડપી બઢતી, 5% વાર્ષિક પગાર વધારો અને નવી ગણતરીઓ શરૂ થાય તે પહેલાં 50% મોંઘવારી ભથ્થાને (DA) મૂળ પગારમાં ભેળવી દેવાની માંગ કરાઈ છે.

‘ફેમિલી યુનિટ’માં સભ્યોની સંખ્યા વધારવા માંગ 

કર્મચારી સંગઠનોનું કહેવું છે કે આજના સમયમાં મોંઘવારી, શિક્ષણ અને સ્વાસ્થ્યના ખર્ચ ખૂબ વધી ગયા છે. કર્મચારીઓ પર આખા પરિવારની જવાબદારી હોય છે. તેથી વેતન નક્કી કરવા માટેના ‘ફેમિલી યુનિટ’ના નિયમને 3 સભ્યોથી વધારીને 5 સભ્યોનો કરવાની માંગ ઉઠી રહી છે.

OPS વિરુદ્ધ NPS

‘જૂની પેન્શન યોજના’ (OPS – Old Pension Scheme)નો મુદ્દો પણ ગરમાયેલો છે. જો કે, યુનિયનો પણ જાણે છે કે ‘નેશનલ પેન્શન સિસ્ટમ’ (NPS)ને સંપૂર્ણપણે નાબૂદ કરવી હવે સરળ નથી. તેથી, હવે લડત ‘OPS જેવા જ રક્ષણ’ પર આવી ગઈ છે, જેમાં ગેરંટીકૃત પેન્શન અને DA સાથે જોડાયેલી સુરક્ષાની માંગ સામેલ છે.

આ પણ વાંચો: ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા

સરકાર માટે આર્થિક પડકાર અને મધ્યમ માર્ગ

આ આંકડા જેટલા આકર્ષક લાગે છે, સરકાર માટે તેટલા જ ચિંતાજનક છે. આટલો મોટો પગાર વધારો માત્ર ચાલુ પગાર જ નથી વધારતો, પરંતુ તેનાથી પેન્શન, ભથ્થાં અને લાંબા ગાળાના આર્થિક બોજમાં પણ ભારે વધારો થાય છે. વળી, કેન્દ્રના પગાર પંચ બાદ રાજ્ય સરકારો પણ પોતાના માળખા બદલે છે, જેથી રાજ્યો પર પણ બોજ વધે છે. તેથી આંતરિક સૂત્રો માને છે કે સરકાર મોંઘવારી અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને કોઈ મધ્યમ માર્ગ પસંદ કરી શકે છે.

દેશવ્યાપી પરામર્શ અને આગામી પગલાં

કેન્દ્ર સરકારે 3 નવેમ્બર, 2025ના રોજ ઔપચારિક રીતે આ 8મા પગાર પંચની રચના કરી હતી. હાલમાં નિવૃત્ત જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈના નેતૃત્વ હેઠળની પેનલ દેશભરમાં અલગ-અલગ જગ્યાએ બેઠકો કરી રહી છે. લખનૌ, હૈદરાબાદ, શ્રીનગર અને જમ્મુ-કાશ્મીર બાદ હવે આ ટીમ 6 અને 7 જુલાઈના રોજ ભુવનેશ્વરની મુલાકાત લેવાની છે.

ભારતમાં 1946થી દર દાયકામાં પગાર પંચની રચના કરવાની પરંપરા છે. આ વખતે આ કવાયત ખૂબ જ મહત્ત્વની છે કારણ કે તેના નિર્ણયોની સીધી અસર કેન્દ્રના કર્મચારીઓ અને પેન્શનરો સહિત 1.1 કરોડથી વધુ લાભાર્થીઓ પર પડવાની છે. 

હવે જોવાનું એ રહેશે કે સરકાર કર્મચારીઓની આ આકાશ આંબતી અપેક્ષાઓ અને દેશની આર્થિક સ્થિતિ વચ્ચે કેવું સંતુલન સાધે છે.

Next Post
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

Recent News

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …
GUJARAT

ભારત-ચીન સંબંધોમાં મોટો વળાંક: LAC પર શાંતિ માટે બની નવી વ્યૂહનીતિ, જાણો શું થઈ ચર્ચા | india china …

India China Border Talks Beijing: ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની(LAC) સ્થિતિને લઈને બેઇજિંગમાં વર્કિંગ મિકેનિઝમ ફોર...

Read more

Explainer: 8મા પગાર પંચના 5 ફિટમેન્ટ ફેક્ટર અને 400% પગાર વધારો, જાણો સરકારી કર્મચારીઓનું નસીબ કેવી …

श्री पुष्प कुमार नायर ने संभाला बीपीसीएल में निदेशक (मानव संसाधन) का पदभार

શ્રી પુષ્પ કુમાર નાયરે બીપીસીએલમાં નિયામક (માનવ સંસાધન) તરીકે કાર્યભાર સંભાળ્યો

કર્ણાટકમાં સત્તા પરિવર્તનના એંધાણ: સિદ્ધારમૈયાના રાજીનામાંની અટકળો તેજ, ધારાસભ્યોમાં દોડધામ | karnat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In